<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>gujrati.almuntazar.com</title>
	<atom:link href="http://almuntazar.com/gujrati/?feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://almuntazar.com/gujrati</link>
	<description></description>
	<lastBuildDate>Sat, 10 Mar 2012 14:48:36 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0.1</generator>
		<item>
		<title>ખામિસે આલે અબા અને અલ્લામા ઇકબાલ</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=702</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=702#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:33:18 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=702</guid>
		<description><![CDATA[&#8220;અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ, નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, સમાજી, સોસાયટી, તરબીયતી અને ઇલ્મી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>&#8220;અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ,<br />
નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ<br />
આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ  હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, સમાજી, સોસાયટી, તરબીયતી અને ઇલ્મી મૈદાને અમલમાં એવા કારનામા છે, જે ૧૪૦૦ વર્ષ પસાર થઇ જવા પછી પણ ત્રીજી દુનિયાના દબાયેલા લોકો માટે આશાની એક જ્યોત સમાન છે. જેના પ્રકાશમાં ઉપરોક્ત લોકો પોતાની જીંદગી જીવી લેય છે અને તેઓમાંથી લોકો શિક્ષીત ઉભરીને બહાર આવે છે અને પોતાના પછાત ભાઇઓ માટે ઉદાહરણરૂપ ચારિત્ર્ય બની જાય છે.<br />
દુનિયાની તાકાતવાન કૌમના ચિંતકો, ઝુલ્મને રાજકારણનું એક મજબુત શકિતશાળી હથીયાર બનાવીને આખી દુનિયામાં અસંખ્ય મુશ્કેલીઓ પૈદા કરી ચુક્યા છે, અને કરી રહ્યા છે, અને રોજ નવા નવા ફિત્ના સળગાવી રહ્યા છે. દરેક સુધારાના પેટમાંથી ફસાદ અને ખુન વહેરાવવાવાળા મનસુબાનો શ્ર્વાસ આવી રહ્યો છે. આવી હાલતમાં અલી(અ.સ.)ની સિરત અને કિરદાર ઉપર અમલ કરવાથી કટ્ટર યહુદી તાકતોની બોંબમારીથી મઅસુમ અને બેગુનાહોની ઇમારતોને તબાહી અને બરબાદીથી બચાવી શકાય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને હસન સદ્ર આ કિતાબના લેખકે આ સવાલને ‘ઝાતે લા મુતનાહી’ (લા મહદુદ) તો ફક્ત અલ્લાહની ઝાત છે. આપે હઝરત અલી(અ.સ.)ને આ સિફતથી શા માટે વર્ણવ્યા? જવાબ દેતા તેઓ લખે છે કે ઇન્સાની અક્લની ઇન્તેહાથી ક્યાંય બલંદ મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) છે. તેની સાબિતિમાં આપનો આ હળવો ઇશારો પૂરતો છે. હું જમીનના રસ્તાઓથી વધારે આસમાનના રસ્તાઓથી વાકિફ છું, આ મર્દે લા મુતનાહી (જેની કોઇ હદ નથી તે)ના ફરઝંદ હુસૈન(અ.સ.) છે. જેના માટે દુશ્મનોએ કહ્યું: આ હુસૈન છે. તેમની છાતીમાં અલી(અ.સ.)નું દિલ ધડકે છે અને જેના માટે રસૂલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યુ હતુ: હું હુસૈન(અ.સ.)થી છું.<br />
ઇમામ હુસૈન(અ.સ.) ખામીસે આલે અબા છે. આપ હદીસે કિસાઅ પર સચ્ચાઇની એ છેલ્લી મહોર છે, જેના ચમકતા લખાણો ઇસ્લામને રાજકારણીઓની મન ફાવે તેવું વર્તન કરવાથી હિફાઝત માટે કુરબાનીની એક દાસ્તાન બયાન કરી દીધી છે. જેના વિષે અલ્લામા ઇકબાલે આ શેર કહ્યા:<br />
અજીબ સાદા રંગીન હૈ દાસ્તાને હરમ<br />
નિહાયત જીસ્કી હુસૈન ઇબ્તેદા હૈ ઇસ્માઇલ<br />
આશ્ર્ચર્યની વાત એ છે કે તે પુખ્તા નઝર ફલસફી, શાએર, અસામાન્ય બુધ્ધિજીવી સફરના જાણકાર જેની શોહરત ઇરાનના લેખકો, સાહિત્યકારો સુધી છે. તેણે હરમ અને દાસ્તાને હરમનો સાજ તો છેડ્યો પરંતુ તેના ગુનગુનાહટ અશ્આરની જુંબીશ સુધી બાકી રાખ્યો, જ્યારે કે હુસૈન (અ.સ.)ની ઝાતે મુકદ્દસની બલંદી પર આપને ઉંડુ યકીન હતું અને હઝરત ઇસ્માઇલ(અ.સ.) પર ઝીબહે અઝીમની ફઝીલતોનો આ એક દસ્તાવેઝી શેઅર કહ્યો છે.<br />
અજીબ સાદા રંગીન હૈ દાસ્તાને હરમ<br />
નિહાયત જીસ્કી હુસૈન ઇબ્તેદા હૈ ઇસ્માઇલ<br />
અને જેની સમજણ અને વિવેચન માટે આપ ફરમાવો છો<br />
રમઝે કુરઆન અઝ્ હુસૈન આમુખ્તીમ<br />
ઝાતશ્ ઉ શોઅલ હા અન્દુખ્તીમ<br />
અય સબા અય પયકે દવરે ઉફતાદગાં<br />
અશ્ક મા બર ખાકે પાક ઉફશાં<br />
આ શાએરે ઇમામ હુસૈન(અ.સ.)ના જીવન ચરિત્ર ઉપર એવી કોઇ કિતાબ કેમ ન લખી જે હસન સદ્રની કિતાબ ‘મરદે લા મુતનાહી’ ની સરખામણીમાં રાખીને બીજા લેખકોની સામે એમ કહી શકાય કે આ ઇકબાલ હીન્દી છે જેણે કુરઆનના ભેદોની ખુશ્કો-તરનો સવિસ્તાર અભ્યાસ કર્યો છે અને આપે જે દાસ્તાને હરમથી પોતાની શાયરીના માટે ઇસ્લામી ફલસફાની બુનિયાદ કાયમ કરી, જેની શરૂઆત હઝરત ઇસ્માઇલ(અ.સ.)થી થઇ. તે હરમની સફર હઝરત રસુલે ખુદા(સ.) પછી કેવી રીતે શરૂ થઇ, કયા એનો અંત થયો અને એ કરબલા જે આજે પણ પ્યાસી છે તેની હાલતને કેમ લખી નહી. રૂકાવટોને દૂર કરીને ઇન્સાફ, ફિક્ર અને સમજણ, સચ્ચાઇ અને નાજુકતાને દૂર કરવા માટે અંતરાયોના પણ અમુક તકાઝા હોય છે. અલ્લામા ઇકબાલના અશ્આરના અરીસામાં આપની ઇલ્મી આવડત, આપનો અભ્યાસ, આપની તવહીદ પરસ્તી, આપની કલમની તાકાત બેશક ઇસ્લામી સંસ્કૃતિમાં એક ખૂબ જ મોટો ભાગ ભજવે છે. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન સિવાયની યુનીવર્સીટી અને વિદ્યાર્થીઓ અને વિદ્વાનોમાં આપની ફિક્રની ચર્ચા, આપની શાયરીમાં સુધારાવાદી રીત-ભાત, સાંસ્કૃતિક અને સામાજીક મતભેદથી દૂરી એ દીવાઓની જેમ છે જે આપના લખાણનો અર્થ અને મતલબને રોશની આપે છે અને સ્પષ્ટ કરે છે આપે જમહુરે ઇસ્લામમાં ઇસ્લામીક પરિભાષાઓ જેમ કે, ફલસફએ ખુદી, અક્લ અને ઇશ્ક, સરખામણી, બેતેગ (તલવાર વગર) લડે છે સિપાહી મોઅમીનનો ગૈર મોઅમીન લોકોની સાથે લોખંડી કિરદાર અને દોસ્તોમાં રેશમની જેમ નરમ રિશ્તો અને લોહીની સગાઇ તબાન અને વહેમ તથા ગુમાન અને તમામ શિર્ષકોમાં એક શિર્ષક ફક્રનું ઉઠાવ્યું અને અશરફ મખ્લુકાતના માટે આ ફક્રથી ભૌતિક દુન્યાની પસ્તી અને રૂહાની દુન્યામાં તેની અઝમત, તેની શાન, તેની બલંદીની તરફ ધ્યાન દોર્યુ છે અને અહી સુધી કહ્યું છે કે આ જ હિદાયતની રૂહ છે અને આગળ આવીને કહે છે કે તે જ વ્યક્તિ મીલ્લતનો રહેબર બની શકે છે જેની ઉચ્ચ મંઝીલ ફક્ર હોય. આથી કહે છે કે એક ફક્ર શબ્બીરી છે. તે ફક્રમાં સરદારી છે અને એજ શક્તિ અને સરદારીને મીલ્લતે ઇસ્લામીય્યાની વિરાસતે અંબીયા અને અઇમ્મા ગણી છે. આનાથી વિરૂધ્ધ ભૌતિક ફક્રને શીકારીની મક્કારી અને ઇન્સાનની મીસ્કીની અને દિલગીરીનું કારણ ગણે છે અને જ્યારે આ ફક્ર ઇસ્લામી માન્યતાની સાથે સમજવામાં આવે તો મૌલાએ કાએનાતનો કૌલ નઝર સમક્ષ આવે છે, આપ ફરમાવો છો કે ‘અલ ફક્રો ફખરી’ ‘આ મારી ફક્ર છે જેના પર હું ફખ્ર કરૂ છું’ અલ્લામા મૌસુફની એ તમામ માન્યતાઓ અને વિચારો જે આપના અશ્આરના રૂપમાં ઢાળીને તેને નશ્રની દસ્તાવેજોમાં સનદની જેમ રાખવામાં આવ્યા છે અને આપ એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયતથી રોશની હાસિલ કરે છે અને તેનો ઇઝહાર આપે તે સમયે કર્યો, જ્યારે પોતાના એક સય્યદ શીઆ દોસ્ત જે ફલસફા ઉપર સંશોધન કરતા હતા. તેને પત્રમાં લખે છે કે ‘તુ કયા યુનાની ફલસફાની જાળમાં ફસાયો છે જે માત્ર કાલ્પનીક છે. તમે સય્યદ હાશમીની ઔલાદ છો. મને જુઓ મારા બાપ-દાદા લાતી અને મનાતી હતા, ત્યાં સુધી કે મેં તમારા જદના ઇલ્મી રોશનીનો ઉપયોગ કર્યો જેમાં દુન્યાની ખીલ્કતના રહસ્યો છે. આ રીતે તે અંધકારની લોખંડી ચાદરોને તોડીને ઇલાહી મૌજથી વાકીફ થયો અને એહલેબૈત(અ.મુ.સ.)ની માઅરેફતના માટે આપ પર સમજણના ઝરણા ફુટી ગયા. અલ્લામા મૌસુફની સામે એહલેબૈત(અ.મુ.સ.)ની પવિત્ર સિરત હતી અને દિમાગમાં અને વિચારમાં એ નૂરાની ખુણાઓ પણ હતા, જેનાથી એહલેબૈત (અ.મુ.સ.)ની પવિત્ર ઝાતોનો અઝલી અને નૂરાની ખીલ્કત હોવાનો મજબુત અકીદો હતા. એટલુ જ નહી પરંતુ હદીસે કીસાઅના મરકઝ જનાબે ઝેહરા(સ.અ.) જે બીબીના માટે તમામ જમહુરે ઇસ્લામના એક મતે ગવાહી આપી છે કે રસુલે કરીમના ફરમાન મુજબ આપ અને ફક્ત આપ જ ખાતુને જન્નત છે અને આપના સિવાય બીજું કોઇ આ લકબનું હકદાર નથી.<br />
અલ્લામા ઇકબાલે આપની આ શાન અને અઝમત અને બુઝુર્ગીની સામે માથું જુકાવી દીધુ. પરિણામે આપ માસુમએ કૌનૈનના માટે ફરમાવે છે કે ‘તે ફાતેમા(સ.અ.) જેના પીદરે બુઝુર્ગવાર ખૈરૂલ બશર છે, જેમના શવહરે નામદાર હલ અતાના તાજદાર છે, જેમનો એક ફરઝંદ ઇશ્કના કાફલાના સરદાર છે, અને બીજા ફરઝંદ નુક્તએ મરકઝે પુરકારે ઇશ્ક છે. જ્યાં તેમણે ઇમામ હુસૈન(અ.સ.)ની મદ્હ કરી અને મઅરેફત પર કલમ ઉઠાવી, ત્યાં એમને ઇશ્કના વર્તુળનું મધ્યબિંદુ ગણ્યુ છે. લેખકની નજર સમક્ષ એવી બાબત નથી આવી કે અલ્લામા ઇકબાલના ફલસફા ઉપર જેટલી કિતાબો લખવામાં આવી છે, તેમાં કોઇએ આપના ઇશ્કના ફલસફા ઉપર તો કોઇ અશ્આર વર્ણવ્યા હોય. ત્યાંસુધી કે ઇશ્કને મુસ્તુફા(સ.અ.વ.)નું દિલ પણ આપે જ ફરમાવ્યુ છે અને તેને પણ નકલ કર્યુ છે. પરંતુ ઇશ્કના વર્તુળથી બહાર તે રાજકારણીઓ તરફથી વાંચકોથી એકદમ મુતવજ્જેહ કર્યા છે. જે ઇસ્લામના અત્યાચાર ઉપર તૈયાર હતા અને જેના વેચાઇ ગયેલ મુફતીઓએ હુકુમતના કારભારીઓના દરેક ઝુલ્મને જાએઝ ગણવામાં કાંઇ બાકી ન રાખ્યુ, તેનું કારણ સ્પષ્ટ છે. હદીસે કિસાઅ જે પ્રાશ્રાદ ભુમિકામાં બયાન થઇ હોય, હકીકતના એવા નિશાન છોડ્યા છે જે જાહેર કરી દે છે કે ઇમામ હુસૈન (અ.સ.) આ મુસ્તફવી બેઠકમાં દાખલ થવાવાળી એ આખરી હસ્તી છે, જેના બાદ દરેક વ્યક્તિ માટે દરવાજો બંધ થઇ ગયો હતો, અને એહલેબૈત(અ.મુ.સ.)ની ઓળખ માટે આ પાંચ પવિત્ર ઝાતો સિવાય હવે કોઇ લાયક ન હતુ કે જે એહલેબૈત(અ.મુ.સ.)ના સમૂહમાં દાખલ થઇ શકે. હવે, આ ના-ઇન્સાફી નથી તો બીજુ શું છે? જે કહે છે કે એહલેબૈત (અ.મુ.સ.)માં પંજેતન સિવાયનાને પણ શામિલ કરી દેવામાં આવે. આ હદીસ ઉપર અલ્લામા ઇકબાલની ઉંડી નજર હતી અને ઇન્નમાની આયતની આ જ તફસીર આપની નજર સમક્ષ  હતી, નહિતર આપ મુસ્તફાના દિલના ઈશ્ક પછી આ ન કહેત ‘આ ઇશ્કનું મધ્યબિંદુ હુસૈન(અ.સ.) છે’ અને એમ પણ ન કહેત કે ‘ઉન પિસર એક નુક્તએ પુરકારે ઇશ્ક’<br />
અલ્લામા ઇકબાલે ઇમામ હુસૈન(અ.સ.)ને દીને હનીફની મિરાસના વારિસ ગણાવીને મીરી અને સરદારી તેમજ હાદીએ બરહકની હૈસિયતથી એટલા માટે માન્યા કે શબ્બીરી ફક્રની કિંમત નિગાહોની વિશાળતાથી ઘણી વધારે વિશાળ છે અને આ ફક્રની રૂહ આપનો મુસીબતો પરનો સબ્ર છે. ઝુલ્મ અને જોર અને હયવાનીયત અને દરીન્દગીના પુરશોર સમંદરના મોજાના દમ તોડી દેવાની તાકત અને કુવ્વત ઇમામ હુસૈન(અ.સ.)ના સબ્રમાં છે. જેણે બાતિલની સામે મજબૂતાઇપૂર્વક કદમ ઉપાડ્યા, અને તેના ખરાબ ચહેરાને બે-નકાબ કરી દીધો. તકરીર-સ્પીચ તો ઠીક પરંતુ કહ્યા વિના પણ વાત ન બની, એટલા માટે કે ફરિયાદની અમુક રીતો આપણે તેની પાસેથી શીખ્યા છીએ, અને તે એ છે કે અલ્લામા ઇકબાલે પોતાના આંસુઓના એ કિંમતી તોહફાઓ ‘અય સબા અય પયકે દર ઉફતાદગા’ના હાથોથી ઇમામ હુસૈન(અ.સ.)ની ખાક પર છાંટવા મોકલી હતી, એમાંથી અમૂક ટીપાઓને શાહી બનાવીને પોતાના લખાણ વડે તે આંતકવાદીઓ જે ઇસ્લામના નામ ઉપર એક કલંક છે, ઇસ્લામના નામ ઉપર ધબ્બો છે, ઇસ્લામના દામન ઉપર ખરાબ ડાઘ છે જે યતીમ અને વિધવાઓના માથા ઉપરથી તેમના સરપરસ્તોનો છાંયો છીનવી લેય છે, અને તેમને બેરહેમીથી કત્લ કરી દેય છે, અને પૂરી દુનિયામાં તેમના સિતમોને લીધે ફરીયાદ ઉઠી છે, જે બે-ગુનાહ ઇન્સાનોના ખૂનથી આ ઝમાનાના ઈસ્લામનો ઈતિહાસ લખવા ચાહે છે. (અલ્લાામા મૌસૂફ) ચેતવી દે છે કે હજી ખુદાવંદે મુતઆલે વારીસે હુસૈન(અ.સ.)ને એટલા માટે જીવતા રાખ્યા છે કે તેઓ આ ખૂન પીતા દરીંદાઓને નિસ્તો-નાબૂદ કરીને રબીઉલ અનામ એટલે કે વસંતની જાન બનીને ઇસ્લામની એ બાબતોને જે સલામતી, ખુદા-પરસ્તી, ઇત્મિનાન, સુકૂન અને ચૈનના એ તમામ માધ્યમો લઇને પર્દએ ગૈબથી જાહેર થશે.અલ્લામા ઇકબાલે એકદમ સાચુ ફરમાવ્યુ છે:<br />
‘રમ્ઝે કુર્આન અઝ હુસૈન આમુખ્તિમ’<br />
‘કુર્આનના રહસ્યો અમે હુસૈન(અ.સ.)થી શીખ્યા’<br />
અને આના સંદર્ભમાં આપ ‘બકીય્યતુલ્લાહે ખૈરૂલ્ લકુમ્ ઇન કુન્તુમ્ મોઅ્મેનિન્’ ના અર્થ અને મતલબથી ચોક્કસ જાણકાર રહ્યા હશો. આથી મારો આ તકાઝો  અર્થ વિનાનો નથી અને અમે એ ઉમ્મીદમાં  નથી કે શાયદ આ જાએ કોઇ આબલાએ પા આપકે બાદ અને કહે લે તેરે ખતકા જવાબ આયા. કદાચ કોઇ બીજુ આવી જાય જે હઝરત ઇસ્માઇલથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ઐતિહાસિક સફરને પૂર્ણ કરતા ખામીસે આલે અબાના આ મિશનને જેને કરબલા કહે છે, પૂર્વથી પશ્ર્ચીમ સુધી તેની દિલ-નશીન અવાજ પહોંચાડી દે જેમાં ઉંહકારા લેતા અને ડરતા ઇન્સાનો સુકૂન અને ચૈનની અમૂક શ્ર્વાસો લઇ શકે.<br />
હુસૈનીઝમ:<br />
હુસૈનીય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનીય્યત એવા લોકો માટે હિંમત અને હોંસલો છે જેઓના હક્કો છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનીય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનીય્યત એક મિશન છે જે દુનિયામાં ફેલાયેલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સામાજીક ગૂંચવણભરી બિમારીઓ માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતુ નથી. ટુંકમાં એ કે ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો ખુલાસો કિતાબે કરબલા છે.<br />
મક્કએ મુકર્રમા, મદીનએ મુનવ્વરા, નજફે અશરફ, કરબલાએ મોઅલ્લા, મશહદે મુકદ્દસ, કાઝમૈન શરીફ તથા સામર્રા એવા સ્થળો છે જ્યાં રિસાલતની તબ્લીગના ઐતિહાસિક કાફલાઓએ રોકાઇને પોતાની સફરના નિશાન કાયમ કર્યા છે, અને અહીંથી જ હિદાયતના નૂરનો એક મિનારો બનાવીને આખી દુનિયાને સુલેહ અને શાંતિનો પૈગામ પહોંચાડ્યો છે. આ જગ્યાઓમાં કરબલા એક એવું કેન્દ્ર છે કે જ્યાંથી જાણવા મળે છે કે આ એહમદે મુરસલ(સ.અ.વ.)ની દુઆ છે કે જે ખુદાની બારગાહમાં હંમેશાની જેમ કબુલ કરવામાં આવી. આ એ ઝમીન છે જ્યાં તસ્લીમ અને રઝાની એ કિતાબ લખવામાં આવી જે કુરઆનના ભેદોનો દર્સ આપી રહી છે. જેના માટે ઇકબાલે કહ્યું હતુ.<br />
‘રમ્ઝે કુરઆન અઝ હુસૈન આમુખ્તીમ’<br />
‘કુરઆનના ભેદો અમે હુસૈન(અ.સ.) પાસેથી શીખ્યા’<br />
જે ઇસ્લામે રિસાલત મઆબ મોહમ્મદે અરબી (સ.અ.વ.)ની બેઅસત પર પહેલા જ દિવસે પહેલુ કામ નજાતની બુનિયાદ પર રાખીને આખી દુનિયાના લોકોને સલામતીનો પયગામ આપ્યો હતો અને જ્યારે કરબલામાં તે હુસૈન(અ.સ.) જેના માટે રસુલે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું હતું &#8220;આ હુસૈન(અ.સ.) મારાથી છે અને હું હુસૈન(અ.સ.) થી છું અને આપે તેને સાચુ કરીને બતાવી દીધુ જેને શાયરે ઘણા સરસ અંદાજમાં કહ્યું છે.<br />
ડુબ કર પાર હો ગયા ઇસ્લામ<br />
આપ ક્યા જાને કરબલા ક્યા હે<br />
આ જ ઇસ્લામને માત્ર નામ પુરતા જ ઇસ્લામના નામ પર હુકુમત કરવાવાળાઓએ પોતાની એ તાકાત ઉપર જેના થકી તેઓ હુકુમત કરતા હતા એક ઘાતક વાર જાણીને હુસૈનીયત ઉપર પર્દો નાખવા માટે રાજકારણ, ખોટો પ્રચાર, પૈસાથી ખરીદાએલા આલીમો, મોટા મોટા ફિત્ના કરનારાઓ અને દુનિયા પરસ્ત દિમાગોમાં શોહરત અને માલની લાલચ પૈદા કરીને શક્ય તેટલી બધી કોશિશો કરી જેના લીધે ન જાણે કેટલીયે દોઢ ઇંટની મસ્જીદો તય્યાર થઇ ગઇ અને આ રીતે ઇસ્લામ ફિરકાઓમાં વહેચાઇ ગયો.<br />
દુનિયાની ઉમ્મતોને સલામતીનો પયગામ, સુલેહ અને શાંતિની ઝીંદગી પસાર કરવાનો સબક, માથુ ઉચુ રાખીને અને મક્કમતા પુર્વક જીવવાની રીત બતાવનાર નબીઓ અને રસુલોના વારસદાર હુસૈન(અ.સ.) હતા. આપ(અ.સ.)ને આપની માતાએ ચક્કી પીસીને ઉછેર્યા અને એવી મુસીબતો જે દિવસની રોશનીને કાળી રાતમાં બદલી નાખે તેને સબ્ર અને શુક્રે ઇલાહી સાથે સહન કરી પરંતુ પિતાની વસીય્યત મુજબ અને પોતાનો નુરાની કિરદાર અને માસુમ સિરતના તકાઝાના લીધે ઉમ્મત મુસ્લેમા અને દીને હનીફનું નામ લેવાવાળાઓ ઉપર બદ્દુઆ ન કરીને કુફ્રાને નેઅમત કરનારાઓને સખ્ત અઝાબથી બચાવી લીધા.<br />
જ્યારે મોઆવીયાનો ઝમાનો પુરો થઇ ગયો અને યઝીદ હુકુમતના તખ્ત ઉપર ચડી બેઠો ત્યારે હુકુમતના હોદેદારો અને યઝીદના સલાહકારોની સામે ઘણા ગુંચવણ ભર્યા અને ચિંતા ભર્યા પ્રશ્ર્નો હતા. આ પ્રશ્ર્નોથી ઘેરાએલા વ્યક્તિઓના દિમાગમાં લશ્કરકશી એટલે કે ફૌજી તાકાતનો ઉપયોગ બેગુનાહ વસ્તીઓ ઉપર ઘાતક હુમલાઓ, સાચુ બોલનારાઓના મોઢા બંધ કરવા, હુકુમતની વ્યવસ્થામાં દીનનો ગેર ઉપયોગ અને તલવારની ધાર ઉપર ઇમાન, સચ્ચાઇ અને રસુલ (સ.અ.વ.)ની તબ્લીગની વાતો કરનારાઓના ખુન રેડવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો.<br />
તે પ્રશ્ર્નો શું હતા તેની થોડી ચર્ચા કરીને પછી આગળ વધીશુ. સૌ પ્રથમ યઝીદનો આ શાસનકાળ હિ.સ. ૬૦ના અંતમાં શરૂ થયો. એટલે કે જ્યારે રિસાલત મઆબ (સ.અ.વ.)ની વફાતને ફક્ત ૫૦ વર્ષ વિત્યા હતા. હજી તો મદીનએ મુનવ્વરા અને મક્કએ મોકર્રમામાં હબીબે ખુદા મોહમ્મદે ખુદા(સ.અ.વ.)ની પાક ઝિંદગી જેને આપણે સિરતે નબવી કહીએ છીએ અને આપના એહલેબૈત(અ.મુ.સ.)ના બારામાં હુકમો, આપના વસી અને વારસદાર અલી(અ.સ.) ને લગતી આપની હદીસો, ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની મઅરેફત અને આપના બારામાં અર્થભર કથનો જે વહીની ભાષામાં અદા થએલ તેની ચર્ચાઓ બધે થતી હતી. હજી તેના અર્થઘટન અને અર્થમાં ફેરફારની કોશિશ શરૂ થઇ નહોતી. ઉદાહરણ રૂપે ગદીરે ખુમનો તે જબરદસ્ત ઐતિહાસિક વળાંક કે જેમાં વિલાયત અને ખિલાફતની તાજપોશીના એલાનનો અવાજ થયો હતો તે લાખ દબાવવા છતા દબાયો ન હતો. જેની યાદ અલી (અ.સ.)એ રોહબાના મેદાનમાં જીવંત કરી દીધી હતી.<br />
‘હસનૈન(અ.મુ.સ.) જન્નતના જવાનોના સરદારો છે’, ‘હુસૈન(અ.સ.) મારાથી છે અને હું હુસૈન(અ.સ.)થી છું’, ‘મારી પુત્રી ફાતેમા ઝહરા(સ.અ.)જન્નતની ખાતૂન છે. મારા જીગરનો ટુકડો છે.જેણે તેમને ઇજા પહોંચાડી તેણે મને ઇજા પહોંચાડી’, પછી આખરી નબી(સ.અ.વ.)ની વફાત પછી ખિલાફતની ચળવળ આ જ કથનોની સામે મઅસૂમએ કૌનૈન (સ.અ.)ના દરવાજા ઉપર આગની ભડકતી જવાળાઓ જોવામાં આવી. અક્કલ, વિચારશક્તિ અને સમજણ ધરાવનારા મદીનાના લોકો અને જ્યાં જ્યાં ઇસ્લામ પહોંચ્યો હતો ત્યાંના મુસલમાનોમાં હજુ પણ ન્યાય કરવાની ક્ષમતા મરી પરવારી ન હતી. હજી ઇસ્લામના સંખ્યાબંધ ફરઝંદો મૌજૂદ હતા જે હક અને બાતિલમાં તફાવત જાણતા હતા અને સત્ય બોલવાની હિંમત ધરાવતા હતા. હજી મદીના નાશ પામ્યુ ન હતુ. હજી કાબાના ગિલાફ પર આગ જોવામાં નહોતી આવી.<br />
સુલ્હે હસનની એ શરત હજી તેના મુલ્યમાં જીવંત હતી કે મોઆવીયા પછી માત્ર બની હાશિમના વંશજો જ સરદારી કરશે. મોઆવીયાના મૃત્યુ પછી કુફા, બસરા, મદીના અને આજુબાજુના લોકો નિરાંતનો દમ લઇ રહ્યા હતા કે શાયદ હવે ઝાલીમ હુકૂમતનું શાસન પૂરૂ થશે અને અમને રસૂલે અકરમ(સ.અ.વ.)ના નૂરે ચશ્મ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની રાહનુમાઇ નસીબ થશે. બયઅતનો રિવાજ હજી સુધી જીવંત અને અમલમાં હતો. તેથી આ દ્રષ્ટીબિંદુને ધ્યાનમાં લઇ અસંખ્ય પત્રો ઇમામ હુસૈન(અ.સ.)ને મળ્યા કે આપ પધારો અમે આપના હાથ મુબારક ઉપર બયઅત કરવા માટે તૈયાર છીએ. આવા બીજા પણ ઘણા બધા પ્રશ્ર્નો હતા જે યઝીદની હુકૂમત માટે મોટા ખતરાની નિશાની હતા.<br />
જે ખતરાઓ હુકૂમતની સામે હતા જેના ટુંકમાં નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે તેનો પ્રકાર એવો હતા કે એક તરફ સીરીયાની હુકુમત હતી જેના વ્યવસ્થાપકો અને સલાહકારો ઇસ્લામમાં હુકૂમત સ્થાપિત કરવા સોના ચાંદીથી ખરીદવામાં આવેલા આલીમો હતા. તેઓ હુકૂમત માટે મનસૂબો ઘડવાનો પાયો નાંખી રહ્યા હતા જે તેમણે ઘડેલા નિયમો અને ઇસ્લામી શરીઅતના મિશ્રણના મસાલાથી તૈયાર થઇ રહ્યા હતા. જ્યારે બીજી બાજુ કુફાથી મદીના તરફ અવાજો આવી રહ્યા હતા જે ઇમામ હુસૈન (અ.સ.)ને પોકારતા હતા, જે રસૂલે અકરમ (સ.અ.વ.)ના વારસદાર હતા અને રિસાલતની તબલીગની રૂહ હતા તથા જેઓ પવિત્ર ઇસ્લામના હેતુના રક્ષણહાર હતા. આપનું એ પવિત્ર વ્યક્તિત્વ હતુ જે આપના નાનાની ઇસ્લામી તબલીગના રહસ્યો ઉપર રાજકારણની ધૂળ બેસવા દેતું ન હતું.<br />
આજ કારણ હતું કે યઝીદે હુકૂમતની ગાદી પર બેસવાની સાથે જ ઇમામ હુસૈન (અ.સ.) પાસે બયઅતની માંગણી કરી. પોતાની તાકત અને હુકૂમતના આધારે એવા ખામી ભર્યા ખયાલ સાથે કે જો આપ(અ.સ.) બયઅતથી ઇન્કાર કરે તો આપની ગરદન ઉઠાવી દો. એટલે કે એક તરફ તલ્વાર, ગરદન ઉડાવી દેવાની તથા મારી નાખવાની ધમકીઓ હતી તો બીજી તરફ સબ્ર, સહનશક્તિ, સુલેહ, શાંતિ અને ઇસ્લામમાં ખૂન વહાવવાથી દૂર રહેવાનો પ્રચાર કરનાર આગેવાન હુસૈન(અ.સ.) હતા. એક તરફ ઇસ્લામની ફીલોસોફી હતી કે જે કહી રહી હતી કે બેગુનાહને કતલ કરવાની વાત તો દૂર છે પરંતુ તેને પરેશાન પણ ન કરો. જ્યારે બીજી તરફ ઇસ્લામી હુકૂમત લોહી વહાવવાથી જ ચાલી શકે તેવું રાજકીય હથિયાર પોતાના સિદ્ધાંતની પૈરવી કરી રહ્યુ હતું.<br />
અય આપણ દરેકના પ્યારા હુસૈન(અ.સ.), અહિંસાના બાદશાહ હુસૈન(અ.સ.), ઇન્સાનિય્યતના તાજદાર હુસૈન (અ.સ.), પ્યાસા હુસૈન(અ.સ.), ખાતૂને જન્નતના દિલની રાહત હુસૈન(અ.સ.), નાના રસૂલ(સ.અ.વ.)ની આંખોના નૂર હુસૈન(અ.સ.), અલી (અ.સ.)ના શીઆઓની હોડી તોફાનમાં સપડાએલી છે. આપને અબ્બાસ(અ.સ.)ના કપાએલા હાથોનો વાસ્તો આ હોડીને તોફાનમાંથી કાઢીને તેને સાંત્વન અને રાહતના કિનારા ઉપર લઇ આવો. આ તોફાન ત્યારે જ શાંત થશે જ્યારે લોકો હુસૈનિય્યત અને આપના મિશનને સમજશે અને તેની ઉપર અમલ કરશે. અલ્લામા ઇકબાલ, પૂર્વના ચિંતકે પયગામે ઇશ્કની નવી રીત અને નવો અંદાઝ ઇસ્લામી દુનિયાને આપ્યો છે. આપે ઇશ્કમાં ડુબીને જે કહ્યું હતુ: ‘ઇશ્ક કે જોર સે હર પસ્ત કો બાલા કર દે, દહેર મે ઇસ્મે મોહમ્મદ સે ઉજાલા કર દે’ અને આ રિસાલત મઆબ પોતાની વહીની ઝબાનથી ફરમાવે છે: ‘હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું’ અને શાયદ અલ્લામ ઇકબાલ રસુલે ખુદા(સ.)ના આ વાક્યો: ‘અવ્વલ પણ મોહમ્મદ, અવસત પણ મોહમ્મદ અને આખરી પણ મોહમ્મદ’ ની સમજુતી લખવા ચાહે છે.<br />
અલ્લાહની બારગાહમાં હવે ફક્ત એક દુઆ છે: તે આખરી મોહમ્મદ હુજ્જત ઇબ્નીલ હસન જેના ઇન્તેઝારમાં આખી દુનિયા છે, તેમના ઝુહુરમાં જલ્દી કર. આમીન&#8230;..</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=702</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ઇસ્લામના દુશ્મનોના નિષ્ફળ કાવતરાઓ</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=700</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=700#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:32:07 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=700</guid>
		<description><![CDATA[મક્કા કે જેનું બીજુ નામ ઉમ્મુલકોરા છે તે એક એવું શહેર છે જે હ. ઇબ્રાહીમ(અ.સ.)ના ઝમાનાથી આબાદ થયુ અને શહેરી અથવા સાંસ્કૃતિક અને સામાજીક મૂલ્યોની સાથે પોતાના જુના સમયગાળાથી પસાર થતુ થતુ જ્યારે છઠ્ઠી સદીના સમયમાં પહોંચ્યુ તો તેમાં અસંખ્ય ફેરફાર થઇ ચુક્યા હતા. ઝમઝમનું ઝરણુ માટી અને પત્થરોની નીચે ગુમ થઇ ચુક્યુ હતું. જુના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>મક્કા કે જેનું બીજુ નામ ઉમ્મુલકોરા છે તે એક એવું શહેર છે જે હ. ઇબ્રાહીમ(અ.સ.)ના ઝમાનાથી આબાદ થયુ અને શહેરી અથવા સાંસ્કૃતિક અને સામાજીક મૂલ્યોની સાથે પોતાના જુના સમયગાળાથી પસાર થતુ થતુ જ્યારે છઠ્ઠી સદીના સમયમાં પહોંચ્યુ તો તેમાં અસંખ્ય ફેરફાર થઇ ચુક્યા હતા. ઝમઝમનું ઝરણુ માટી અને પત્થરોની નીચે ગુમ થઇ ચુક્યુ હતું.<br />
જુના આસારોમાંથી ફક્ત ખાનએ કાબા હતો અને કાબાના તવાફની જુની અને શરૂઆતની રસમ જે હઝરત ઇસ્માઇલ (અ.સ.)ના સમયથી ચાલતી આવતી હતી. જેમ જેમ સદીઓ પસાર થતી ગઇ મક્કાના રહેવાસીઓનો સમાજ ધીમે ધીમે બુત પરસ્તીનું રૂપ લેવા લાગ્યો. લોકોએ ખાનએ કાબાને મુર્તિઓથી ભરી દીધુ. સેંકડો વર્ષોની મુર્તિ પુજાએ કેટલાય પ્રકારના રિવાજોની બિદઅતનો અંદાઝ ઇખ્તેયાર કરી લીધો હતો. મન્નત વગેરે માનવામાં નગ્ન અવસ્થામાં તવાફ કરવાની રસમ વર્ષોથી શરૂ થઇ ચુકી હતી. મુર્તિઓ માટે નવા નામોથી મુશ્કેલીઓનો ઉકેલ કરવાનો અકીદો ઉંડો થઇ ચુક્યો હતો. આ શહેરની મોટા ભાગની જમીન ઉજ્જડ તેમજ પાણી અને ઘાસ વગરની હતી. બે મોટા કબીલાઓ બની હાશીમ અને બની ઉમય્યા સિવાય મક્કાના અન્ય કબીલાઓ જેને કુરૈશ કહેવામાં આવતા હતા. પોત પોતાના કુટુંબમાં પોત પોતાના જ બાપ-દાદાઓના નામથી ઓળખાતા હતા. મોટા કબીલાઓ જાગીરદારોની વ્યવસ્થા મુજબ પોતાનો રોબ અને દબદબો શહેર ઉપર કાયમ કરેલ હતો. નવજવાનો માટે તાલીમી સંસ્થાઓની કોઇ ભાળ સુધ્ધા ઇતિહાસમાં મળતી ન હતી. પરંતુ અરબી ભાષાની ફસાહત અને બલાગતની ચર્ચા સામાન્ય હતી. અરબી ભાષાની બકા જ નહી પરંતુ તેમાં રોજીંદા વપરાતા શબ્દો અને એક શબ્દના જુદા જુદા અર્થો એક મજબુત ઝબાનની હેસીયતે શેર શાયરીમાં અતિશ્યોક્તિનો દેખાવ અને હુસ્નો જમાલની ચિત્રલેખા અને દ્રશ્યોની તસ્વીર અને ઓમરાની પ્રશંસાનું એક જોર હતુ જે શાયદ તેમને પોતાના બાપ-દાદાથી વારસામાં મળ્યું હતું. અરબી ભાષાના વિશે કોઇ ઉતરતી કક્ષાને શામીલ કરવા પર રાઝી ન હતા આથી જાહેલીય્યતના ઝમાનાનો રંગીન શેહઝાદો ઓમરા અલ કયસ જંગની હાલતમાં પણ તલવારની તેજ વારની સાથે અશ્આરનો વરસાદ વરસાવી દેતો હતો. આપણો વિષય મક્કા શહેરનું ઇસ્લામથી પહેલાનું દ્રશ્ય છે અને જે ઝમાનાની વાત થઇ રહી હતી તેમાં બની હાશીમનો વકાર ખુબ જ બુલંદ હતો. ભાષા અને બોલવાના દ્રષ્ટિકોણથી તેમજ ખાનદાની રહન સહન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ, અખ્લાક, શરાફત, શુજાઅતમાં અજોડ હતા. બની હાશીમની જીવન રીત અબ્દુલ મુત્તલીબના સમયમાં એકદમ પ્રકાશિત થઇને સામે આવે છે. તેઓ એક ખુદામાં માનનારા અને ખાનએ કાબાની રખેવાળી આપની સાથે હતી. પરંતુ કોઇ ઐતિહાસીક પુરાવો અથવા નિશાની કે પછી કાર્ય એવા નથી મળતા કે આપે બુત પરસ્તીને ફેલાવી હોય સિવાય એ કે આપ વરસમાં એક વખત ખાનાએ કાબાના તવાફના મૌકા પર પોતાના દિકરાઓ કે જેની સંખ્યા બાર હતી, ખૂબ જ શાનની સાથે હરમે કાબામાં એવી રીતે હાજર થતા કે લોકો જોઇને તેમના ખાનદાન ઉપર રશ્ક કરતા હતા. આપના સૌથી નાના દિકરાનું નામ અબ્દુલ્લાહ હતું. જે બહુ જ  ખુબસુરત હતા અને આપની પેશાની મુબારકમાંથી એક નૂરની કીરણ ફુટતી દેખાતી હતી. આપની શાદી જનાબે આમેના ખાતુન બીન્તે વહબની સાથે થઇ જે બીબીના બત્ને મુબારકથી મોહમ્મદે મુસ્તફા(સ.)ની વિલાદત થઇ. જ. અબ્દુલ્લાહ(અ.સ.) ફરઝંદની વિલાદતના ૬ મહીના પહેલા ગુજરી ગયા. આં હઝરત(સ.અ.વ.)ની ઉમ્ર ૬ વર્ષની થઇ ત્યારે આપની માદરે ગિરામીનો ઇન્તેકાલ થઇ ગયો. ત્યાર પછી જ. અબ્દુલ મુત્તલીબ(અ.સ.)ની સરપરસ્તીમાં આપ મોટા થયા અને જનાબે અબ્દુલ મુત્તલીબની વફાત પછી તેમની વસીય્યત મુજબ જનાબે અબુતાલીબ(અ.)ની દેખરેખ અને સરપરસ્તીમાં જીવન ગુજારવા લાગ્યા.<br />
મક્કાની બીજી બાજુ બની ઉમય્યાનું એક કુટુંબ અને કબીલો ઉછરી રહ્યો હતો. તે શામ તરફ પોતાની સત્તા સ્થાપી રહ્યા હતા. તેની મજબુતાઇ અને સ્થાપિત કરવાની બુનિયાદ પર મક્કામાં પોતાની હૈસીયતને હાકેમીય્યતની હદ સુધી કાયમ કરી ચુક્યા હતા. આ કબીલો પોતાની સિયાસત અને દુન્યવી સત્તા અને માન મેળવવા માટે દરેક પ્રકારની અખ્લાકી અને ગૈર અખ્લાકી યુક્તિઓ અપનાવતી. અબુ સુફયાન પોતાનુ તમામ અભિમાન અને ગર્વ તથા ઝુલ્મ અને ખુદપસંદીની સાથે ઉભરી રહ્યો હતો. બાદમાં તેના કુટુંબના વૈભવ વિલાસની વાતો સામાન્ય થવા લાગી. તેનું ઘર ઐશો આરામનું કેન્દ્ર કહેવાતું. ગીત ગાવા, સંગીત વગાડવું અને નાચ-ગાનની મહેફીલો પણ વારંવાર થતી, જેમાં અન્ય દૌલતમંદ લોકો પણ આવતા હતા.<br />
બની હાશિમની વર્તણુક અને રહેણી-કહેણી આ લોકોથી બિલ્કુલ અલગ હતી. આથી મતભેદ અને ઇન્હેરાફ વચ્ચેની તડ દિવસે દિવસે વધતી જતી હતી. જેનો અંદાજો આ બાબતથી લગાવી શકાય છે કે જ. અબ્દુલ મુત્તલીબ(અ.સ.) સુરે ફીલની તફસીરની મરકઝ છે. જેના યકીનના પ્રકાશમાં કાબાને અબ્રહાના હાથે નુકશાન પહોંચાડવુ તો દૂરની વાત પણ તેના લશ્કરની સાથે તબાહ અને બરબાદ થઇ ગયા અને અબ્દુલ મુત્તલીબનો આ જુમ્લો આજે પણ ઇતિહાસમાં સુરક્ષિત છે કે આ કાબા અલ્લાહનું ઘર છે અને તે અલ્લાહ જ તેની હિફાઝત કરશે.<br />
જનાબે અબુતાલિબ(અ.)એ મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.)ની પરવરીશ અને કાળજી લેવામાં પોતાની પુરેપુરી કોશિશ કરી હતી અને તેમાં કોઇ કમી છોડી ન હતી. આ ઉપરાંત જનાબે ફાતેમા બિન્તે અસદ તો તન, મન અને ધનથી આપની કાળજી રાખવામાં એ સમયથી મશ્ગુલ હતા, જ્યારે આપ(સ.) આપની માદરે ગીરામી જ. આમેના(સ.)ના શિકમ મુબારકમાં હતા. ઇતિહાસમાં મળે છે કે યમનની શેહઝાદી જે યહુદી વંશમાંથી હતી તે કનીઝ બનીને જનાબે આમેના ખાતુનની ખિદમત રાત-દિવસ એટલા માટે કરતી હતી કે મૌકો મળતા જ જનાબે આમેનાને ખતમ કરી દેય પરંતુ તેની એક વર્તણુક જે આ પ્રકારની હતી તે કે જનાબે આમેનાના વાળોમાં કાંઇ સંતાડવા માંગતી હતી જેને જનાબે બિન્તે અસદે જોઇ લીધી. તે ભાગી ગઇ અને એક કાફલો જે યમન જતો હતો તેમાં ગઇ અને યમન પહોંચી ગઇ. જનાબે આમેના ખાતુનની ખિદમત ગુજારીમાં તે દિવસથી જનાબે ફાતેમા બિન્તે અસદ ૨૪ કલાક ખુબ જ હોશિયાર રહેતા હતા અને સાવચેત રહેતા હતા કે કયાક એ બીબીને કોઇ બીજો આંતરીક અથવા બહારના ખતરાનો સામનો ન કરવો પડે.<br />
જ્યારે જનાબે મોહમ્મદે મુસ્તફા(સ.) જનાબે અબુ તાલિબની પરવરીશ અને સરપરસ્તીમાં આવ્યા તો જનાબે ફાતેમા બિન્તે અસદ ઇસાર અને કુરબાનીનો એક નમુનો બની ગયા. એ અસફળ કાવતરાઓ જે દુશ્મનોની તરફથી રોજ બરોજ અલ્લાહના ચુંટેલા ખાસ બંદા મોહમ્મદ મુસ્તફા(સ.)ની બેઅસતના પહેલા જ, ત્યાં સુધી કે આપની વિલાદતની પહેલાથી મન્સુબા બનાવવામાં આવતા હતા. પરંતુ દરેક વખતે દરેક ષડયંત્રો ધુળ ચાટતા થઇ જતા હતા.<br />
બેઅસતથી પહેલાનો ઇતિહાસ અગર જોવામાં આવે તો ઘણા બધા બનાવો મળી આવે છે જે આપની સામે આવ્યા. જે આપના માટે જાન લેવા સાબિત થઇ શક્તા હતા. પરંતુ આપનો કિરદાર, આપની સિરત, આપની રીતભાત, પોતાના અને પારકાઓ સાથે આપની રફતાર અને ગુફતાર, ઉઠક-બેઠક ઉપરાંત આપની અમાનતદારીએ મક્કાના લોકોના દિલોમાં એવો સિક્કો જમાવી દીધો હતો કે જાહેલીય્યતના જમાનાના પથ્થર દિલોમાં મોહબ્બત અને ઇમાનદારીની લાગણી ઉભરવા લાગી.<br />
જ્યારે નબુવ્વતનું એલાન કરવામાં નહોતુ આવ્યું, મક્કાની જમીન પર વસવાવાળામાં જેહાલતના અંધકારને ચીરતી એક ઇન્સાની તહેઝીબ અને અખલાકી પરિવર્તનની આહટ સંભળાઇ રહી હતી. પરંતુ વર્ષોથી જેહાલતનો ભોગ બનેલી કૌમ કેવી રીતે આવા ઇન્કેલાબને સહન કરી શકે જે તેઓના બૂતો અને અંધશ્રધ્ધા પર ઘાતક ઘા પૂરવાર થઇ રહ્યો હોય. જેહાલતના સમય ઉપર તો ઘણી બધી ચર્ચાઓ થાય છે પરંતુ એહલે કુરૈશની જેહાલતો અને ખરાબ હાલતોની સાથે અમુક જમીનદારોના ઝુલ્મ અને સિતમની રિવાયતોથી આખી દુનિયામાં જ્યાં જ્યાં ઇન્સાની સમાજ મળી આવે છે, કદાચ એવી જેહાલતોના બનાવો બીજી કોઇ જગ્યાએ બન્યા નથી.<br />
જનાબે ઝહરા(સ.અ)નો એ ખુત્બો જે ફદકના મુકદ્દમામાં તેમણે ઇરશાદ ફરમાવ્યો હતો તેના એક એક શબ્દથી તે ખરાબ હાલત, ખામીવાળી વિચારધારા, બેઇમાની, આર્થિકની તુટતી નસો બધી બાબતો પરથી પર્દો હટી જાય છે. એવા માહોલ અને વાતાવરણમાં જે કૌમની સવાર-સાંજ પસાર થતી હોય, અગર એક તસવ્વુર ઝહનમાં આવી જાય અને તેના પછી જનાબે અબ્દુલ્લાહના યતીમનું એલાને નબુવ્વત કરવું, લાએલાહ ઇલ્લલ્લાહની અવાજ બુલંદ કરવી, બૂતને તોડી પાડવા આગળ વધવું અને તેઓની વિરૂધ્ધ અવાજ બુલંદ કરવો, વિરોધ, કત્લો ગારતની જીંદગીનો સામનો કરવાનો હતો. દાવતે ઝુલઅશીરા ગવાહ છે કે કેવી રીતે પેટ ભરીને હાઝેરીન લોકો લાલ-પીળી આંખો કાઢીને બેઠકમાંથી ઉઠીને ચાલ્યા ગયા હતા. અગર કોઇ રહ્યું હતુ તો અલ્લાહ તઆલાનો રસુલ અને રસુલે અકરમના વસી અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.).<br />
જેવું એલાને નબુવ્વત થયું, લાએલાહ ઇલ્લલ્લાહનું સુત્ર બલંદ થયું, તેવો મક્કાની જમીન પર ઝલઝલો આવી ગયો. ચારે બાજુ હલચલ થઇ ગઇ. તલવારો પર ધાર ચઢવા લાગી. બાળકોના હાથોમાં પત્થર હતા.<br />
મોટી ઉમરના લોકો પોતાના બૂતોના ગઝબનાક થવાથી ડરી રહ્યા હતા, પરંતુ સાથો સાથ એવું પણ હતું કે એ અવાજને, એ મીશનને, એ ઇલાહી તબ્લીગી ચળવળને ભલે પછી જાન દેવી પડે કે લેવી પડે તેને રોકવુ જરૂરી છે. આથી અત્યાચાર કરવાના કાવતરા ઘડવામાં આવ્યા. ટોળાબંધ લોકો એ અવાજને બંધ કરવા માટે સખ્તાઇ પૂર્વક ઉભા થઇ ગયા.<br />
સૌથી પ્રથમ અને સૌથી મોટુ અને ખતરનાક કાવતરૂ:<br />
બાનીએ ઇસ્લામ, ખત્મુલ મુરસલીન, મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) અબુ સુફીયાનની નવી નવી સાજીષોથી પસાર થતા શેઅબે અબુ તાલિબના ત્રણ વરસ જે તકલીફો અને મુસીબતોમાં પસાર થયા ફક્ત તેનું વર્ણન દિલને બાળી નાખે તેવું છે અને ઝબાન પર છાલા પડી જાય છે. તો જે પવિત્ર નફસો પર એ સખ્ત સમય આવી પડ્યો હતો તેમની શું હાલત થઇ હશે. પરંતુ ઇસ્લામી શરીઅત જે અલ્લાહની અમાનત હતી તેને એ અમીને જેણે પોતાની અમાનતદારીનો સિક્કો મક્કાના કાફીરો પર જમાવી દીધો હતો તેના પર જરાયે પણ આંચ આવવા ન દીધી અને અંતે મક્કાની સરજમીન પર ખૈર આબાદ કહીને પોતાના અસ્હાબોની સાથે મદીને મુનવ્વરાની તરફ હિજરત કરી ગયા. અહીં ઇસ્લામની પનાહના સ્તરમાં જ્યાં મુહાજીર હતા ત્યાં અન્સાર પણ હતા. એકે મહેમાનદારીનો હક અદા કર્યો તો બીજાએ મેઝબાનીનો. ત્યાં સુધી કે સીગએ ઉખુવ્વતની ઠંડી છાયામાં સૌ સરખા થઇ ગયા. અહીં સુધી કે સમાનતાનો અમલ સામાન્ય થઇ ગયો કે ગુલામની ગરદનમાંથી ગુલામીની રસ્સી તૂટવા લાગી. અગર પ્રથમ કાવતરૂ શેઅબે અબુ તાલિબમાં કૈદ થવાનુ હતું તો બીજું કાવતરૂ હિજરતના સમયે સામે આવ્યું.<br />
બીજુ નિષ્ફળ કાવતરૂ :<br />
હિજરત<br />
સૌથી મોટુ ખતરનાક અને ખામોશ સાજીશની સાથે એ નક્કી થયું કે દરેક કબીલાના સરદાર રાતના એકાંતમાં અલ્લાહના રસુલ મોહમ્મદ મુસ્તફા(સ.) પર એક સાથે હુમલો કરશે. ન રહેશે મોહમ્મદ અને ન રહેશે ઇસ્લામનું મીશન. પરંતુ મોહમ્મદ(સ.)ના બિસ્તર પર અલી(અ.સ.)ને જોઇને દરેક કબીલાના સરદારની તલવાર મિયાનમાં છુપાઇ ગઇ. અગર કોઇ બોલી રહ્યું હતુ તો તે ચાદર જેને ઓઢીને અલી(અ.સ.) પેહલી રાત ગાઢ નીંદ્રામાં સુતા હતા. મક્કાના કાફીરોની આ નિષ્ફળતાએ વિનાશનું કાંડુ તોડી નાખ્યું.<br />
ત્રીજુ નિષ્ફળ કાવતરૂ :<br />
જ્યારે જનાબે જાફરે તય્યારે સુરે મરીયમની તિલાવત કરી અને હબશનો બાદશાહ રોવા જેવો થઇ ગયો અને તે મક્કાના કાફિરો જે તેમની ગીરફતારીના કાવતરાની સાથે સોનુ અને ઘરેણાના અમૂલ્ય તોહફાની સાથે ગયા. પોતાની નિષ્ફળતાના અંજામ જોઇને મોઢુ પડી ગયું અને મક્કા પાછા આવ્યા હતા.<br />
ચોથુ નિષ્ફળ કાવતરૂ :<br />
મક્કાની જમીન પર એક હલચલ મચી હતી અને મદીનામાં ઇસ્લામની વસંત આવી હતી. વર્ષો જુની દુશ્મની બની ખજરજ અને બની ઔસની ખત્મ થઇ હતી. મુહાજીરોને એહતેરામની નજરથી જોવામાં આવતા હતા. રસુલે ખુદા (સ.)ની ઉંટણીએ અબુ અય્યુબ અન્સારીની ચૌખટને ઝિયારત ગાહ બનાવી દીધી હતી. ખુશ આમદીદના કાફલા અહી આવીને ઉતારો લેતા હતા. મદીનાના હોદ્દેદાર યહુદીની મક્કા તરફ આવન જાવન ઝડપી થઇ ગઇ હતી. મક્કાની સરદારી અબુ સુફયાનના હાથમાં હતી. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે ગઝવાતનો સિલસિલો શરૂ થઇ ગયો. એક પછી એક નિષ્ફળ કાવતરાઓ સામે આવવા લાગ્યા. મોટી મોટી નાજુક પરિસ્થિતિ આવવા લાગી. પ્રથમ જંગ બદ્રની જંગ હતી. અલી(અ.સ.)ના હાથે આ જંગમાં ફતેહ મળી. પરંતુ જંગે ઓહદમાં કાવતરાબાજીમાં યહુદીઓ અને મક્કાના કાફીરોએ મળીને મોટી ચાલાકી અને વિચાર વિમર્શ પછી આ તારણ ઉપર આવ્યા કે ઇસ્લામના જાંનિસારોની સામે જંગ એ સમયે જીતી શકાય જ્યારે આપણા માણસોને તેમના સિપાહીઓમાં શામિલ કરી દઇને એક આંતરિક લડાઇની સૂરત પૈદા કરવામાં આવે અને આ નકશા ઉપર અમલ કરતા અબ્દુલ્લાહ ઇબ્ને ઓબેએ ઇસ્લામમાં એક જગ્યા બનાવવાની કોશિશ કરી અને સફળ પણ થઇ ગયો. તેણે પોતાની પુત્રીની શાદી હન્ઝલા બીન આમીર સાથે કરી દીધી. બંનેની ખુબ જ દોસ્તી હતી. ખુદાની મસ્લેહત કોણ જાણે. હન્ઝલાએ સાચા દિલથી ઇસ્લામ કબુલ કર્યો અને રાહે ઇસ્લામમાં શહાદતની તમન્ના તેના દિલમાં જાગી .<br />
દરેક ફિર્ઓન સામે મુસાનુ ઉદાહરણ મશહુર છે. જંગે ઓહદમાં અબ્દુલ્લાહ ઇબ્ને ઓબે ત્રણસો આદમીને લઇને મદીના પાછો આવ્યો જેના લીધે ૧૦૦૦ ના લશ્કરમાં ફક્ત સાતસો જંગ કરવાવાળા રહી ગયા. ઓહદની જંગ પણ અલી (અ.સ.)ના હાથે ફતેહ થઇ. મોટુ નુકશાન થયુ. ખુબ જ મહાન શખ્સીયતો શહીદ થઇ ગઇ. અલ્લાહ તઆલાના રસુલ(દુરૂદ અને સલામ થાય આપ પર અને આપની આલ પર)ના દાંત શહીદ થયા. અલી(અ.સ.)ના શરીર પર ૯૯ જખ્મો લાગ્યા, પરંતુ જ્યારે ક્ષિતિજ પરથી વાદળો હટ્યા તો ત્યારે કાવતરા બાજો અને રાજકારણી લોકોના ચહેરા સામે આવી ગયા અને હવે આ યોજના તૈયાર થવા લાગી કે જેટલુ રસુલ(સ.)ની નજીક જઇ શકાય તેમ હોય તેટલા જઇને પોતાની સીયાસતની આડમાં પોતાની જાંનિસારી અને સહાબીય્યતની ભુમિકા તૈયાર કરીને ઇતિહાસને ધરી દેવું અને ધીમે ધીમે હુકમત બનાવવાની જમીન તય્યાર કરતા રહ્યા.<br />
કાબા અલ્લાહ તઆલાનું ઘર. મોહમ્મદે મુસ્તફા(સ.) અલ્લાહ તઆલાના રસુલ. ઇસ્લામ અલ્લાહ તઆલાનો દીન. અગર આખી દુનિયાની તાકત સમેટાઇને વિનાશ પર ઉતરી આવે તો નાકામી સિવાય કશું નહી મળે અને હવે તો ઇસ્લામના મુળીયા મજબુત થઇ ગયા હતા.<br />
અલ્લાહ તઆલાએ પોતાના હબીબને એક એવો વસી ઇનાયત કર્યો હતો કે જેના માટે ડોકટર ઇકબાલ તમન્ના કરે છે આમ કહીને કે<br />
જીસે નાને જવી બક્ષી હે તુને<br />
ઉસે બાઝુએ હૈદર ભી અતા કર<br />
જે ખૌફે ખુદાથી મુનાજાતના સમયે સુકાઇ ગયેલી લાકડી જેવા જીવ વગરના લાગતા હતા અને જ્યારે મૈદાને જંગમાં અરબના પહેલવાનો તેમનું નામ સાંભળીને અડધા મરી જતા હતા. હવે ઇસ્લામની ફીઝામાં એ અવાજ ગુંજી રહી હતી. લા ફતા ઇલ્લા અલી લા સય્ફ ઇલ્લા ઝુલ્ફીકાર. કોઇ જવાન બહાદુર નથી સિવાય અલી(અ.) અને કોઇ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર.<br />
બીજી બાજુ કાવતરા બાજીના વમળમાં અમૂક ઓળખીતા એ સમયે પોતાનું તમામ બળ વાપરતા હતા કે આજે નહી તો કાલે એક અલી અને એક ઝુલ્ફીકારની સામે બીજું કોઇ પાત્ર અગર નહી લાવીએ તો અલી(અ.)ના હાથો પર ઇસ્લામનો પરચમ પુરી દુનિયામાં લહેરાવવા લાગશે.<br />
આથી ખલીફએ અવ્વલના સમયમાં માલીક ઇબ્ને નુવેરાના કાતિલ અને તે રાતે તેમની પત્નિ સાથે હમબીસ્તરી કરવાવાળા ગુનેહગાર ખાલીદને સૈફુલ્લાહ (અલ્લાહની તલવાર)ના સંબોધનથી ખલીફએ અવ્વલે નવાજ્યો અને આજની દુનિયામાં ઉર્દુમાં એક કિતાબ અલ્લાહની તલવારના નામથી પ્રકાશિત થઇને સામાન્ય લોકોની દ્રષ્ટિ સમક્ષ આવી ગઇ છે અને આ ચર્ચા ઇસ્લામમાં સામાન્ય રીતે થવા લાગ્યા છે કે શું કોઇ એવો ઇસ્લામમાં પૈદા થયો છે જેણે ન ક્યારેય હાર માની હોય અને ન જંગથી ભાગ્યો હોય અથવા પીઠ દેખાડી હોય સિવાય ખાલીદ બીન વલીદના. આને સફેદ જુઠ, હળહળતુ જુઠ કહેવાય છે. વિચિત્ર પ્રકારના રંગ અને તરંગના સુત્રો અને નારાઓ ગુંજવા લાગ્યા જેના પરિણામે ઇતિહાસને વાંચવાવાળા મોટા ભાગના તારીખ વાંચીને ચીલ્લાઇ ઉઠી કે ઇસ્લામની વાતોમાંથી ખુનની વાસ આવે છે.<br />
ઇસ્લામના દુશ્મનોના કાવતરાઓ મક્કાના કાફિરોમાં ખુલ્લેઆમ પોતાની ચળવળ અને સખ્તાઇની સાથે આવ્યા હતા. પરંતુ મદીનામાં મુનાફીકો ધીમે ધીમે ઇસ્લામની નકાબ ઓઢીને જે અંદાજથી સામે આવ્યા તેનો એક હદ સુધી ખુલાસો ઇસ્લામની શરૂઆતની રસુલે ખુદા(સ.)ની પાક હયાત સુધી કલમના હવાલે કરી શકુ છું પરંતુ તેના પરિણામ એટલા બધા ગમનાક હતા કે ૬૧ હીજરી સુધી તમામ ઇસ્લામી મૂલ્યો પાયમાલ થવાની અણીએ આવી પહોંચ્યા હતા અને યઝીદ પોતાના ભૂતકાળનો એ પ્રતિનિધિ હતો જેણે પોતાની ચળવળને ઇબ્ને ઝિયાદ સાથે મળીને ઇસ્લામના ખાતેમાનુ એલાન કરી રહ્યો હતો અને પોતાના કસીદામાં તેણે કહ્યું ‘ન કોઇ વહી આવી, ન કોઇ દીન આવ્યો’ બની હાશિમે એક ખેલ ખેલ્યો હતો જેને તેણે (પોતાના નાકીસ ખયાલમાં) ખત્મ કરી દીધો જાણે ઇસ્લામની હવે કોઇ કદરો કીંમત બાકી નથી અને હુકુમત સાજી, બાદશાહત અને મુલ્કગીરી, ઝુલ્મ અને સખ્તાઇ એ કાનૂન બનાવવાનો ઝરીઓ છે.<br />
લેખકો ઇસ્લામને તબાહ કરવાવાળાના નિષ્ફળ ષડયંત્રોને ધ્યાનમાં રાખીને ઇતિહાસના બહુ જ મોટા વળાંકની તરફ એમાંથી અમૂકની તરફ દાવતે ફિક્ર અને દ્રષ્ટિ આપી છે અને અહી વાંચકોને કરબલાની અઝીમ અને અખ્લાકી કદ્રોની તરફ લઇ જવાનો હેતુ હતો. ઇન્શાલ્લાહ આવતા વખતે ઉપરોક્ત અનુસંધાનમાં એક પછી એક ઇસ્લામના અત્યાચારીઓના નાકામ મન્સુબાઓને વાંચકોની સમક્ષ કલમના હવાલે કરીશું. કરબલાની પહેલા અને કરબલાની પછી ઇમામ હુસૈન (અ.સ.)એ કેવી રીતે મન્સુબા બાજીના કિલ્લાઓનો નાશ કર્યો, તેનો જાએઝો લેવાની કોશિશ કરીશું.<br />
આ ઉપરાંત :<br />
&#8220;ચૂન ખિલાફત રીશ્તે અઝ કુર્આ ગીસખ્ત,<br />
રફતા રફતા ઝહેરઅન્દ કામ રેખ્ત<br />
આ ઝહેર ઝમાનાની સાથે સાથે ફેલાતુ ગયું અને તેની અસરો હુકમરાનીના એ અસબાબ (પરિબળો) તય્યાર કરવા લાગ્યું કે જેના નીચે એવા કાનૂનો બનવા લાગ્યા જેનાથી કમઝોરોની અવાજ દબાવી દેવામાં આવે અને ઝુલ્મો સિતમની રગોમાં ખૂન દોડવા લાગે અને રિસાલત મઆબની તાલીમાતના મૂળ અને પાયાને કમઝોર કરી દેવામાં આવે.<br />
આથી અડધી સદીમાં મોટા મોટા તોફાન ઉઠ્યા. શામમાં મોઆવીયાનું બળ વધી ગયું. બની ઉમય્યાની સાજીશો હવે રંગ લાવી રહી હતી. ઇસ્લામના વર્તુળમાં રહીને ફિક્ર અને વિચારોમાં એક જબરદસ્ત બદલાવ આવી ચૂક્યો હતો. શરીઅતના આડમાં હુકુમત સાજીના તબાહકારીના મન્સુબા સક્રિય થતા દેખાતા હતા. આ રીતે ઇમામ અલી(અ.સ.)ની શહાદત બાદ ઇસ્લામની બુનિયાદ હલી જશે અને હુકમત સાજીનું મેદાન સાફ થઇ જશે.<br />
આ વિચારધારાની નીચે ઇમામ અલી(અ.સ.)ની શહાદતના ૨૦ વરસ સુધી જ્યારે જોયું કે માહોલ બરાબર છે. યઝીદ અને અમ્રે આસે શામની હુકુમતની સરદારીના નશામાં આવીને તેમના છીપાયેલા મન્સુબાઓ પરથી પર્દો ઉઠાવી લીધો અને ખુલ્લીને સામે આવી ગયા. પરંતુ તે સલાહકારો અઝમે હુસૈની અને ઇરાદાઓથી વાકીફ હતા અને તે જાણતા હતા કે આ એ ઝાત છે જે એકાંતની જીંદગીમાં રાત દિવસ ઇબાદતમાં મશ્ગુલ રહે છે. તે વિનાશકારોનો સામનો કરશે પરંતુ હુસૈની અવાઝ દબાવવામાં તેમની એટલી મોટી તાકત પૂરતી છે. ઇમામ હુસૈન(અ.સ.)ની સામે ઇસ્લામના વિનાશકારોની બધી પ્રયુક્તિ હતી. આપે ૨૮ રજબે મદીના છોડી દીધુ અને મક્કામાં કયામ બાદ કુફાની તરફ રવાના થયા અને આ રીતે કરબલાને સજાવ્યું અને એ રોનક અને હમેશગી અને એવા ચિરાગ રોશન કર્યા કે મુતવક્કીલ અને સદ્દામહુસૈન જેવા ઝાલિમોના બસમાં ન હતું કે કરબલાની અઝમત અને વકારને કોઇ સદમો પહોંંચાડી શકે હજી દુશ્મનાને ઇસ્લામના મન્સુબાઓની એક મોટી ફેહરીસ્ત છે. આપણે તેનો એક અભ્યાસ કરીશું જે કરબલાના બાદ સુધી પહોંચે છે.<br />
અંતમાં એટલો ઇશારો કરતો જાવ છું કે કરબલાના મહાન બનાવના પછી જ્યારે મુખ્તાર સકફીએ કયામ કર્યો તો તેની સાથે સાથે અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની પણ બગાવત હતી. જેનો મકસદ બની ઉમય્યાની દુશ્મની હતી, ખુને હુસૈનનો ઇન્તેકામ ન હતો. તેની આ બગાવતે ખુબ જ નુકશાન પહોંચાડયું જેનાથી ઘણા લોકો એહલેબૈત (અ.મુ.સ.)ની તાલીમાતના ઝરણાથી સૈરાબ ન થઇ શક્યા અને ફરી એજ હુકુમતનો નશો માથા પર સવાર થઇ ગયો. પરંતુ બહાદુર મુખ્તાર અને તેમના સાથીઓ જેમકે ઇબ્રાહીમ બીન માલીકે અશ્તર વિગેરેએ કાતિલાને હુસૈનથી ભરપૂર ઇન્તેકામ લઇ લીધો અને હુસૈની મીશનને કયામત સુધી રોશન કરી દીધુ. હાલાકે આ જ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની ફોજે આપને કત્લ કરી દીધા તે સમયે જનાબે મુખ્તારની ઉમ્ર ૬૭ વરસની હતી.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=700</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આશુરાએ હુસૈનીના ન કહેલા પાસાઓ</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=698</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=698#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:31:09 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=698</guid>
		<description><![CDATA[આશુરા શબ્દ સાંભળતા જ ઇમામ હુસૈન(અ.સ.)અને તેમના અસ્હાબની કુરબાની નજરોની સામે આવી જાય છે. અને બીજી તરફ અલ્લાહના માટે કુરબાની દેવાનો જઝબો અને શોખ પૈદા થાય છે. અને કદાચ આ જ તે અગત્યનું કારણ છે અને આ જ એ રહસ્ય છે જેના માટે એહલેબૈત(અ.મુ.સ.)એ દરેક ઝમાનામાં આ કોશિશ કરી છે કે આશુરા જીવંત અને ઝળહળતુ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>આશુરા શબ્દ સાંભળતા જ ઇમામ હુસૈન(અ.સ.)અને તેમના અસ્હાબની કુરબાની નજરોની સામે આવી જાય છે. અને બીજી તરફ અલ્લાહના માટે કુરબાની દેવાનો જઝબો અને શોખ પૈદા થાય છે. અને કદાચ આ જ તે અગત્યનું કારણ છે અને આ જ એ રહસ્ય છે જેના માટે એહલેબૈત(અ.મુ.સ.)એ દરેક ઝમાનામાં આ કોશિશ કરી છે કે આશુરા જીવંત અને ઝળહળતુ રહે.<br />
આજે આપણી પાસે ખાસ કરબલાના વિશે સેંકડો મકતલની કિતાબો મળી આવે છે. એના વિશે એમ તો નથી કહી શકતા કે તમામના તમામ ઇલ્મે રેજાલના મેયાર પર ખરા ઉતરે છે પરંતુ એ વાત તેની જગ્યાએ સો ટકા સહીહ છે કે તેમાંથી ઘણી બધી રિવાયતો અને હદીસો સો ટકા આશુરાના બનાવની તસ્વીર છે અને આ તમામ એહલેબૈત (અ.મુ.સ.) અને તેમના માનવાવાળાઓની કોશિશોનું પરિણામ છે. નહિંતર આપણે જ્યારે ઈતિહાસના પાનાઓ ફેરવીએ છીએ તો એક બાજુ આપણને આશુરાની અઝમત અને મહાનતાને બતાવવાવાળા લોકો નજરે પડે છે તો બીજી તરફ આશુરાની અઝમત ઓછી કરવા અને આશુરાને ઇતિહાસમાંથી ભુંસવાવાળા લોકો પોતાની પુરી શક્તિને વાપરતા નજરે આવે છે. આ લેખમાં એ બંને પહેલુઓ પર એક ઉડતી નજર નાખવાની એક અદના કોશિશ કરવામાં આવી છે. (નોંધ: વાતને શરૂ કરતા પહેલા એ હકીકતનો સ્વિકાર જરૂરી છે કે એહલેસુન્નતના આલિમો અને સુફીઓમાં એવા લોકોની સંખ્યા ઘણી છે જે ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બતથી તરબોળ છે અને યઝીદથી બેઝાર છે. તેઓ યઝીદને કાતિલ માને છે, લઅનતને પાત્ર ગણે છે, તેમજ ઇમામ હુસૈન(અ.સ.)ના ઝિક્રને તેમની શહાદતના ઝિક્રને પોતાના માટે ફખ્ર અને નજાતનો સામાન ગણે છે. પરંતુ અમુક એવા પણ છે જે શહાદત અને મસાએબના ઝિક્રને સારૂ નથી ગણતા. નીચે એમાંથી અમુકનો ઉલ્લેખ છે. નહિતર મોટાભાગના લોકો ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીમાં શરીક થાય છે.)<br />
(૧) ઇરફાન અને તસવ્વુફનો રસ્તો:<br />
શૈખ અબ્દુલ કાદર જીલાની, એહલે સુન્નતના ઉચ્ચ દરજ્જાના આલિમ અને સુફી માનવામાં આવે છે. બગદાદમાં તેમની કબ્ર ઝિયારતગાહ બનેલી છે. તેઓ એહલે સુન્નત પર થવાવાળા વાંધાઓનો ઝિક્ર કરતા કહે છે:<br />
કદ્ તઅન કવ્મુન અલા મન હાઝા સામ અલ્ યવ્મ અલ અઝીમ. વ મા વરદ ફીહે મેનત્તઅઝીમે વ ઝઅમુ અન્નહુ લા યજૂઝો સેયામહુ લે અજલે કત્લીલ હુસૈન ઇબ્ને અલી રઝેયલ્લાહો અન્હોમા ફીહે. વ કાલુ યન્બગી અન તકુનલ અલ મુસીબતો ફીહે આમ્મતન લે જમીઇન્નાસે લેફકદેહી ફીહે વ અન્તુમ તત્તખેઝૂનહુ યવ્મ ફરહીન વ સોરૂરીન વ તઅમોરૂન ફીહે બીત્તવ્સેઅતે અલલ અયાલે વન્નફકતીલ કસીરતે વસ્સદકતે અલલ ફોકરાએ વઝ ઝોઅફાએ વલ મસાકીને વ લય્સ હાઝા મિન હક્કીલ હુસૈન અલા જમાઅતેહીલ મુસ્લેમીન.<br />
&#8220;અમૂક લોકો એહલે સુન્નત પર એઅતેરાઝ કરે છે કે શા માટે આશુરાના દિવસે રોઝા રાખે છે, આ કામ સહીહ નથી, કારણકે તે દિવસે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) શહીદ થયા છે અને યોગ્ય છે કે મુસીબતના દિવસે (રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદની શહાદતના દિવસે) તમામ લોકો અઝાદારી કરે, જ્યારે કે તમે એહલે સુન્નત લોકો શા માટે તે દિવસને ખુશી અને જશ્નનો દિવસ ગણો છો? અને લોકોને ખુશી મનાવવા નવા કપડા પહેરવા અને ઇદના સંબંધિત સારૂ ખાવાની દાવત આપો છો? આપ લોકોનું આ કામ સહીહ નથી.<br />
પછી પોતે જવાબ આપતા લખે છે કે&#8230;<br />
વ હાઝલ કાએલો ખાતેઇ વ મઝહબોહૂ કબીહુન ફાસેદુન લે અન્નલ્લાહ તઆલા ઇખ્તારલે સિબ્તે નબીય્યેહી (સ.અ.વ.) અશ્શહાદત&#8230;.યવ્મો આશુરાહ લા યુત્તખઝો યવ્મો મુસીબતીન લે અન્ન યવ્મ આશુરહ અંય યુત્તખઝો લય્સ બે અવ્લા મિન અંય્ યુત્તખઝો યવ્મો મવ્તેહી ફરેહુન વ સોરૂરૂન<br />
&#8220;આવુ માનનારાએ ભૂલ કરી છે, અને તેનો અકીદો ગલત અને ખરાબ છે, કારણકે અલ્લાહ તઆલાએ પયગમ્બર (સ.અ.વ.)ના નવાસા માટે શહાદતને પસંદ કરી છે&#8230; અને આશુરાના દિવસને મુસીબતનો દિવસ ગણવો ન જોઇએ કારણકે આશિક પોતાના માશૂકની પાસે પહોંચી ગયો છે. એટલા માટે આ દિવસ ખુશીનો દિવસ ગણવો જોઇએ.<br />
અબ્દુલ કાદિર જીલાની આગળ લખે છે &#8230;<br />
વ લવ જાઝ અન નત્તખેઝ યવ્મ મવ્તેહી યવ્મ મુસીબતીન્ લ કાન યવ્મુલ ઇસ્નૈને અવ્લા બે ઝાલેક એઝા કબઝલ્લાહો તઆલા નબીય્યહૂ મોહમ્મદન્(સ.અ.વ.) ફીહે વ કઝાલેક અબુબકર સીદ્દીક કોબેઝ ફીહે.<br />
&#8220;અગર આશુરાના દિવસને ગમ અને અઝાદારીનો દિવસ ગણવો હોય તો બેહતર એ છે કે સોમવારના દિવસને અઝાદારીઓ દિવસ ગણવો જોઇએ, કારણકે નબીએ અકરમ (સ.અ.વ.) અને અબુબકર સીદ્દીકની રૂહો આ દિવસે કબ્ઝ કરવામાં આવી છે.<br />
(સ્પષ્ટતા: કમઝોર યથાર્થતા પર તઅસ્સુબની શાહી એ જોવાની શક્તિ અને બસીરત બંન્ને છિનવી લીધી.)<br />
(૨) તકવા અને પરહેઝગારીનો તરીકો:<br />
ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતમાં શંકા અને કુશંકા પૈદા કરવા માટે અમૂક લોકો તકવા અને પરહેઝગારીનો રસ્તો અપનાવે છે. ગઝાલી પોતાની કિતાબ અહ્યાઉલ ઓલુમુદ્દીનમાં તકવા અને પરહેઝગારીનું બહાનું બનાવીને કોશીશ કરે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીનું મહત્વ ઘટાડી દેય, તે લખે છે કે પ્રથમ તો ઇમામ હુસૈન(અ.સ.)નું કત્લ યઝીદથી મનસુબ હોય અને યઝીદ કાતીલ છે એ સાબિત નથી. અને બીજુ એ કે ઇમામ હુસૈન(અ.સ.)નો કાતિલ ગમે તે હોય કદાચ મરવા પહેલા તૌબા કરી લીધી હોય. આ કારણે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલ પર લઅનત મોકલવી જાએઝ નથી. (આને ગભરાટ કહે છે.)<br />
(અહ્યાઉલ ઓલુમુદ્દીન, ભાગ:૩ પાના:૧૨૫)<br />
અને આગળ લખે છે કે:<br />
‘ઇન્સાફની વાત તો એ છે કે અઝાદારી કરતા અલ્લાહનો ઝિક્ર બહેતર છે, એટલેકે ‘લા એલાહ ઇલ્લલ્લાહ’. ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો ઉપર લઅનત કરવા કરતા ‘લા એલાહ ઇલ્લલ્લાહ’ કહેવુ બેહતર છે.<br />
(૩) આશુરાનો મૂળથી ઇન્કાર અથવા જુઠલાવવુ:<br />
ઇબ્ને તૈમીયા આશુરાનો ઇન્કાર કરવા માટે આ રીત અપનાવે છે અને તે કહે છે કે યઝીદે હરગીઝ ઇમામ હુસૈન (અ.સ.)ને કત્લ નથી કર્યા, અને ન તો તેણે એહલેબૈત (અ.મુ.સ.)ને કૈદી બનાવ્યા, અને આ બાબતો એકદમ જૂઠ છે. તે આ રીતે લખે છે કે&#8230;<br />
ઇન્ન યઝીદ લમ્ યઅ્મુર બે કતલીલ હુસૈને બે ઇત્તેફાકે અહલીન્નકલે વલાકિન અન્ન ઇબ્ન ઝિયાદ અન્યમ્નઅહૂ અન્ વલાયતિલ્ અરાકે વલ હુસૈને રઝેયલ્લાહો અન્હો કાન યઝુન્નો અન્ન અહ્લિલ્ અરાકે યન્સોરૂનહૂ&#8230;ફ કાતલૂહો હત્તા કોતેલ શહીદન્ મઝ્લૂમન્ રઝેયલ્લાહો અન્હો.<br />
વલમ્મા બલગ ઝાલેક યઝીદ અઝ્હરત્ તવ્જઅ અલા ઝાલેક વ ઝહરલ્ બુકાઅ ફી દારેહી વ લમ્ યસુબ્બ લહુ હરીમન્ અસ્લન્ બલ્ અક્રમ અહલબૈતેહી વ અજાઝહુમ્ હત્તા રદ્દહુમ્ એલા બલદેહીમ્<br />
(મિન્હાજુસ્ સુન્નત, ભાગ:૪, પાના: ૪૭૨)<br />
&#8220;ચોક્કસ યઝીદે ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવાનો હુકમ આપ્યો ન હતો (અને તમામ ઓલમાઅ, રાવી અને ઇતિહાસકારો) આ બાબતે એક મત છે કે યઝીદે ફક્ત ઇબ્ને ઝિયાદને પત્ર લખ્યો હતો કે તંમ ઇમામ હુસૈન(અ.સ.)ની હુકુમત ઇરાકમાં સ્થાપિત થવા દેજે નહી.<br />
તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે જંગ કરવા તૈયાર થઇ ગયા ત્યાં સુધી કે તેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ને મઝલુમીય્યત પૂર્વક શહીદ કરી દીધા અને જ્યારે આ ખબર યઝીદ સુધી પહોંચી તો તે ખુબ જ નારાજ થયો અને તે રોવા લાગ્યો અને તેણે હરગીઝ એહલેબૈત(અ.મુ.સ.)ને કૈદી નથી બનાવ્યા પરંતુ તેમને ઇઝ્ઝત અને એહતેરામની સાથે તેમના શહેરમાં મોકલી દીધા.<br />
અને આગળ તે લખે છે:<br />
લય્સ મા વકઅ મીન્ ઝાલેક બે અઅ્ઝમે મીન્ કત્લીલ્ અંબિયા&#8230;. વ કતલુન્ નબીય્યે અઅ્ઝમો દુનયા વ મુસીબતન<br />
(મિન્હાજુસ્ સુન્નત, ભાગ:૪, પાના: ૫૫)<br />
&#8220;હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ના કત્લની મુસીબત અને ગુનાહ અંબિયાથી વધીને તો નથી ને તો પછી આવો અંબિયાની શહાદત પર ગીરયા અને માતમ કરીએ.<br />
વાંચકો! આપે જોયું કે એહલે સુન્નતના ઓલમા જુદા જુદા પ્રયુક્તિ અને બહાનાથી આશુરાનું મહત્વ ઘટાડવા માટે હંમેશા કોશિશમાં રહે છે અને આજે પણ અલગ અલગ અંદાજમાં તેઓ કાર્યરત છે. ક્યારેક બીદઅત અને હરામ હોવાનો ફતવો આપીને તો ક્યારેક અયોગ્ય એઅતેરાઝથી આશુરાની એહમીયત ઓછી કરવા ચાહે છે. હવે દરેક ન્યાયપ્રિય શખ્સના દિમાગમાં આ સવાલ પૈદા થાય છે કે શા માટે તેઓ આ મહાન બનાવને જુઠલાવી રહ્યા છે. તેનો સીધો જવાબ એ છે કે અઝાદારી એક ઇન્કેલાબી નારો છે જેનું તીર મોઆવીયા, મોઆવીયાના અસ્હાબની છાતીને વિંધી નાખે છે. અગર આપણે વારંવાર ઇમામ હુસૈન(અ.સ.)નું નામ લેશું તો દરેક વ્યક્તિની જીભ પર આ સવાલ આવશે કે કોણે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લના કારણો પુરા પાડ્યા તો ચોક્કસ મોઆવીયા ઇબ્ને અબી સુફયાનનું નામ આવશે. એટલા માટે આ લોકો આશુરાની વિરૂધ્ધ છે અને તેને જુઠલાવે છે. જેથી તે સહાબાને બચાવી શકે જે મોઆવીયા અને યઝીદની જેવા છે અને જેઓએ યઝીદની બયઅત કરી હતી. હવે અગર તેઓને બચાવવા હોય તો આશુરાનો ઇન્કાર જરૂરી છે અને આ બાબત આપ સુન્ની આલીમોની જીભ પર ક્યાકને ક્યાક જોઇ શકો છો.<br />
દા.ત. યઝીદ ઉપર થવાવાળા એઅતેરાઝના વિશે અબ્દુલ મુગીસ હમ્બલ બગદાદી લખે છે કે તેના બાપના એહતેરામમાં તેને કાઇ ન કહેવું જોઇએ!!! હા, બેશક આપણે કહેવું ન જોઇએ. કારણ કે યઝીદ(લ.અ.) શરાબમાં ડુબેલો રહેતો અને પોતાના જ મહેરમની સાથે નિકાહ કરતો હતો. આ રીતે તફતાઝાનીને જોઇએ કે યઝીદ(લ.અ.)ના બચાવમાં લખે છે કે:<br />
ફ ઇન્ કીલ ફ મીન્ ઓલમાઈલ્ મઝ્હબે મન્ લમ્ યજુઝઅલલઅન અલા યઝીદ મઅ ઇલ્મેહીમ્ બે અન્નહુ સયહક્કો મા યરબુ અલા ઝાલેક વ યઝીદ. કુલ્ના લહુ તહામેયન મીન્ અન્ યર્તકેય એલલ અઅલા ફલ અઅલા.<br />
અગર લોકો કહે કે મઝહબના ઓલમા યઝીદ ઉપર લાનતને જાએઝ નથી ગણતા જ્યારે કે આપ જાણો છો કે તે લાનતનો હકદાર છે તો તે લોકો લાનતના વધારે હકદાર છે. કારણ કે યઝીદ પર લાનત કરવાથી રોકે છે. આ રીતે આ સિલસિલો આગળ સુધી જશે.<br />
(શર્હે મકાસીદ, ભાગ: ૫, પાના: ૩૧૦)<br />
તેના જવાબમાં કહે છે કે યઝીદ પર લાનતથી એટલા માટે રોકુ છું કે ક્યાક આ લાનત તેના બાપ સુધી ન પહોંચી જાય અને બાપથી બુઝુર્ગો સુધી ન પહોંચી જાય.<br />
આશુરા પર થવાવાળા વાંધાઓમાં એક વાંધો એ છે કે ઇમામ હુસૈન(અ.સ.)ને ખુદ શીયાઓએ પત્રો લખીને બોલાવ્યા અને પછી તેઓને શહીદ કરી દીધા અને કત્લ કર્યા પછી આજ સુધી રોવે છે?! અત્યાર સુધીમાં આ વાંધાનો જવાબ હજાર વખત અને હજાર તરીકાથી આપી દેવામાં આવ્યો છે, કારણ કે વાંધો દરેક ઝમાનામાં શબ્દોને અને અંદાજને બદલીને કરવામાં આવે છે. એટલે તેનો જવાબ પણ હંમેશા દેવામાં આવવો જોઇએ. તેનો બેહતરીન જવાબ ખુદ સુન્ની લોકોની કિતાબોમાં મૌજુદ છે અને ખુદ સય્યદુશ્શોહદા(અ.સ.)ના કલામમાં પણ તેનો જવાબ હાજર છે. દા.ત. તબરી પોતાની સનદથી નકલ કરે છે કે ઇબ્ને ઝીયાદના લશ્કરમાં યઝીદ ઇબ્ને મઅકલ ઇમામ હુસૈન(અ.સ.)નો દુશ્મન હતો. બુરૈર ઇબ્ને ખુઝૈર જે કુફા શહેરના મશ્હુર કુર્આનના આલિમ હતા અને ઇમામ હુસૈન(અ.સ.)ના જાંનીસારો માંથી હતા, તેને કહે છે કે જુઓ અલ્લાહે તમારી કિસ્મતમાં આ દિવસ લખેલો હતો. બુરૈર હમદાનીએ જવાબ આપ્યો: ખુદાવંદે આલમે મારી કિસ્મતમાં ખુશનસીબી અને નેકી સિવાય કાંઇ નથી લખ્યું અને તારી કિસ્મતમાં બદબખ્તી અને હલાકત સિવાય કાંઇ નથી લખ્યું. યઝીદ ઇબ્ને મઅકલ કહે છે: તું જુઠ બોલી રહ્યો છે તું આના પહેલા પણ જુઠ બોલતો હતો. શું તને યાદ છે કે જ્યારે તમે બની લોઝાનના કબીલામાંથી આ પ્રકારનું જુઠ ઉસ્માનના માટે બકતા હતા અને મોઆવીયાને ગુમરાહ તેમજ ગુમરાહ કરવાવાળો દર્શાવતા હતા અને અલ્લાહને પોતાના બરહક પેશ્વા તેમજ હિદાયત કરવાવાળા દર્શાવતા હતા. બુરૈરે જવાબ આપ્યો: હું ગવાહી આપુ છું કે મારો અકીદો અને મારી માન્યતા આ જ છે જે તું કહી રહ્યો છે.<br />
યઝીદ ઇબ્ને મઅકલ કે જે જાણતો હતો કે તે અલી(અ.સ.)ની વિલાયત ઉપર ઇમાન ધરાવે છે આથી તેણે કહ્યું હું પણ ગવાહી આપુ છું કે તું ગુમરાહોમાંથી છો. બુરૈરે કહ્યું: શું તું પ્રથમ મુબાહેલા અને પછી મારી સાથે જંગ કરવા તૈયાર છો? યઝીદ ઇબ્ને મઅકલ: હા, તે સમયે બન્ને આગળ વધ્યા અને જંગ કરવા પહેલા હાથોને બુલંદ કર્યા અને દુઆ કરી કે જુઠા પર લાનત થાય અને અલ્લાહથી ચાહ્યુ કે જે હક ઉપર હોય તેને કામયાબ કરે અને જે બાતીલ ઉપર હોય તેનું વુજુદ મીટાવી દે અને પછી જંગની શરૂઆત થાય છે અને બુરૈર યઝીદ ઇબ્ને મઅકલને કત્લ કરી દે છે.<br />
(તારીખે તબરી, ભાગ: ૫, પાના: ૪૩૧-૪૩૩)<br />
આ વાકેઆથી ખ્યાલ આવે છે કે આશુરાના દિવસે જંગ અલી(અ.સ.) અને ઉસ્માનની હક્કાનીયત તેમજ અલી (અ.સ.) તથા ઉસ્માનની માન્યતાની વચ્ચે હતી. મુબાહેલાના પરિણામે અલી(અ.સ.)ના પૈરવકાર બુરૈર સફળ થાય છે. હવે હું એઅતેરાઝ કરવાવાળાને એક સવાલ કરવા ચાહું છું. શું યઝીદ ઇબ્ને મઅકલ શીઆ હતો? જ્યારે કે તે પોતાની ઝબાનથી કહી રહ્યો છે કે હું બની ઉમય્યા અને ખાસ કરીને ઉસ્માન અને મોઆવીયાનો પૈરવકાર છું.<br />
આ જ રીતે તબરી એક અન્ય બનાવનું વર્ણન કરે છે: કહે છે કે જ્યારે નાફેઅ ઇબ્ને હીલાલ ઇમામ હુસૈન(અ.સ.)ના સિપાહીઓમાંથી જંગ કરવા માટે નીકળે છે, રજઝ પડી અને ફરમાવ્યું કે અલી(અ.સ.)ના દીન પર અકીદો રાખુ છું. ઇબ્ને ઝીયાદના લશ્કરમાંથી મઝાબીલ ઇબ્ને હરીસ નામનો એક શખ્સ લડવા માટે આવ્યો અને નાફેઅના જવાબમાં કહ્યું હું પણ ઉસ્માનના દીન પર અકીદો રાખું છું.<br />
(તબરી, ભાગ: ૫, પાના: ૪૨૫)<br />
ઇબ્ને જવઝી પોતાની કિતાબ કામિલુત્તારીખમાં નાફેઅના આ રજઝનો ઉલ્લેખ કરે છે પરંતુ નાફેઅની સામે આવનાર દુશ્મનનો જવાબ નથી લખતો, શા માટે? એટલા માટે કે કોઇને ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની ખબર ન પડી જાય. અને સદીઓ પછી આ કહી શકાય કે મઆઝલ્લાહ, મઆઝલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો ખુદ શીઆ જ હતા.<br />
આ રીતે ઇતિહાસકારો લખે છે કે ઇબ્ને ઝીયાદે જે ઉમરે સાદને પત્ર લખ્યો હતો કે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોના માટે પાણી બંધ કરી દયો અને એક ટીપુ પાણી તેમના સુધી ન પહોંચે જેવી રીતે ઉસ્માન ઇબ્ને અફ્ફાનની સામે તેઓએ કર્યુ હતુ.<br />
(તારીખે તબરી, ભાગ: ૨, પાના: ૪૧૨)<br />
આ સિવાય એહલેબૈત(અ.મુ.સ.)ના અસીરો જ્યારે મદીના પાછા ફર્યા, બની હાશીમના ઘરોમાં આહો બુકાઅની અવાજો બુલંદ થઇ. રાવી કહે છે કે તે સમયે હું ઉમર ઇબ્ને સઇદે અશરફની પાસે ગયો. ઉમર તે દ્રશ્યને જોઇને જોર જોરથી હસતો હતો અને એહલેબૈત(અ.મુ.સ.)ની દુશ્મનીમાં શેર કહ્યા અને ત્યાર બાદ કહે છે:<br />
&#8220;હાઝેહી વાએયતુન બે વાએયતે ઉસ્માન બીન અફ્ફાન<br />
&#8220;આ આહો બુકાઅ અને મુસીબત ઉસ્માન ઇબ્ને અફ્ફાનની મુસીબતની સામે છે<br />
(તબરી, ભાગ: ૫, પાના: ૪૬૬)<br />
આ અમુક સાક્ષીઓ છે જે એ વાત બતાવવા માટે પુરતા છે કે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવાવાળા બની ઉમય્યા અને આલે સુફયાનના પૈરવકારો હતા.<br />
આ સિવાય એક અન્ય હકીકત છે કે એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મન લોકો જેનો ઇન્કાર કરે છે અને પોતાની વાત સાબિત કરવા માટે હજારો પાનાઓ કાળા કરી ચુક્યા છે અને તે એ કે યઝીદે ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવાનો ન તો હુક્મ જારી કર્યો છે અને ન તો લશ્કર મોકલ્યુ છે. જ્યારે કે ઇતિહાસ અને એહલેબૈત(અ.મુ.સ.)ના મકતલથી જાણકાર દરેક શખ્સના માટે આ જાત પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ છે કે એહલે શામથી લશ્કર પર લશ્કર આવ્યુ હતુ અને યઝીદનો જ નાપાક હાથ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનથી આલુદા થયો છે. આ બધી દલીલો માંથી એક દલીલ એ છે કે ઇમામ સાદિક(અ.સ.)ને કોઇએ નવમી અને દસમી મોહર્રમના રોઝા વિશે સવાલ કર્યો તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:<br />
&#8220;તાસુઆ યવ્મુન હોસેર ફીહીલ્ હુસૈનો વ અસ્હાબોહુ બે કરબલા વજ્તમઅ અલય્હે ખય્લો અહલીશ્શામે વ અનાખુ અલય્હે વ ફરેહબ્નો મરજાના વ ઉમરબ્ન સઅદીન બે તવાફોરીલ્ ખય્લે વ કસ્રતેહા વસ્તઝ્અફુ ફીહીલ્ હુસૈન(અ.સ.) વ અસ્હાબહુ વ અય્કનુ અન્નહુ લા યઅતીલ્ હુસૈન નાસેરૂન વ લા યોમીદ્દોહુ અહલીલ્ ઇરાકે બે અબીલ મુસ્તઝ્અફલ ગરીબ&#8230;&#8230;<br />
&#8221; નવમી મોહર્રમ એ દિવસ છે કે જે દિવસે ઇમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબને કરબલામાં શામના લશ્કરે ઘેરી લીધા હતા. ઇબ્ને ઝીયાદ અને ઉમર બીન સાદ પોતાના લશ્કરને જોઇને ખુબ જ ખુશ થયા અને તેઓ આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબો પર મુસલ્લત થઇ ગયા અને ત્યારે તેઓને યકીન થઇ ગયુ કે ઇરાક વાસીઓમાંથી કોઇ તેમની મદદ અથવા નુસરત આવવાવાળી નથી&#8230;..<br />
(કાફી, ભાગ: ૪, પાના: ૧૪૭)<br />
આ રિવાયત મુજબ આ લોકો તે સમયે ખુશ થયા જ્યારે શામનું લશ્કર કરબલામાં દાખલ થયું. આ બારામાં શૈખે સદુક(અ.ર.) પોતાની સનદો સાથે નકલ કરે છે:<br />
&#8220;વ નઝરલ્ હુસૈનો(અ.સ.) યમીનન્ વ શેમાલન્ વ લા યરા અહદન્ ફ રફઅ રઅસહુ એલસ્ સમાએ ફ કાલ અલ્લાહુમ્મ ઇન્નક તરા મા યુસ્નઓ બે વલદે નબીય્યેક&#8230;&#8230; વ અકબલ અદુવ્વુલ્લાહે સીનાનુલ્ એયાદીય્યો વ શીમ્રીબ્નુલ્ ઝીલ્ જવ્શનીલ્ આમેરીય્યો લઅનહોમલ્લાહો ફી રેજાલીમ્ મીન્ અહલીશ્શામ<br />
&#8220;ઇમામ હુસૈન(અ.સ.)એ ડાબી અને જમણી બાજુ જોયું અને જ્યારે કોઇ નજરે ન આવ્યુ તો આસમાન તરફ માથું ઉંચુ કર્યુ અને ફરમાવ્યું અય અલ્લાહ! તુ જોઇ રહ્યો છે કે તારા નબીના ફરઝંદની સાથે શંત વર્તાવ કરી રહ્યા છે&#8230;.. તે સમયે સીનાન ઇબ્ને અનસ, શીમ્ર ઇબ્ને ઝીલ જવશન અને શામના અમુક લોકોએ આપના પર હુમલો કર્યો<br />
(અમાલીએ સદુક, પાના: ૨૨૬)<br />
આ હદીસ પરથી સ્પષ્ટ થાય છે કે શામના લોકોનું લશ્કર ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવા આવ્યુ હતું. જી હા, બની ઉમય્યાના લોકો આશુરાના દિવસે આ ખુશીમાં રોજો રાખે છે અને આજે પણ અમુક વહાબી કહે છે:<br />
&#8220;ઝાલેક યવ્મો કત્લીલ્ હુસૈન ફ ઇન્ કુન્ત સામેતન ફ સુમ<br />
&#8220;આશુરાનો દિવસ હુસૈન(અ.સ.)ના શહીદ થવાનો દિવસ છે અને અગર આ દિવસે ખુશીનો ઇઝહાર કરવા ચાહો તો તે દિવસે રોઝો રાખો<br />
આશુરાના દિવસે રોઝો રાખવો એ બની ઉમય્યાની સિરત રહી છે કારણ કે શૈખ તુસી(અ.ર.) ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત કરે છે:<br />
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:<br />
&#8220;ઇન્ન આલ ઉમય્યત લઅનહોમુલ્લાહો વ મન અઆનહુમ અલા કતલીલ હુસૈને મીન અહલીશ્ શામે નઝરૂ નઝરન ઇન્ કોતેલલ હુસૈનો વ સલેમ મન ખરજ એલલ્ હુસૈને વ સારતીલ્ ખેલાફતો ફી આલે અબી સુફયાન અંય્યત્તખેઝુ ઝાલેકલ્ યવ્મ ઇદન લહુમ યસુમુન ફીહે શુકરન ફ સારત ફી આલે અબી સુફયાન સુન્નતન એલલ્ યવ્મે ફીન્નાસે<br />
&#8220;બેશક આલે ઉમય્યા અને શામના લોકોમાંથી જે લોકોએ ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવા માટે મદદ કરી હતી, તેઓએ નઝર માની હતી કે અગર હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં કામયાબ થઇ જશે (અને કત્લ કરી દીધા) અને ખીલાફતને આલે અબી સુફયાને હાસિલ કરી લીધી તો તે દિવસને ઇદ મનાવશે અને શુકરાના તરીકે રોઝો રાખશે અને આ આલે અબી સુફયાનના માટે આજ સુધી એક સુન્નતની જેમ ચાલતી આવી છે.<br />
(અમાલીએ તુસી, પાના: ૬૧)<br />
વાંચકો! આ અમુક સાબિતીઓ છે જેના લીધે એઅતેરાઝ અને આશુરામાં ગીરયા તેમજ નૌહા તથા માતમની વિરૂધ્ધનો ફતવો બહાર પડવાનું કારણ આપ જાણી શક્યા છો. અહીંથી હવે લેખની દિશા બીજી બાજુ કરીએ છીએ અને એ ઉલ્લેખ કરીએ છીએ કે આશુરાને બાકી રાખવા માટે રસુલે અકરમ(સ.અ.વ.) અને અઇમ્મએ માસુમીન(અ.સ.)એ શુ કર્યુ.<br />
(૧) આશુરા પછી થનારા બનાવો:<br />
આશુરા પછી દુનિયામાં જુદા જુદા બનાવો જાહેર થયા જેમાં ચંદ્રગ્રહણ, જમીન પર જ્યાંથી પથ્થર ઉપાડવામાં આવતો તેની નીચેથી લોહી નીકળતું. આના વિશે અમુક રિવાયતો એહલે સુન્નતની કિતાબોમાં મળી આવે છે અને તેઓ આ હદીસો સહીહ હોવાનો સ્વિકાર કરે છે. (આ પ્રકારની રિવાયતો મળી આવવી એ મોઅજીઝાથી કંાઇ ઓછું નથી) તબરાની કહે છે કે ઉમ્મે હકીમ કહે છે:<br />
&#8220;કોતેલલ્ હુસૈનો વ અના યવ્મએઝીન જવીરૂન ફ હકસતીસ્ સમાઓ અય્યામન મીસ્લલ્ અલકતે<br />
&#8220;જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થયા તો હું જવાન હતી તે દિવસ પછી આસમાન દિવસો સુધી લાલ હતુ<br />
(મજમઉઝ્ ઝવાએદ, પાના: ૧૯૬૯)<br />
અબુ બકર હૈશમી આ રિવાયત બાદ કહે છે કે આ હદીસના તમામ રાવી સહીહ છે પછી અબુ બકર હૈશમી વધુમાં કહે છે, અબુ કોબૈલ કહે છે<br />
&#8220;લમ્મા કોતેલલ્ હુસૈનુબ્નો અલી(અ.સ.) ઇન્ કસફતીશ્ શમ્સો કીસ્ફતન હત્તા બદતીલ કવાકેબો નીસ્ફન્નહારે હત્તા ઝન્ના&#8230;. હેય<br />
&#8220;જ્યારે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) શહીદ થઇ ગયા તો સુરજને ગ્રહણ લાગી ગયું અને આસમાનમાં એવી રીતે અંધારૂ છવાઇ ગયું કે આસમાનમાં તારાઓ દેખાવવા લાગ્યા ત્યાં સુધી કે અમે વિચારવા લાગ્યા કે કયામત આવી ગઇ છે<br />
હયશમી બીજા એક શખ્સથી એક અન્ય હદીસ આ રીતે રિવાયત કહે છે:<br />
&#8220;લમ્મા કોતેલલ હુસૈનો ઇન્તબહત જઝૂર મીન અસ્કરેહી ફ લમ્મા તબખત્ એઝા હેય દમુન<br />
&#8220;જ્યારે હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા, ઇમામ(અ.સ.)ના લશ્કરમાંથી ઉંટની કોઇએ ચોરી કરી, જ્યારે તે ઉંટને ઝબ્હ કર્યુ અને પકાવવામાં આવ્યું તો તેનું ગોશ્ત ખુનમાં બદલાઇ ગયુ.<br />
હયશમી કહે છે કે, આ હદીસના બધા રાવી સહીહ છે.<br />
ઇબ્ને કસીર દમીશ્કી પણ આના વિશે કહે છે કે આની વાત પર ઘ્યાન આપો કારણકે આ ઇબ્ને તયમીયાનો વિદ્યાર્થી છે. તે પોતાની ‘તારીખ’માં લખે છે:<br />
મોટા ભાગની એ રિવાયતો જે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો પર નાઝિલ થવાવાળી બલાઓ અને આફતો પર આધારિત છે. તે સહીહ છે. આ લોકો અલગ-અલગ મુસીબત અને બલા તથા બિમારીમાં ફસાયા અને તેમાંથી મોટાભાગના ગાંડપણના શિકાર થયા.<br />
(૨) અઝાદારી અને ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા અને રડવુ:<br />
ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા અને બુકાના બારામાં એટલી બધી હદીસો મળી આવે છે કે જેની ગણતરી કરી શકાતી નથી અને આ રિવાયતો ફરીકૈન એટલે કે બંને ફિરકાની કિતાબોમાં મૌજુદ છે. (આ હદીસોથી માલૂમ થાય છે કે રસૂલે અકરમ(સ.અ.વ.વ.)થી લઇને તમામ અઇમ્મા(અ.મુ.સ.)એ આશુરાના દિવસે ગિર્યા માટે ખાસ ઇન્તેઝામ કર્યો હતો.) તેમાંથી ઇમામ અહમદ ઇબ્ને હમ્બલ એક શખ્સથી જે સિફ્ફીનમાં ઇમામ અલી(અ.સ.)ની સાથે હતો, આ રીતે રિવાયત કરે છે કે, કુફાથી પાછા ફરતી વખતે જ્યારે અમીરૂલ મોઅમેનીન કરબલા પહોંચ્યા&#8230;<br />
ફ નાદા અલીયુન(અ.સ.) ઇસ્બીર યા અબા અબદિલ્લાહ! ઇસ્બીર યા અબા અબદિલ્લાહ!  બે શત્તીલ ફુરાત કુલ્તો: વ મા હાઝા? કાલ: દખલ્તો અલન્નબી(સ.અ.વ.વ.) ઝાત યવ્મીન વ અય્નાહો તફીઝાન&#8230;.<br />
અલી(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ને અવાજ આપે છે, અય અબા અબદિલ્લાહ સબ્ર કરો! અય અબા અબદિલ્લાહ સબ્ર કરો! ફુરાતના કિનારે સબ્ર કરો. રાવી કહે છે કે મેં આ વાક્યોની સ્પષ્ટતા ઇમામ(અ.સ.) પાસે ચાહી&#8230; ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ: એેક દિવસ અહીં રસૂલેખુદા(સ.અ.વ.વ.)ની ખિદમતમાં હતો જ્યારે કે હઝરત (સ.અ.વ.વ.)ની આંખોમાં આંસુ હતા, તે સમયે કરબલામાં ફુરાતના કિનારે હુસૈન(અ.સ.)ના શહીદ થવાની મને ખબર આપી.<br />
(મુસ્નદ એહમદ ભાગ:ર, પાના: ૭૮)<br />
ઇમામ હુસૈન(અ.સ.) જંગે સિફ્ફીનમાં હતા અને આખી સફરમાં અલી(અ.સ.)ની સાથે હતા. આ રિવાયતને વર્ણન કર્યા પછી અબૂબકર હયશમી કહે છે: આ હદીસના તમામ રાવી સાચા છે. આ રીતે ઉમ્મે સલમાની રિવાયતને તબરીએ મોઅજમે કબીરમાં વર્ણવી છે. ટુંકાણને ઘ્યાનમાં રાખીને રજૂ કરવાથી મઅઝૂર છીએ.<br />
અઝાદારીનો અલગ અંદાઝ:<br />
એક રિવાયતમાં ઇમામ બાકિર(અ.સ.)ને જાબિરે પુછયુ: જઝઅ શું છે?  ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:<br />
&#8220;અશદ્દુલ જઝએ અસ્સુરાઓ બિલ વય્લે વલ્ અવીલે વ લત્તમુલ્ વજહે વસ્સદરે વ જઝ્ઝુશ્શઅ્રે મેનન્નવાસી<br />
&#8220;જોરથી ચીલ્લાવવું, વાવયલા કરવું, માથું અને છાતી પીટવી અને માથાના વાળ ઉખેડવા છે<br />
અન્ય એક હદીસમાં ઇમામ(અ.સ.)એ ફરમાવે છે:<br />
&#8220;કુલ્લુલ્ જઝએ વલ્ બુકાએ મકરૂહુન સેવલ જઝએ વલ્ બુકાએ અલલ્ હુસયને(અ.સ.)<br />
&#8220;દરેક પ્રકારનું ચીખવું, ચીલ્લાવવું અને રોવું મકરૂહ છે, સિવાય ગમે હુસયન(અ.સ.)માં રોવું<br />
(વસાએલ, ભાગ: ૩, પાના: ૨૮૨, હ: ૩૬૫૭)<br />
મજલીસોમાં શીરકત:<br />
રાવી કહે છે કે મેં ઇમામ કાઝીમ(અ.સ.)ને સવાલ કર્યો: મારી પત્નિ અને ઇબ્ને મારદની પત્નિ મજલીસે અઝામાં શીરકત કરવા આવી છે અને અમે જ્યારે તેમને રોકીએ છીએ તો તે કહે છે અગર અમારી શીરકત હરામ છે તો કહો, અમે નહી જશું અને અગર હરામ નથી તો શા માટે રોકો છો? અગર કોઇ અમારૂ દુનિયાથી રહેલત ફરમાવી જશે તો બીજા લોકો પણ આપણી મજલીસે અઝામાં નહી આવશે.<br />
ઇમામ કાઝીમ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:<br />
&#8220;અનીલ્ હુકુકે તસ્અલ્ની કાન અબી(અ.સ.) યબ્અસો ઉમ્મી વ ઉમ્મ ફર્વત તક્ઝેયાને હુકુક અહ્લીલ મદીનતે<br />
&#8220;તમે સમાજના હક્કોના વિશે મને સવાલ કરો છો, મારા પિતા (ઇમામ સાદિક અ.સ.) મારી માતા અને ઉમ્મે ફરવાને (મદીનાના ઘરોમાં અઝાદારીના માટે મોકલતા હતા જેથી તેમના હક્કો અદા કરી શકે<br />
આ હદીસ પરથી ખયાલ આવે છે કે અઝાદારીની મજલીસોમાં શરીક થવું એહલેબૈત(અ.મુ.સ.)નો તરીકો હતો અને ઔરતોને મજલીસોમાં શીરકત કરવાથી રોકવી જોઇએ નહી.<br />
અઝાદારો માટે ખાવાનું મોકલવું:<br />
ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત છે:<br />
&#8220;જ્યારે જાફરે તય્યાર શહીદ થઇ ગયા અને તેમનુ આખુ ઘર અઝાદારીમાં મશગુલ હતું, રસુલે ખુદા(સ.અ.વ.)એ હુકમ આપ્યો કે તેમના ઘરવાળાઓ માટે ખાવાનું પકાવો અને ત્રણ દિવસ સુધી તેમના ઘરે ખાવાનું મોકલો જેથી તેઓ અઝાદારીમાં મશગુલ રહે<br />
(વસાએલુશ્શીઆ, ભાગ: ૩, પાના: ૨૨૧)<br />
કાળા કપડા પહેરવા:<br />
ઇબ્ને અબીલ હદીદ મોતઝલી લખે છે કે: જ્યારે અલી(અ.સ.)ની શહાદત થઇ તો ઇમામ હુસૈન(અ.સ.) કાળા કપડા પહેરીને બહાર આવ્યા અને છઠ્ઠા ઇમામ(અ.સ.)થી એક હદીસ નક્લ થઇ છે:<br />
&#8220;લમ્મા કોતેલલ્ હુસય્નુબ્નો અલી(અ.સ.) લબેસ નેસાઓ બની હાશેમીસ્ સવાદ વલ્ મોસુહ વ કુન્ન લા યશ્તકીન મીન્ હર્રીન વ લા બરદીન વ કાન અલીય્યુબ્નુલ્ હુસય્ને(અ.સ.) યઅ્મલો લહુન્નત્ તઆમ લીલ્ મઅ્તમ<br />
&#8220;જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થઇ ગયા, બની હાશીમની ઔરતોએ કાળા કપડા પહેરી લીધા અને મજલીસે અઝા કાયમ કરી અને ઇમામ સજ્જાદ(અ.સ.) તેમના માટે ખાવાનો બંદોબસ્ત કરતા હતા.<br />
કારોબાર બંધ રાખવો:<br />
તબરી કહે છે કે અઝાદારી માટે બજાર અને કારોબાર બંધ રાખવો એ રિવાજ હતો.<br />
વ મકસન્નાસો યબ્કુન અલલ હુસૈન સબ્અન મા તકુમલ્ અસ્વાક<br />
&#8220;લોકો એક અઠવાડીયા સુધી બજારોને અઝાદારી માટે બંધ રાખતા હતા અને ઇમામ હુસૈન(અ.સ.) પર ગીર્યા કરતા હતા<br />
(તબકાતુલ કુબરા (તરજુમાએ ઇમામુલ હુસૈન), પાના: ૯૦)<br />
આ અમુક બાબતો છે જે આપણને એ વાતનો દર્સ આપે છે કે આપણે ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીને બાકી રાખવા માટે દરેક એ કામ કરવું જોઇએ જેનાથી અઝાદારીમાં રોનક પૈદા થાય અને અઝાદારીની બકા માટે ઝામીન હોય.<br />
અંતમાં ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ માટે હાથ બલંદ કરીએ છીએ કે ખુદા આપણને ઇમામ હુસૈન(અ.સ.)ના અઝાદારોમાં શુમાર કરે અને ઇમામ હુસૈન(અ.સ.)ના ખુને નાહકનો બદલો લેવા માટે વારિસે હુસૈન(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે. આમીન.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=698</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ઝિયારતે નાહિયાની સમજણ</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=696</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=696#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:30:04 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=696</guid>
		<description><![CDATA[(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ) અસ્સલામો અલા સાકેને કરબલાઅ &#8220;સલામ થાય કરબલાના રહેવાવાળા પર કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત અને તેમાં કયામ કરવાની ફઝીલત. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ)<br />
અસ્સલામો અલા સાકેને કરબલાઅ<br />
&#8220;સલામ થાય કરબલાના રહેવાવાળા પર<br />
કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત અને તેમાં કયામ કરવાની ફઝીલત. આવો એ પ્રકરણની અમુક હદીસો પર એક ઉડતી નજર કરીએ.<br />
(૧)<br />
&#8220;અન્ સફ્વાનલ્ જમ્માલે કાલ સમેઅ્તો અબા અબ્દીલ્લાહે(અ.સ.) યકુલો ઇન્નલ્લાહ તબારક વ તઆલા ફઝ્ઝલલ્ અરઝીન વલ્ મીયાહ બઅ્ઝહા અલા બઅ્ઝીન ફ મીન્હા મા તફાખરત્ વ મીન્હા મા બગત્ ફમા મીન માઈન વલા અરઝીન ઇલ્લા ઉકેબત્ લે તર્કીત્તવાઝોએ લીલ્લાહે હત્તા સલ્લતલ્લાહો અલલ્ કાઅ્બતીલ્ મુશ્રેકીન વ અર્સલ એલા ઝમઝમ માઅન માલેહન હત્તા અફ્સદ તઅ્મહો વ ઇન્ન કરબલા વ માઅલ્ ફુરાતે અવ્વલો અરઝીન વ અવ્વલો માઇન કદ્દસલ્લાહો તબારક વ તઆલા વ બારક અલય્હા ફ કાલ લહા તકલ્લમી બે મા ફઝ્ઝલકીલ્લાહો ફ કાલત્ લમ્મા તફાખરતીલ્ અરઝુન વલ મીયાહો બઅ્ઝોહા અલ બાઅ્ઝીન કાલત્ અના અર્ઝુલ્લાહીલ્ મુકદ્દસતુલ્ મુબારકતુશ્શીફાઓ ફી તુર્બતી વ માઈ વ લા ફખ્ર બલ્ ખાઝેઅતુન્ ઝલીલતુન્ લે મન્ ફઅલ બી ઝાલેક વલા ફખ્ર અલા મન્ દુની બલ્ શુક્રન લિલ્લાહે ફ અક્રમહા વ ઝાદહા બે તવાઝોએહા વ શુક્રેહા લીલ્લાહે બિલ્ હુસૈને(અ.સ.) વ અસ્હાબેહી સુમ્મ કાલ અબુ અબ્દીલ્લાહ(અ.સ.) મન્ તવાઝઅ લિલ્લાહે રકુઅહુલ્લાહો વ મન્ તકબ્બર વઝઅહુલ્લાહો<br />
&#8220;સફવાને જમ્માલ નકલ કરે છે કે મેં હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ જાફરે સાદિક(અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા બેશક અલ્લાહ તબારક વ તઆલાએ અમુક ઝમીનો અને અમુક પાણી (એટલે કે સમુદ્ર, દરિયા, નદીઓ, કુવા વિગેરે)ને બીજા પર ફઝીલત અતા કરી પછી તેમાંથી અમુકે ફખ્ર અને અભિમાન કર્યુ અને અમુકે બગાવત કરી. આથી દરેક તે પાણી અને ઝમીન જેણે નમ્રતા અને ઇન્કેસારી છોડી દીધી તેને સજા આપવામાં આવી ત્યાં સુધી કે અલ્લાહ તઆલાએ કાબા પર મુશ્રીકોને સત્તા આપી અને ઝમઝમના કુવામાં ખારૂ પાણી ઉતાર્યુ ત્યાં સુધી કે તેની મીઠાશ ખત્મ થઇ ગઇ અને ચોક્કસ કરબલાની ઝમીન અને ફુરાતનું પાણી એ પહેલી ઝમીન અને પ્રથમ નદી છે કે જેને અલ્લાહે પવિત્ર અને મુબારક ગણાવી. પછી અલ્લાહ તઆલાએ હુકમ દીધો જે ફઝીલત અલ્લાહે તને અતા કરી છે તેના વિશે વાતચીત કર. તેણે જવાબમાં કહ્યું જ્યારે તમામ ઝમીન અને પાણી એકબીજા ઉપર ફખ્ર કરતા હતા. કરબલાએ કહ્યું હું અલ્લાહની પવિત્ર અને મુબારક ઝમીન છું. મારી માટી અને પાણી બંનેમાં શીફા છે, પરંતુ મને આ બાબતે ફખ્ર નથી બલ્કે તે ઝાતની સામે નમ્રતા અને ઇન્કેસારી રાખુ છું કે જેણે મને આ શરફ અતા કર્યો અને હું બીજાઓ પર પણ ફખ્ર નથી કરતી બલ્કે અલ્લાહનો શુક્ર અદા કરૂ છું. આથી તેની ઇન્કેસારી અને શુક્ર અદા કરવાના લીધે અલ્લાહે હુસૈન(અ.સ.) અને અસ્હાબે હુસૈન(અ.સ.)ના થકી તેના એહતેરામ અને પવિત્રતામાં વધારો કર્યો<br />
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૯, હદીસ: ૧૭, કામિલુઝ્ઝીયારાત માંથી નકલ કરેલી)<br />
ઇબ્ને કુલવીયા(ર.અ.)<br />
(૨) ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:<br />
&#8220;ખલકલ્લાહો તબારક વ તઆલા અર્ઝ કરબલા કબ્લ અન્ યખ્લોકલ્કઅ્બત બેઅર્બઅતીન વ ઇશ્રીન અલ્ફ આમીન વ કદ્દસહા વ બારક અલય્હા ફમા ઝાલત્ કબ્લ ખલ્કીલ્લાહીલ્ ખલ્ક મોકદ્દસતન મોબારકતન વલા તઝાલો કઝાલેક હત્તા યજ્અલહલ્લાહો અફ્ઝલ અર્ઝીન ફીલ્ જન્નતે વ અફ્ઝલ મન્ઝેલીન વ મસ્કનીન યુસ્કેનુલ્લાહો ફીહે અવ્લેયાઅહુ ફીલ્ જન્નતે<br />
&#8220;અલ્લાહ તબારક વ તઆલાએ કરબલાની ઝમીનને કાબાની ખિલ્કતથી ૨૪૦૦૦ વર્ષ પહેલા પૈદા કરી હતી અને તેને પવિત્ર અને મુબારક ગણાવી. આ ઝમીન (કરબલા) તમામ મખ્લુકાતની ખિલ્કત થી પહેલા પવિત્ર અને મુબારક હતી અને હંમેશા રહેશે. ત્યાં સુધી કે અલ્લાહ તેને જન્નતની બેહતર ઝમીન અને શ્રેષ્ઠ મંઝિલ અને રહેવાની જગ્યા બનાવશે. જેમાં અલ્લાહ પોતાના દોસ્તોને જન્નતમાં રહેવાસી બનાવશે.<br />
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૭, હદીસ: ૫)<br />
(૩) બીજી એક હદીસમાં ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:<br />
&#8220;જ્યારે મક્કાની સરઝમીને ફખ્ર અને ગર્વને જાહેર કર્યુ એટલા માટે કે અલ્લાહનું ઘર તેની ઉપર બનાવવામાં આવ્યુ છે તો અલ્લાહની અવાજ આવી ખામોશ થઇ જા અગર કરબલાની તુરબત ન હોત તો હું તને હરગીઝ ફઝીલત અતા ન કરત અને અગર તે ન હોત જેને કરબલા પોતાની ઝમીનમાં લીધેલ છે તો હું ન તને પૈદા કરત અને ન તે ઘર (કાબા)ને પૈદા કરત કે જેના લીધે તને આટલો ફખ્ર અને નાઝ છે. આથી કરબલાની ઝમીનની જેમ નમ્ર અને ફરમાબરદાર બની જા અને હરગીઝ અભિમાન અને ઘમંડ નહી કરજે, નહિતર તને નિસ્ત અને નાબુદ કરી દેવામાં આવશે અને જહન્નમની આગમાં સળગાવી દઇશ.<br />
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૬-૧૦૭, હ: ૩)<br />
તફસીરે અલ મિઝાનના લેખક અલ્લામા સય્યદ મોહમ્મદ હુસૈન તબાતબાઇ (અઅલલ્લાહો મકામોહુ)એ આ બારામાં અલ્લામા બેહરૂલ ઓલુમનો એક ખુબસુરત શેર કહ્યો છે.<br />
વ મીન્ હદીસે કરબલા વ કઅબહ<br />
લ કરબલા બાન ઓલુવ રૂતબહ<br />
&#8220;કરબલા અને કાબાની વાતચીતથી કરબલાનો મહાન મરતબો બિલકુલ સ્પષ્ટ થઇ જાયછે<br />
(૪) સાદિકે આલે મોહમ્મદ ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું:<br />
&#8220;ઝુરૂ કરબલા વલા તક્તઉહો &#8230;&#8230; વ મા મીન્ લય્લતીન તમ્ઝી ઇલ્લા વ જબ્રઇલો વ મીય્કાઇલો યઝુરાનેહી<br />
&#8220;તમે સૌ કરબલાની ઝિયારત માટે જવાનું શરૂ રાખો અને તેને ક્યારેય તર્ક ન કરશો &#8230;. કોઇ પણ રાત એવી પસાર થતી નથી કે જેમાં જીબ્રઇલ અને મીકાઇલ(અ.) ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે તશરીફ લાવતા ન હોય<br />
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૯, હ: ૧૬)<br />
વિષય તો ખુબ જ લાંબો છે અને આ નાના લેખમાં બધા જ પહેલુ પર રોશની નાખવી એ શક્ય નથી. જેઓ વિગતવાર વધુ માહિતી જાણવા ઇચ્છતા હોય તેઓ બેહારૂલ અન્વાર, કામિલુઝ્ઝીયારાત, મકતલની કિતાબો અને અલ મુન્તઝર (મોહર્રમ અંક)નો અભ્યાસ કરી શકે છે.<br />
‘અસ્સલામો અલા મન્ બકત્હો મલાએકતુસ્ સમાએ’<br />
‘સલામ થાય તેના પર જેના પર આસ્માનના ફરિશ્તાઓ રડ્યા’<br />
શબ્દ બકત એ ફેઅલ છે જેનો મૂળ શબ્દ બકય છે અને મસ્દર બુકાઅ છે એટલે કે રોવું. આ ફેઅલે માઝીનો ચોથો સીગો છે અને ઇલ્તેકાએ સાકેનૈનના લીધે યા ને પડતો મુકવામાં આવ્યો છે. મોઅન્નસનો સીગો એટલા માટે છે કે મલાએકા એ મલકનું જમ્એ મુકસ્સર છે તેનું ફાએલ છે. મલકનો અર્થ છે ફરિશ્તો અને મલાએકા એટલે ઘણા બધા ફરિશ્તાઓ. ભરોસાપાત્ર રિવાયતોની રોશનીમાં જેને શીઆ અને સુન્ની ઓલમાએ વર્ણવી છે કે આસ્માનના ફરિશ્તાઓ, જંગલોના જંગલી જાનવાર, હવામાં ઉડવાવાળા પક્ષીઓ, દરિયાઓની માછલીઓ અને દરેક તે ઇન્સાન જેની છાતીમાં દિલ છે. ઇમામ હુસૈન(અ.સ.) ઉપર રોવે છે. ખરેખર જે ઇમામ હુસૈન(અ.સ.) ઉપર નથી રડતો તો તે જાનવરથી પણ બદતર છે અને તેની છાતીમાં દિલ નથી પત્થર છે<br />
ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:<br />
&#8220;ઝુરૂલ્ હુસૈન વ લવ્ કુલ્લ સનતીન ફ ઇન્ન કુલ્લ મન્ અતાહો આરેફન બેહક્કેહી ગય્ર જાહેદીન લમ્ યકુન્ લહુ એવઝુન ગય્રલ્ જન્નતે વ રોઝેક રીઝ્કન વાસેઅન વ અતાહુલ્લાહો બે ફરજીન આજેલીન ઇન્નલ્લાહ વક્કલ બે કબ્રીલ્ હુસૈને અર્બઅત આલાફે મલકીન કુલ્લોહુમ્ યબ્કુનહુ વ યોશય્યેઉન મન્ ઝારહુ એલા અહ્લેહી ફ ઇન્ મરેઝ આદુહો વ ઇન્ માત હઝરૂ જનાઝતહુ બીલ્ ઇસ્તીગ્ફારે લહુ વત્તરહ્હોમે અલય્હે<br />
&#8221; તમો સૌ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરો &#8230;.. ભલે પછી તે દરેક વર્ષે પણ હોય બેશક અલ્લાહે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્ર પર ચાર હજાર ફરિશ્તાઓ નિયુક્ત કર્યા છે. જે આપ ઉપર રડે છે અને જે કોઇ આપની ઝિયારત માટે આવે છે તેમની સાથે સાથે રહે છે. જ્યાં સુધી તેઓ પોતાના કુટુંબીજનો સુધી પાછા ન ફરે. અગર તે બિમાર પડે છે તો આ ફરિશ્તાઓ તેની અયાદત કરે છે અને અગર મરી જાય છે તો તેના જનાઝામાં શરીક થાય છે. તેના માટે ઇસ્તિગ્ફાર અને રહેમતની દુઆ કરે છે.<br />
એક બીજી હદીસમાં ઇમામ જઅફર સાદિક(અ.સ.) એ સુદૈરને સવાલ કર્યો:<br />
&#8220;યા સુદય્યરો તઝુરો કબ્રલ્ હુસૈને(અ.સ.) ફી કુલ્લે યવ્મીન કુલ્તો લા કાલ મા અજ્ફાકુમ્ કાલ તઝુરોહુ ફી કુલ્લે જુમ્અતીન કુલ્તો લા કાલ તઝુરોહુ ફી કુલ્લે શહ્રીન કુલ્તો લા કાલ ફ તઝુરોહુ ફી કુલ્લે સનતીન કુલ્તો કદ્ યકુનો ઝાલેક કાલ યા સદીય્રો મા અજ્ફાકુમ્ બીલ્ હુસૈને(અ.સ.) અ મા અલીમ્ત અન્ન લીલ્લાહે અલ્ફ મલકીન શોઅ્સન ગુબ્રન યબ્કુન વ યર્સુન લા યફ્તોરૂન ઝુવ્વારન લે કબ્રીલ્ હુસૈને(અ.સ.) વ સવાબોહુમ્ લેમન્ ઝારહો<br />
&#8220;અય સુદય્યર શું તમે દરરોજ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત માટે જાવ છો? મેં કહ્યું નહી. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: તમે મોહબ્બતનો હક અદા નથી કર્યો. શું જુમ્આના દિવસે ઝિયારત કરો છો? મેં કહ્યું નહી. ઇમામ(અ.સ.)એ પુછ્યું મહિનામાં એક વાર જાવ છો? મેં કહ્યું નહી. વરસમાં એક વખત તેમની ઝિયારત કરો છો? મેં કહ્યું ક્યારેક ક્યારેક. તે સમયે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: અય સુદેર, તમે હુસૈન(અ.સ.)ની સાથે સિતમ કર્યો છે. શું તું નથી જાણતો કે અલ્લાહના ૧૦૦૦ ફરિશ્તાઓ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે છે. જ્યારે કે તેમની પાંખો વીખરાયેલી હોય છે, માથા ઉપર ધૂળ નાખેલી હોય છે, રોવે છે અને મરસીયા પઢે છે અને થાકતા નથી તેમજ અટકતા નથી. તેનો સવાબ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોને મળે છે.<br />
(બેહાર, ભાગ: ૧૦૧, પાના: ૬, હદીસ: ૨૪)<br />
અસ્સલામો અલા મન્ ઝુર્રીયતોહુલ્ અઝ્કેયાઓ<br />
&#8220;સલામ થાય તેમના પર જેની ઝુર્રીયત પાકો પાકીઝા છે<br />
ઝુર્રીયતનો મતલબ છે અવલાદ. હકીકતમાં નાના નાના બાળકોને ઝુર્રીયત નામ દેવામાં આવે છે. પરંતુ સામાન્ય બોલચાલમાં નાની અને મોટી બધી અવલાદના માટે તેનો ઉપયોગ થાય છે અને જો કે હકીકતમાં તે બહુવચન છે પરંતુ એકવચન અને બહુવચન બંને માટે ઉપયોગ થાય છે. ઝુર્રીયતના ડીક્ષનરી અર્થના બારામાં ત્રણ મંતવ્યો છે: (૧)આ ઝરઉનથી મુશ્તક છે. જેનો અર્થ પૈદા કરવા અને ફેલાવવાના અર્થમાં છે અને તેની હમ્ઝા મુતહર્રીક થઇ ગઇ છે જેમકે રવીય્યત અને બરીય્યત. (૨)તેની અસ્લ ઝુરવીય્યત છે. (૩)ઝર્રૂન છે જેનો અર્થ વીખરાવવું છે. ફોઅલીય્યતના વઝ્ન પર છે. જેમકે કુમ્રીય્યત, ઝોરારી અને ઝુર્રીય્યાત એ બહુવચન છે.<br />
(લોગાતુલ કુર્આન)<br />
બીજો શબ્દ છે અલ અઝકેયાઅ જે ઝકીનું બહુવચન છે. ઝકી એ સીફતે મુશબ્બહ બિલ ફેઅલ અને સીગએ મુબાલેગા બને છે અને ફઈલના વઝ્ન પર છે. ઝકીનો અર્થ પાકો પાકીઝા છે.<br />
વાક્ય ઉપર વિચારો કે અહી ઇમામે અસ્ર(અ.સ.) ફરમાવે છે:<br />
&#8220;ઇમામ હુસૈન(અ.સ.)ની તમામ અવલાદ નાની કે મોટી બધી પાકો પાકીઝા છે. બીજા શબ્દોમાં ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)થી લઇને હઝરત અલી અસ્ગર(અ.સ.) સુધી તમામ અવલાદે હુસૈન પાકો પાકીઝા હતી. તેમની પાસે બુરાઇ નજાસત, ગંદકી અને ગુનાહનો વિચાર પણ ન હતો.<br />
અસ્સલામો અલા યઅ્સુબીદ્ દીને<br />
&#8220;સલામ થાય દીનના સય્યદ અને સરદાર પર<br />
યઅસુબ શબ્દ અસબ ઉપરથી બનેલો છે. જેનો અર્થ છે સરવર અને સરદાર. અહી ઇમામ(અ.સ.)ને દીનના સરવર અને સરદાર કહેવામાં આવ્યા છે. એમાં કોઇ શક નથી કે ઇમામ દીન, ઇમાન અને મોઅમીનોના સરદાર છે. આ લકબ સૌ પ્રથમ મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) માટે વપરાયો છે અને પછી અન્ય માસુમીન(અ.સ.) માટે.<br />
અસ્સલામો અલા મનાઝેલીલ્ બરાહીને<br />
&#8220;સલામ તેના પર જે દલીલો અને સાબિતિઓની ઉતરવાની જગ્યા છે<br />
શબ્દ મનાઝીલ, મંઝિલનું બહુવચન છે. મંઝિલ એટલે પનાહગાહ, ઠહેરવાની, ઉતરવાની, આરામની જગ્યા વિગેરે. શબ્દ બરાહીન બુરહાનનું બહુવચન છે. બુરહાન એ બરહથી બનેલું છે જેનો અર્થ છે દલીલ અને હુજ્જત બર વઝ્ને ફોઅલાન જેમકે રૂજ્હાન. અમૂક એમ વિચારે છે કે તેનો અર્થ છે સફેદ અને પ્રકાશિત. બુરહાન એ દલીલને કહે છે જે બધી દલીલોમાં જોરદાર હોય અને હંમેશા તથા દરેક હાલતમાં સચ્ચાઇનો તકાઝો છે. એ જાણવું જોઇએ કે દલીલના પાંચ પ્રકાર છે. (૧)તે જે હંમેશા સચ્ચાઇને બંધબેસતી હોય (૨)જે હંમેશા જુઠને બંધબેસતી હોય (૩) જે સચ્ચાઇથી વધારે નજીક હોય (૪)જે જુઠથી વધારે નજીક હોય (૫)જે જુઠ અને સચ્ચાઇ બંને માટે બંધબેસતી હોય. બુરહાનમાં સચ્ચાઇ સિવાય જુઠની કોઇ ગુંજાઇશ નથી. કુર્આને કરીમે આ શબ્દને આઠ જગ્યાએ ઉપયોગ કર્યો છે. બલ્કે ખુદ કુર્આને કરીમનું મુબારક નામ ‘બુરહાન’ છે. આ બયાનની રોશનીમાં એહલેબૈત (અ.મુ.સ.)ને આ વાક્યમાં મનાઝેલુલ બરાહીન કહેવામાં આવ્યા છે. એટલે કે આ એ પવિત્ર હસ્તીઓ છે કે જેમાં પરવરદિગારે આલમે તમામ દલીલો અને બરાહીન જે દરેક હાલતમાં સત્ય, સાબિત અને સફેદ તથા પ્રકાશિત છે તે સમાયેલા છે અને આ હઝરતો એ બરાહીનની પનાહગાહ છે. બીજા શબ્દોમાં અગર કોઇને હક તથા બાતિલમાં ફરક પૈદા કરવો હોય અને એહકાકુલ હક્ક (હકને હક સાબિત કરવું) અને ઇબ્તાલુલ બાતિલ (બાતિલને બાતિલ પુરવાર કરવું) કરવું હોય તો તેના માટે જરૂરી છે કે મોહમ્મદો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દર પર હાજર થાય અને હકને તલબ કરે. આ સિવાય બીજો કોઇ રસ્તો નથી.<br />
ફ મા ઝા બઅ્દલ્ હક્કે ઇલ્લઝ્ઝલાલો<br />
&#8220;અને હક પછી શું છે ગુમરાહી સિવાય?<br />
અસ્સલામો અલલ્ અઇમ્મતીસ્ સાદાતે<br />
&#8220;સલામ થાય તેના ઉપર જે ઇમામ અને સરદાર છે.<br />
શબ્દ અઇમ્મા એ ઇમામનું બહુવચન છે. બર વઝ્ને અફએલહ અને સાદાત એ સરદારનું બહુવચન છે. ઇમામ તેને કહેવામાં આવે છે જે આગળ રહે અને નેતૃત્વ કરે અને સય્યદ સરદાર સરવરને કહેવામાં આવે છે. જો કે ઇમામ અને ઇમામત પર ચર્ચા કરવી આ ટુંકા લેખમાં શક્ય નથી.<br />
પરંતુ એ અસ્થાને નહી ગણાય જો આપણે ઇમામના મરતબા પર સંક્ષેપમાં નજર કરીએ તો મઆની અને મતાલીબ તથા મઆરીફના દરવાજા ખુલે છે. આથી શીઆ દ્રષ્ટિકોણથી<br />
ઇમામ રેઝા(અ.સ.) ફરમાવે છે:<br />
ફ મન્ ઝલ્લઝી યબ્લોગો મઅ્રેફતલ્ ઇમામે અવ્ યુમ્કેનોહોખ્તેયારોહુ હય્હાત હય્હાત ઝલ્લતીલ્ ઓકુલો વ તાહતીલ્ હોલુમો વ હારતીલ્ અલ્બાબો વ ખસઅતીલ્ ઓયુનો વ તસાગરતીલ્ ઓઝમાઓ વ તહય્યરતીલ્ હોકમાઓ વ તકાસરતીલ્ હોલમાઓ વ હસેરતીલ્ ખોતબાઓ વ જહેલતીલ્ અલીબ્બાઓ વ કલ્લતીશ્ શોઅરાઓ વ અજઝતીલ્ ઓદબાઓ વ અયેયતીલ્ બોલગાઓ અન્ વસ્ફે શઅ્નીન મીન્ શઅ્નેહી અવ્ ફઝીલતે મીન્ ફઝાએલેહી વ અકર્રત્ બીલ્ અજ્ઝે વત્તકસીરે<br />
&#8220;પછી કોણ છે જે ઇમામ(અ.સ.)ની મઅરેફત સુધી પહોંચે અને ઇમામની પસંદગી તેના માટે શક્ય હોય? દૂર છે &#8211; દૂર છે, અક્કલો ગુમરાહ થઇ ગઇ, વિચારો હેરાન પરેશાન, ફરદ હૈરત અંગેઝ, આંખો અંજાઇ ગઇ, મહાન મર્તબાવાળી વ્યક્તિઓ નાની થઇ ગઇ, હકીમો હેરાન અને પરેશાન, હલીમ અને બુર્દબાર લોકોએ કોતાહી કરી, ખતીબોની જીભો મર્યાદીત થઇ ગઇ, અક્કલમંદ લોકો જાહીલ થઇ ગયા, શાયરો મુંગા થઇ ગયા, સાહિત્યકારો લાચાર થઇ ગયા, ફસીહ અને બલીગ લોકોની જીભ થોથરાવા લાગી કે તે ઇમામ (અલ્લાહ તરફથી નિયુક્ત થયેલ)ની શાનમાંથી કોઇ એક શાનને બયાન કરે અથવા ઇમામ(અ.સ.)ની ફઝીલતોમાંથી કોઇ એક ફઝીલતનો ઉલ્લેખ કરે. બલ્કે એ બધા લોકોએ પોતાની લાચારી, અશક્તિ અને કોતાહીનો ઇકરાર કરી લીધો<br />
(અલ કાફી, ભાગ: ૧, પાના: ૨૦૧)<br />
જ્યારે આપણે એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)ની રિવાયતોને જોઇએ છીએ તો આપણને જાણવા મળે છે કે આં હઝરત(સ.અ.વ.)ના માટે જુદા જુદા મરતબાઓ અને ખાસિયતો બયાન કરવામાં આવ્યા છે. જિસ્માની, રૂહાની, મઅનવી, રીતભાત, ખિલ્કતની સિફતો, ખિલ્કતની શરૂઆત, નૂરાની ખિલ્કત વિગેરે. આથી આપણે જ્યારે શબ્દ ઇમામ વાપરીએ છીએ તો આ તમામ સિફતો આવી જાય છે. જેમકે વંશ, ઇલ્મ, ઇલાહી વિલાયત (તકવીની અને તશ્રીઇ) ખિલ્કત, વિલાદત વિગેરે. ચર્ચાને અંત સુધી લઇ જવા માટે આ કહેવું જરૂરી છે કે અગર મુસલમાનોને અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.) ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) અને તેની અવલાદોની સાચી અને હકીકી માઅરેફત હોત તો ન તો સકીફાનો બનાવ બનતે અને ન તો કરબલાનો બનાવ બનતે. આજ દુનિયામાં ઇસ્લામ અને મુસલમાનોની ઇઝ્ઝત હોતે અને અલ્લાહના દીન અને તેની કિતાબની બોલબાલા હોતે, પરંતુ અફસોસ!!!<br />
(વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકે)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=696</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>બરાઅત અથવા દુશ્મનોથી બેઝારી ઇમાનની જરૂરીયાત (શર્ત) છે.</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=693</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=693#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:26:15 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=693</guid>
		<description><![CDATA[દીને ઇસ્લામ તે એવો મઝહબ છે કે જેના તમામ ઉસુલ અને કાનુનો પવિત્ર ફિતરત અને અકલે સલીમની દ્રઢ બુનિયાદ પર આધારિત છે. ઇસ્લામનો કોઇપણ હુકમ ન તો ફિતરતની વિરૂધ્ધ છે અને ન તો અક્કલથી વિરૂધ્ધ. જ્યાં આ કાનૂનો અને ઉસુલની જરૂરીયાતી શર્ત છે, કે ખુદા, રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના દોસ્તોથી મોહબ્બત અને મવદ્દતમાં તરબોળ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>દીને ઇસ્લામ તે એવો મઝહબ છે કે જેના તમામ ઉસુલ અને કાનુનો પવિત્ર ફિતરત અને અકલે સલીમની દ્રઢ બુનિયાદ પર આધારિત છે. ઇસ્લામનો કોઇપણ હુકમ ન તો ફિતરતની વિરૂધ્ધ છે અને ન તો અક્કલથી વિરૂધ્ધ. જ્યાં આ કાનૂનો અને ઉસુલની જરૂરીયાતી શર્ત છે, કે ખુદા, રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના દોસ્તોથી મોહબ્બત અને મવદ્દતમાં તરબોળ હોય. ત્યાં સાથો સાથ તેમના દુશ્મનોથી નફરત ત્થા અણગમો ઇમાનની બુનિયાદ મજબુત હોવાની દલીલ છે. એ શક્ય છે કે કોઇ એમ વિચારે કે ઇસ્લામ તો બસ મોહબ્બત અને પ્યારનો મઝહબ છે, નફરત અને અણગમો ઇસ્લામનું સુત્ર નથી. આના લીધે તે અલ્લાહ અને રસુલ(સ.)ના દુશ્મન અને ખાસ કરીને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી બેઝારીમાં માનતો ન હોય અને તેને ઇસ્લામી શિક્ષણની વિરૂધ્ધ સમજતો હોય તો તે અક્કલ અને ડહાપણથી દૂર હશે, કારણ કે દરેક ચીજને તેની વિરૂધ્ધની ચીજથી ઓળખવામાં આવે છે. જેમ કે રાતના વુજુદથીને દિવસને ઓળખવામાં આવે છે.<br />
કુર્આને હકીમ અને દુશ્મનોથી બેઝારી:<br />
કુર્આને કરીમની રોશનીમાં દુશ્મનોથી બેઝારી એ મોહબ્બત અને મવદ્દત વ્યક્ત કરવાથી પહેલા છે. સુરે બકરહ, આયત ૨૫૬, જે આયતુલ કુરસીની એક આયત પણ છે, જે દરેકને યાદ છે.<br />
&#8220;ફ મય્યકફુર્ બિત્તાગૂતે વ યુઅમીમ્ બિલ્લાહે ફકદીસ્ તમ્સક બિલ ઉર્વતીલ્ વુસ્કા<br />
&#8220;પછી જેણે તાગુતનો ઇન્કાર કર્યો અને ખુદાનો ઇકરાર કર્યો અને તે ઇમાન લાવ્યો, યકીનન તે સૌથી મજબુત રસ્સીથી મુતમસ્સીક થઇ ગયો<br />
આ આયતમાં તાગુતનો ઇન્કાર કરવાનો ઉલ્લેખ અલ્લાહ પર ઇમાન લાવવા પહેલા થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ખુદાવંદે આલમ પર ઇમાન તે સમય સુધી સંપૂર્ણ જ નથી થતુ જ્યાં સુધી તાગુતી એટલે કે ગૈરે ખુદાઇ તાકતોનો સંપૂર્ણ રીતે ઇન્કાર ન થાય. તૌહિદનો કલેમો જે મુસલમાન અને મોઅમીન હોવાની પહેલી શર્ત છે અને સૌથી બુનિયાદી કલેમો છે જ્યાંથી ઇસ્લામની શરૂઆત થાય છે ત્યાં પણ ખુદાના સ્વિકાર પહેલા ગૈરે ખુદાની ખુદાઇનો સંપૂર્ણ ઇન્કાર કરવામાં આવ્યો છે. &#8220;લા એલાહ ઇલ્લલ્લાહ ઇન્કારને ઇકરારથી પહેલા મુકવામાં આવ્યો છે. આ ઇન્કાર પછી સ્વિકારની મંઝિલ છે.<br />
હવે જરા આ આયતો ઉપર વિચાર કરો.<br />
&#8221; અ ઇન્નકુમ લ તશ્હદૂન અન્ન મઅલ્લાહે આલેહતન ઉખરા, કુલ લા અશ્હદો કુલ્ ઇન્નમા હોવ એલાહુન વાહેદુન વ ઇન્નની બરીઉમ્ મીમ્મા તુશ્રેકૂન<br />
&#8220;(કાફીરો અને મુશ્રીકોથી સંબોધન છે) શું તમે એ વાતની ગવાહી આપો છો કે ખુદા સિવાય પણ બીજો કોઇ ખુદા છે? અય પૈગમ્બર આપ કહી દયો, હું આ પ્રકારની ગવાહી હરગીઝ નથી આપતો અને કહી દયો યકીનન બેશક તે અલ્લાહ બસ એક છે અને તમે લોકો જેને ખુદાના શરીક બનાવો છો, હું યકીનન તેનાથી દૂર અને બેઝાર છું.<br />
(સુ. અન્આમ, આયત: ૧૯)<br />
હઝરતે હુદ(અ.સ.)ની જીભ પર બયાન થાય છે:<br />
&#8220;કાલ ઇન્ની ઉશ્હેદુલ્લાહ વશ્હદૂ અન્ની બરીઉમ્ મીમ્મા તુશ્રેકૂન<br />
&#8220;અને તેમણે કહ્યું, હું ખુદાને ગવાહ બનાવું છું અને તમે બધા પણ આ વાત પર ગવાહ રહેજો કે તમે જે બંદાઓને ખુદાના શરીક બનાવો છો, તેનાથી હું દૂર અને બેઝાર છું<br />
(સુ. હુદ, આયત: ૫૪)<br />
બેઝારી ઇમાનની જરૂરત (શર્ત) છે:<br />
આ પ્રકારની ઘણી બધી આયતો કુર્આને કરીમમાં મૌજુદ છે જેમાં ખુદા સિવાયની તાકતોથી સ્પષ્ટ રીતે બરાઅત વ્યક્ત કરવામાં આવી છે. આનો મતલબ એ છે કે તૌહિદના અકીદાની શર્ત છે: ગૈરે ખુદાઇ તાકતોથી બરાઅત. આ આયતોમાં તો ગૈરે ખુદા અથવા અલ્લાહના વિરૂધ્ધની તાકતોથી દૂરી અને બરાઅતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુર્આને કરીમની આયતોમાં આ તમામ લોકોથી દોસ્તી ન કરવી અને તેનાથી દૂરી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે, જે ખુદા અને રસુલ(સ.અ.વ.)ના દુશ્મન છે.<br />
જે કુર્આની શિક્ષણ છે તે જ મકતબે એહલેબૈત (અ.મુ.સ.)નું શિક્ષણ છે. દાખલા તરીકે બેહતરીન અમલના વિશે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું છે:<br />
&#8220;ઇન્ન અફઝલદ્દીને અલ્ હુબ્બો ફીલ્લાહે વલ્ બુગ્ઝો ફીલ્લાહે<br />
&#8220;યકીનન ખુદાના માટે કોઇનાથી મોહબ્બત કરવી અને ખુદાના માટે કોઇથી નફરત અને બુગ્ઝ રાખવું એ સૌથી ઉત્તમ દીન છે.<br />
(ગોરરૂલ હેકમ, મિઝાનુલ હિકમત હદીસ નં: ૩૧૮૩)<br />
એટલુ જ નહી પણ જે આલિમે અક્કલ અને ડહાપણથી ઇન્સાફ કર્યો છે અને પોતાના ઇલ્મને હકની કસોટી પર ચકાસ્યું છે, તેણે પણ આ લખાણ પર અમલ કરવાની કોશિશ કરી છે. આ વિષયમાં વાંચકો માટે આ રિવાયત વર્ણવીએ છીએ.<br />
આ રિવાયત એહલે સુન્નતના આલીમેદીન મુત્તકી હિન્દીએ ક્ધઝુલ ઉમ્માલ (૨૪૬૩૮ મી હદીસ)માં નકલ કરી છે.<br />
&#8220;અફ્ઝલુલ્ અઅ્માલે અલ્ હુબ્બો ફીલ્લાહે વલ બુગ્ઝો ફિલ્લાહે<br />
&#8220;સૌથી શ્રેષ્ઠ અમલ અલ્લાહ માટે મોહબ્બત અને અલ્લાહ માટે નફરત છે.<br />
મામુને હઝરત ઇમામ રેઝા(અ.સ.)થી સવાલ કર્યો કે આપ ખાલિસ દીન અને તેનો ખુલાસો અને તેની રૂહ બયાન ફરમાવો. ઇમામ(અ.સ.) અમુક વાક્યોમાં આ વાત બયાન કરતા કહ્યું:<br />
&#8220;વ હુબ્બો અવ્લીયાઇલ્લાહે તઆલા વાજીબુન વ કઝાલેક બુગ્ઝો અઅદાઇલ્લાહે વલ બરાઅતો મીન્હુમ વ મીન અઇમ્મતેહીમ<br />
&#8220;અલ્લાહના અવ્લીયાથી મોહબ્બત કરવી વાજીબ છે અને એ રીતે અલ્લાહના દુશ્મનોથી નફરત કરવી અને દુશ્મની રાખવી અને તેમના રેહનુમાઓથી બરાઅત અને દૂરી રાખવી વાજીબ છે.<br />
(ઓયુને અખ્બારે રેઝા(અ.), ભાગ: ૨, પાના: ૧૨૧)<br />
આથી સ્પષ્ટ થાય છે કે ઇસ્લામમાં જ્યાં ખુદા, તેના રસુલ અને તેના અવ્લીયાથી મોહબ્બત લાઝીમ છે, ત્યાં તેમના દુશ્મનોથી નફરત અને બરાઅત પણ લાઝીમ છે. અગર કોઇ શખ્સ ખુદા, રસુલ અને તેના અવ્લીયાથી મોહબ્બત તો રાખે છે પરંતુ તેમના દુશ્મનોથી બેઝાર નથી તો તેનું ઇમાન અધુરૂ છે અને પરિભાષામાં તેને મુનાફીક કહેવામાં આવે છે. આ મોહબ્બત અને નફરત એટલી બધી મહત્વની છે કે:<br />
ખુદાવંદે આલમે હઝરત મુસા(અ.સ.) તરફ વહી કરી:<br />
&#8220;અય મુસા(અ.સ.) શું તમે મારા માટે કોઇ કામ કર્યુ છે? જ.મુસા(અ.)એ અર્જ કરી, હા પરવરદિગાર મેં તારા માટે નમાઝ પઢી, તારા માટે રોઝા રાખ્યા, તારી રાહમાં ખર્ચ કર્યો અને હંમેશા તારી યાદમાં રહું છું.<br />
ખુદાએ ફરમાવ્યું: &#8221; નમાઝ તમારા માટે હકની નિશાની અને અલામત છે, રોઝા જહન્નમની આગ સામે ઢાલ છે, મારી રાહમાં ખર્ચ કરવો તે કયામતના દિવસે છાયાવાળું ઝાડ હશે, મારી યાદ નૂર છે. એ બતાવો કે તમે મારા માટે કયો અમલ અંજામ આપ્યો? જ.મુસા(અ.)એ અરજ કરી &#8220;પરવરદિગાર! આ બાબતમાં તું જ મારી રેહનુમાઇ કર.<br />
અલ્લાહ તબારક વ તઆલાએ ફરમાવ્યું:<br />
&#8220;હલ વાલય્ત લી વલીય્યન વ હલ આદય્ત લી અદુવ્વન કત્તો ફ અલેમ મુસા અન્ન અફઝલલ અઅ્માલે અલ હુબ્બો ફીલ્લાહે વલ્બુગ્ઝો ફીલ્લાહે<br />
&#8220;શું તમે મારા માટે કોઇને દોસ્ત રાખ્યો છે. શું ફક્ત મારા માટે કોઇનાથી દુશ્મની કરી છે. તે સમયે મુસા(અ.)ને માલુમ થયું કે સૌથી અફઝલ અમલ ખુદાના માટે મોહબ્બત કરવી અને ખુદાના માટે દુશ્મની રાખવી તે છે.<br />
(સફીનતુલ બેહાર, ભાગ: ૧, પાના: ૨૦૧)<br />
(તફસીરે નમુના, ભાગ: ૨૩, પાના: ૪૭૩-૪૭૪)<br />
નેકીની ઓળખાણ :<br />
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું:<br />
&#8220;અગર તમે એ જાણવા ચાહતા હો કે તમારામાં કંઇક ભલાઇઓ અને નેકી છે, તો તમે તમારા પોતાના દિલ ઉપર નજર કરો, અગર તે ખુદાના મુતીઅ (ઇતાઅત ગુજારો) અને ફરમાબરદારોને દોસ્ત રાખે છે, ગુનેહગારો અને નાફરમાનોથી નફરત કરે છે, તો અલ્લાહ તમને દોસ્ત રાખે છે અને અગર તે મુતીઅ અને ફરમાબરદારોથી નફરત કરે છે અને ગુનેહગારો અને નાફરમાનોને દોસ્ત રાખે છે, તો તમારામાં કોઇ ભલાઇ અને ખૈર નથી અને ખુદા તમારાથી નફરત કરે છે, તમને નાપસંદ કરે છે, કારણ કે માણસ તેના ચાહવાવાળાઓની સાથે છે.<br />
(સફીનતુલ બેહાર, ભાગ: ૧, પાના: ૨૦૧)<br />
(તફસીરે તમુના, ભાગ: ૨૩, પાના: ૪૭૪)<br />
એ વાત એકદમ સ્પષ્ટ છે કે એહલેબૈત(અ.સ.)થી વધીને કોઇ પણ અલ્લાહના મુતીઅ અને ફરમાબરદાર નથી અને તેઓ(અ.સ.) એટલા બધા અલ્લાહના ઇતાઅત ગુઝાર છે કે તેમની ઇતાઅત અલ્લાહની ઇતાઅત અને તેમની મોહબ્બત ખુદાની મોહબ્બત છે. હવે જ્યારે આ હઝરતો(અ.સ.) પરવરદિગારની ઇતાઅત અને મોહબ્બતના મુજસ્સમ મઝહર છે તો પછી દરેક એ શખ્સ જે તેમનો વિરોધી છે, તે ખુદાનો નાફરમાન છે અને તેમનો દુશ્મન ખુદાનો દુશ્મન છે. હવે કોઇ શખ્સ પોતાની જાતને પારખવા માંગે અને પોતાના વુજુદમાં ખૈર અને નેકીને જાણવા ચાહે તો જુએ કે તેના દિલમાં મોહમ્મદો આલે મોહમ્મદથી કેટલી મોહબ્બત અને લાગણી છે અને તેમના દુશ્મનોથી કેટલી નફરત અને બુગ્ઝ છે. અગર મોહબ્બતની લાગણી તો છે, પરંતુ તેમના દુશ્મનોથી નફરત નથી તો આ એ શખ્સ છે જેનામાં ખૈર નથી કારણ કે એક દિલમાં બે વિરોધી બાબતો હરગીઝ ભેગી નથી થઇ શક્તી. એહલબૈત(અ.સ.)ની મોહબ્બતની સાથો સાથ તેમના દુશ્મનોથી લગાવ પણ!! ખુદા અને મુર્તિ એક જગ્યાએ જમા નથી થઇ શક્તા.<br />
આ પણ એક હકીકત છે કે જે દિલમાં એહલેબૈત(અ.સ.)ના દુશ્મનોથી લગાવ હોય અને દિલમાં તેમના(અ.સ.)ના દુશ્મનો પ્રત્યે કુણી લાગણી હોય તો એવા ગંદા દિલમાં કોઇ બીજાની મોહબ્બત આવે તો આવે પણ પાકો પાકીઝા આયતે તત્હીરના માલિકની મોહબ્બત હરગીઝ આવી નથી શકતી. પરંતુ આ કસોટી પાર પાડવા માટે કોઇ એવી રીત અને પદ્ધતિ પણ હોવી જોઇએ જે ખુદ પોતે કહે કે મોહબ્બતનો હક અદા થયો છે અને તબર્રા અને બરાઅતનો પણ હક અદા થયો છે. આ તરસને છીપાવવા માટે આપણા માસુમ રેહનુમાઓએ આપણને ઝિયારતનો મજમુઓ અને તેને પઢવાની રીત પણ શીખવાડી છે અને તેના ‘મઆરીફ’ થી આપણને આગાહ પણ કર્યા છે.<br />
મઆરીફે ઝિયારત:<br />
અઇમ્મએ માસુમીન(અ.સ.)ની જે ઝિયારતો વર્ણવવામાં આવી છે, તેમાં ઇસ્લામી શિક્ષણને ખુબ જ સુંદર અંદાજમાં બયાન કરવામાં આવ્યું છે. આ ઝિયારતો હકીકતમાં હદીસો અને રિવાયતો છે જે ઝિયારતના રૂપમાં બયાન કરવામાં આવી છે. જે બાબતો એ ઝિયારતોમાં બયાન કરવામાં આવી છે તે હક છે, તેને તસ્લીમ કરવું અને તેમાં જણાવ્યા મુજબ પોતાના અકીદા, એહકામ અને અખ્લાકને બનાવવા તમામ મોહિબ્બાને એહલેબૈત(અ.સ.)ની જવાબદારી છે. આ ઝિયારતો ઇસ્લામી શિક્ષણના એ એવા મોટા અરિસા છે, જેમાં જોઇને ઇન્સાન પોતાની ઝીંદગીના તમામ પાસાઓ અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની સીરત પ્રમાણે બનાવી શકે છે.<br />
સનદ પ્રમાણે મોટા ભાગની ઝિયારતો મોઅતબર અને સનદ ધરાવનાર છે પરંતુ આ ઝિયારતોમાં ઝિયારતે આશુરા અને ઝિયારતે જામેઆ કબીરા ખાસ મહત્વ ધરાવે છે. આ એ ઝિયારતો છે જે સનદના દ્રષ્ટિકોણથી એકદમ ભરોસાપાત્ર અને મુસ્તનદ છે. અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.) અને ખાસ કરીને ઇમામે ઝમાના(અ.સ.)એ આ ઝિયારતોને વારંવાર પઢવાની તાકીદ કરી છે. આ અઇમ્મએ માસુમીન(અ.)ની તાકીદની અસર છે કે દરેક ઝમાનાના ઓલમા તેમની ઝિયારતોના પાબંદ રહ્યા છે. ઓલમાએ કરામનો આ સતત અમલ આ ઝિયારતોના ભરોસાપાત્ર અને પ્રમાણીત હોવાની એક વધુ દલીલ છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને ઝિયારતે આશુરા અને ઝિયારતે જામેઆ કબીરાના અમૂક વાક્યોનું વર્ણન કરવાની ખુશનસીબી હાંસિલ કરીએ છીએ.<br />
ઝિયારતે આશુરા અને બરાઅત:<br />
 (૧)<br />
ઝિયારતે આશુરામાં ૭ જગ્યાએ બરાઅતનો ઉલ્લેખ છે. આ પુનરાવર્તન નથી પરંતુ બરાઅતના મહત્વ પર ભાર મુકે છે. આ પણ ધ્યાનમાં રહે કે બરાઅત અને લાઅનત બંને સ્વતંત્ર જવાબદારી છે. એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનો અને કાતિલો પર લાઅનત કર્યા પછી આ વાક્ય છે.<br />
&#8220;બરેઅ્તો એલલ્લાહે વ એલય્કુમ મિન્હુમ્ વ (મિન્) અશ્યાએહીમ્ વ અત્બાએહીમ્ વ અવ્લેયાએહીમ્<br />
&#8220;હું ખુદાની બારગાહમાં અને અય એહલેબૈત(અ.) આપની બારગાહમાં એ તમામ લોકોથી, તેમના અનુયાયીઓથી, તેમની પૈરવી કરવાવાળા અને તેમને દોસ્ત રાખવાવાળાઓથી પોતાની બરાઅત અને બેઝારી તથા દૂરીનું એલાન કરૂ છું<br />
આ જુમ્લામાં ફક્ત એ લોકોથી દૂરીને વ્યક્ત નથી કરી જેઓએ ઇમામ હુસૈન(અ.સ.) પર ઝુલ્મ કર્યા અને તેમને શહીદ કરી દીધા બલ્કે સાથો સાથ તે લોકોથી પણ બેઝારીનું એલાન છે જે તે ઝાલિમો અને કાતિલોના નક્શે કદમ પર ચાલી રહ્યા છે, તેઓની પૈરવી કરી રહ્યા છે અથવા તેઓને દોસ્ત રાખે છે. કારણ કે આ પ્રકારના લોકો દરેક ઝમાનામાં જાહેર થતા રહે છે. આ કારણે બરાઅતને જાહેર કરવું દરેક ઝમાનામાં જરૂરી છે.<br />
(૨)<br />
&#8220;યા અબા અબ્દીલ્લાહે ઇન્ની અતકર્રબો એલલ્લાહે વ એલા રસુલેહી વ એલા અમીરીલ્ મોઅ્મેનીન વ એલા ફાતેમત વ એલલ્ હસને વ એલય્ક બેમોવાલાતેક વ બીલ્ બરાઅતે મિમ્મન્ અસ્સસ અસાસ ઝાલેક વ બના અલય્હે બુન્યાનહુ વ જરા ફી ઝુલ્મેહી વ જવ્રેહી અલય્કુમ વ અલા અશ્યાએકુમ<br />
&#8220;અય અબા અબ્દીલ્લાહ (હુસૈન ઇબ્ને અલી અ.સ.) હું અલ્લાહની બારગાહમાં નજદીકી ચાહું છું, તેના રસુલની બારગાહમાં, અમીરૂલ મોઅમેનીનની બારગાહમાં, જનાબે ફાતેમા ઝહરા(સ.)ની બારગાહમાં, ઇમામ હસનની બારગાહમાં અને આપ(અ.સ.)ની બારગાહમાં&#8230;<br />
(થોડું વિચારો ખુદા અને પંજેતન પાકની બારગાહમાં કુરબત, શું દુનિયામાં ખુદા અને પંજેતન પાકથી વધીને કોઇ મહાન હસ્તીઓ છે જેનાથી નજદીકી હાંસિલ કરવામાં આવે? અને જે ચીજ વડે કુરબત હાંસિલ થાય તેનાથી વધુ મહત્વની બીજી કઇ ચીજ હોય શકે? એ વાત પણ યાદ રહે કે ઝિયારતનો આ જુમ્લો ફક્ત ગુનેહગાર લોકો જ અદા નથી કરતા બલ્કે માસુમીન(અ.મુ.સ.)એ પણ અદા કર્યો છે. જેઓ પોતે પણ અલ્લાહથી ખૂબ નજદીક છે. પરંતુ આ વાક્ય જાહેર કરે છે ખુદા અને પંજેતને પાકની બારગાહમાં કુરબત અને વધારે કુરબતનો મકસદ છે તો તેનો તરીકો છે અને જ્યારે બારગાહે ખુદા અને પંજેતનમાં આ વાક્ય કુરબતનું માધ્યમ છે તો બાકીની ઉમ્મત માટે તેનાથી વધારે ભરોસાપાત્ર કઇ વાત હોઇ શકે)<br />
&#8220;આપની મોહબ્બત અને મોવદ્દત તથા તે લોકોથી બેઝારી થકી જે લોકોએ એ ઝુલ્મ અને જોરની બુનિયાદ રાખી અને તે લોકોથી પણ જેઓએ તે બુનિયાદ પર ઇમારત બનાવી અને તે લોકોથી પણ જેઓ આ ઝુલ્મના રસ્તા પર ચાલ્યા જેઓએ આપ પર ઝુલ્મ કર્યા અને આપના શીઆઓ પર ઝુલ્મ કર્યા<br />
૩, ૪, ૫:<br />
&#8220;બરેઅ્તો એલલ્લાહે વ એલય્કુમ મિન્હુમ્ વ અતકર્રબો એલલ્લાહે સુમ્મ એલય્કુમ બે મોવાલાતેકુમ વ મોવાલાતે વલીય્યેકુમ વ બીલ્ બરાઅતે મિન્ અઅ્દાએકુમ્ વન્નાસેબીન લકોમુલ્ હર્બ વ બીલ્ બરાઅતે મિન્ અશ્યાએહીમ્ વ અત્બાએહીમ્<br />
(આ અમુક વાક્યોમાં ત્રણ વખત શબ્દ ‘બરાઅત’નો ઉપયોગ થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ખુદા, રસુલ(સ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી દૂરી કેટલી હદે જરૂરી છે.)<br />
&#8220;હું અલ્લાહની બારગાહમાં અને આપ હઝરાતની બારગાહમાં એ તમામ લોકોથી બરાઅત અને બેઝારીનું એલાન કરૂ છું અને અલ્લાહથી કુરબત હાંસિલ કરૂ છું. પછી આપ હઝરાતની બારગાહમાં કુરબતનો તલબગાર છું. આપની મોહબ્બત અને મવદ્દત વડે અને આપના ચાહવાવાળાઓની મોહબ્બત વડે અને એ તમામ લોકોથી બરાઅત અને બેઝારી વડે જે આપના દુશ્મન છે અને આપની સામે જંગ કરનારા છે. હું તેઓથી પણ દૂર અને બેઝાર છું. તેમના ચાહવાવાળાઓથી પણ અને તેમની પૈરવી કરવાવાળાઓથી પણ દૂર છું.<br />
ઝિયારતના આ વાક્યો ન ફક્ત એહલેબૈત(અ.)થી મોહબ્બત અને મવદ્દત તથા તેમના દુશ્મનોથી દૂરી અને બેઝારી એ અલ્લાહ અને એહલેબૈત(અ.)ની કુરબતનો ઝરીઓ છે, બલ્કે એહલેબૈત(અ.)ના ચાહવાવાળાઓથી મોહબ્બત અને તેમના દુશ્મનોથી દુશ્મની એટલુ જ નહી, બલ્કે તેમના દુશ્મનોના ચાહવાવાળાઓથી બરાઅત અને બેઝારી પણ ખુદાની કુરબતનો ઝરીઓ છે. આથી જ્યાં સુધી આ દુનિયામાં એહલેબૈત(અ.)ના ચાહવાવાળા અને તેમના દુશ્મનોના ચાહવાવાળા મૌજુદ છે, ત્યાં સુધી આ મોહબ્બત અને બરાઅતનો સિલસિલો શરૂ છે કારણ કે આ પ્રકારના લોકો દરેક જગ્યાએ છે. આથી દરેક જગ્યાએ મોહબ્બત અને બરાઅત જરૂરી છે.<br />
(૬)<br />
&#8220;ફ અસ્અલુલ્લાહલ્લઝી અક્રમની બે મઅ્રેફતેકુમ્ વ મઅ્રેફતે અવ્લેયાએકુમ્ વ રઝકનીલ્ બરાઅત મિન્ અઅ્દાએકુમ્ અન્ યજ્અલની મઅકુમ્ ફીદ્ દુન્યા વલ્ આખેરતે<br />
&#8220;પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરૂ છું કે જેણે આપની માઅરેફત અને આપના દોસ્તોની માઅરેફત આપીને મને કરામત અને ઇઝ્ઝત બક્ષી અને આપના દુશ્મનોથી દૂરી અને બરાઅતનું મહાન રિઝ્ક અતા કર્યુ. દુનિયા અને આખેરતમાં અમને આપની સાથે રાખે.<br />
દુનિયા અને આખેરતમાં કોઇનો પણ મરતબો મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)થી ઉંચો નથી. ન કોઇ નબી, ન કોઇ રસુલ, ન કોઇ શહીદ, ન કોઇ મુકર્રબ ફરિશ્તો, ન કોઇ ઇબાદત ગુઝાર, ન કોઇ &#8230;.. સૌથી બુલંદ દરજ્જો અને મંઝેલત મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને મળેલ છે. દુનિયામાં અને આખેરતમાં તો શું કહેવું. આખેરતમાં મોહમ્મદો આલે મોહમ્મદની શાન અને મંઝેલત એ હશે કે, તેને જોઇને બારગાહે ખુદાવંદીમાં મુકર્રબતરીન લોકો પણ ખ્વાહીશ કરશે. દુનિયા અને આખેરતમાં આ બુલંદ તરીન મંઝેલત પર બિરાજમાન શખ્સીયતોની સાથે રહેવા માટે બે શર્તો છે. એક મોહમ્મદો આલે મોહમ્મદ અને તેમના દોસ્તોની મઅરેફત અને બીજુ તેમના દુશ્મનોથી બરાઅત અને બેઝારી. ઉડવા માટે બે પાંખો જરૂરી છે. ફક્ત એક પાંખથી ઉડવું અશક્ય છે. અલ્લાહ તઆલાની કુરબત અને મોહમ્મદો આલે મોહમ્મદની સાથે રહેવાની મહાન મંઝિલ સુધી ઉડવા માટે બે પાંખો જરૂરી છે. એક વિલાયત અને મોહબ્બતની પાંખ અને બીજી બરાઅત અને બેઝારીની પાંખ. જેની એક પાંખ પણ લકવાગ્રસ્ત થઇ ગઇ હોય અથવા કમઝોર થઇ ગઇ તો તે પડતી તરફ ફડફડાતો રહેશે.<br />
(૭)<br />
&#8220;અલ્લાહુમ્મ ઇન્ની અતકર્રબો એલય્ક ફી હાઝલ્ યવ્મે વ ફી મવ્કેફી હાઝા, વ અય્યામે હયાતી બીલ્ બરાઅતે મીન્હુમ્ વલ્લઅ્નતે અલય્હીમ્ વ બીલ્ મોવાલાતે લેનબીય્યેક વ આલે લેનબીય્યેક અલય્હે વ અલય્હેમુસ્સલામ<br />
&#8220;ખુદાયા! હું તારી બારગાહે અકદસમાં કુરબત હાંસિલ કરી રહ્યો છું આજના દિવસે અને આ જગ્યાએ, બલ્કે મારી જીંદગીમાં દરરોજ. આ (એહલેબૈત(અ.)ના દુશ્મનો)થી બેઝારી અને બરાઅત અને તેના પર લાઅનત મોકલીને અને તારા નબી અને તારા નબીની આલ (તેમના ઉપર અને તેમની આલ પર તારા સલામ થાય)ની મોહબ્બત અને મવદ્દત અને વિલાયત થકી<br />
અહીં પણ અલ્લાહની કુરબત માટે બે ચીજોને જરૂરી ગણવામાં આવી છે. એક મોહબ્બત અને બીજુ બરાઅત. પરંતુ એક વધારાની સાથે કે આ કુરબત ફક્ત એક દિવસ અથવા એક ખાસ જગ્યાથી મખ્સુસ નથી ‘અય્યામ હયાતી’ આખી ઝિંદગી અને દરરોજ એટલે કે જ્યારે પણ કુરબતે ખુદાનો ઇરાદો હોય અને બારગાહે ઇલાહીમાં હાજરીનો ઇરાદો હોય તો આ બંને ચીજો જરૂરી છે.<br />
જનાબ શૈખ અબ્બાસે કુમ્મી(રેહમતુલ્લાહે અલય્હે) મફાતિહુલ જીનાનમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતના પ્રકરણમાં લખે છે કે આ ઝિયારત જનાબે યુનુસ બીન ઝબયાનના થકી હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)થી નકલ થઇ છે. આ રિવાયત સનદના દ્રષ્ટિકોણથી ભરોસાપાત્ર અને મુસ્તનદ છે. આ બેહતરીન ઝિયારત છે. આ ઝિયારતમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબત અને તેમની અઝમત અને વિશાળતાનું વર્ણન કરવામાં આવ્યું છે અને નિઝામે કાએનાતમાં એહલેબૈત(અ.મુ.સ.)ની અઝમત અને તેમના વસીલાને બયાન કરવામાં આવ્યો છે અને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખુદાની બારગાહમાં જે કાઇ પણ ઇનાયત અને ફઝ્લ થાય છે, તે તમામ મોહમ્મદો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના વસીલાથી થાય છે. આ ઝિયારતનું આખરી વાક્ય આ છે કે ત્રણ વખત કહે.<br />
&#8220;અના એલલ્લાહે મીમ્મન્ ખાલફક બરીઉન્<br />
&#8220;હું ખુદાની બારગાહમાં જે લોકોએ આપની મુખાલેફત કરી તેમનાથી બરાઅત અને બેઝારીનું એલાન કરૂ છું<br />
ઝિયારતે જામેઆ અને બરાઅત:<br />
ઝિયારતે જામેઆનો આ ફકરો કેટલો અર્થસભર છે. ક્યા ક્યા લોકો અને સમૂહોથી બરાઅત જરૂરી છે, તે દર્શાવે છે.<br />
&#8220;ફ મઅકુમ્ મઅકુમ્ લા મઅ ગય્રેકુમ્ આમન્તો બેકુમ્ વ તવલ્લય્તો આખેરકુમ્ બેમા તવલ્લય્તો બેહી અવ્વલકુમ્ વ બરેઅ્તો એલલ્લાહે અઝ્ઝ વ જલ્લ મિન્ અઅ્દાએકુમ્ વ મેનલ્ જીબ્તે વત્તાગુતે વશ્શયાતીને વ હિઝ્બેહેમુઝ્ ઝાલેમીન લકુમ્ વલ્જાહેદીન લે હક્કેકુમ્, વલ્મારેકીન મિન્ વલાયતેકુમ્ વલ્ ગાસેબીન લેઇર્સેકુમ્, વશ્શાકીન ફીકોમુલ્ મુન્હરેફીન અન્કુમ્, વ મિન્ કુલ્લે વ લીજતે દૂનકુમ્ વ કુલ્લે મોતાઈન્ સેવાકુમ્ વ મેનલ્ અઇમ્મતીલ્ લઝીન યદ્ઉન એલન્નારે<br />
&#8220;પછી હું તમારી સાથે છું તમારી સાથે છું. હું  આપના સિવાયનાની સાથે નથી. આપના પ્રથમ અને આખીરની વિલાયત અને ઇમામતનો માનવાવાળો છું, એટલે કે તમામ ઇમામોની ઇમામતનો માનનારો છું અને અલ્લાહ તઆલાની બારગાહમાં બેઝારી અને બરાઅતનો ઇઝહાર કરૂ છું &#8230;..<br />
હવે જરા વિચારો કે કેવા કેવા લોકોથી બરાઅત અને બેઝારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનાથી અંદાજો આવી જશે કે એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતો ઇકરાર તેમની મોહબ્બત અને મવદ્દતનો તકાઝો છે કે એ તમામ લોકોથી બરાઅત અને બેઝારી રાખવામાં આવે. ધ્યાન આપો:<br />
(૧) આપના દુશ્મનોથી (૨) જીબ્તથી (૩) તાગુતથી (૪) શયતાનથી (૫) તેમના સમૂહોથી (૬) જેઓએ આપ પર ઝુલ્મ કર્યો તેનાથી (૭) જેઓએ આપના હકનો ઇન્કાર કર્યો તેનાથી (૮) જેઓ આપની વિલાયત અને ઇમામતથી નીકળી ગયા તેઓથી (૯) જેઓએ આપની મિરાસને છીનવી લીધી તેનાથી (૧૦) તેઓ કે જેઓ આપની ઇમામત અને હક્કાનીય્યતમાં શક કરે છે, તેનાથી. (૧૧) તે લોકોથી કે જેઓએ આપનાથી મોઢુ ફેરવી લીધેલુ છે (૧૨) તે લોકોથી કે જેઓ નાહક પોતાને શરીઅતના જવાબદાર સમજે છે (૧૩) તેઓ કે જેઓ આપના મુકાબલામાં પોતાની ઇતાઅતને જરૂરી સમજે છે (૧૪) અને એ તમામ રહેનુમાઓથી કે જેઓ લોકોને જહન્નમની આગ તરફ બોલાવે છે.<br />
આ રીતે આ ૧૪ પ્રકારના સમૂહો છે જેનાથી બરાઅત અને બેઝારી જરૂરી છે. આથી આપણે જ્યારે ઝિયારતે જામેઆ પઢીએ તો એ વાતનો ખ્યાલ રહે કે આ પ્રકારના વાક્યો પઢતી વખતે બલ્કે ઝિયારતના દરેક જુમ્લા પઢતી વખતે દિલ અને જીભ એક સાથે હોય. જીભથી બેઝારી કરવા પહેલા દિલથી બેઝારી કરવી જરૂરી છે. આમાંથી દરેક વાક્યો કાયદેસર સમજણ માંગી લે તેમ છે.<br />
કુર્આની આયતો અને મકતબે એહલેબૈત(અ.મુ.સ.)થી વારિદ થવાવાળી ઝિયારતો થકી એકદમ ટુંકમાં અભ્યાસ કર્યો છે. પરંતુ આ ખુબ જ રસપ્રદ અને વિશાળ વિષય છે જેના વિશે લખવા માટે અમૂક પાનાઓ પુરતા નથી. અંતમાં ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની દુઆ પર સુંદર અંતની ખુશનસીબી હાંસિલ કરીએ છીએ.<br />
&#8220;ખુદાયા! હું તારી પાસે તારી મોહબ્બતની દરખાસ્ત કરૂ છું અને એ લોકોની મોહબ્બત જે તને મોહબ્બત કરે છે અને દરેક એ અમલની મોહબ્બત જે તારી કુરબતનો સબબ છે. ખુદાયા! તારી મોહબ્બત મને સૌથી વધારે પ્રિય હોય અને મારી આ મોહબ્બત તારી જન્નતના માટે રહેનુમા બને<br />
(મુનાજાતે મોહિબ્બીન, મુનાજાત: ૯)<br />
&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;-<br />
હુસૈનીયત શું ખબર કેવી બરકતો અને આસાર છે જેણે પક્ષપાતના લોખંડી કિલ્લાઓની સરહદોને તોડીને દરેક ગૌરો ફિક્ર કરનાર શખ્સ અને દર્દમંદ દિલ તથા ઇન્સાનીય્યતથી ઇન્સાફ કરવાનો કોઇ ખુણો (બાબત) અગર પ્રકાશિત છે તો તે ઇમામ હુસૈન(અ.સ.)ની સબ્ર, સ્વતંત્રતા, મજબુત ઇરાદો અને ઇમામ હુસૈન(અ.સ.)ના હકના રક્ષણમાં જે જુરઅત અને હોંસલાને બતાવ્યું અને આપના એહલે હરમે જે મંઝિલોથી પસાર થઇને ઇસ્લામનો વકાર, તેની ઇઝ્ઝત અને તેનો એહતેરામ બચાવ્યો છે. તેનો સ્વિકાર કરી લીધો અને ઇમામ હુસૈન(અ.સ.)ના ચાહક બની ગયા અને આપના દુશ્મનોથી બેઝાર થઇ ગયા છે. આ સમૂહમાં એક હિંદુ શાયરે મરકઅ નિગારી ને એક અલગ રંગ આપ્યો છે. જનાબે ઝયનબ જ્યારે પોતાની માદરે ગિરામીની કબ્ર પર આવે છે તો ફરમાવે છે:<br />
કરબલા જલ્વાગીરે શાને ખુદાથી બીબી<br />
કરબલા એહમદે મુરસલકી દુઆથી બીબી<br />
કરબલા મરકઝે મેઅરાજે વફાથી બીબી<br />
કરબલા મંઝિલે તસ્લીમો રઝાથી બીબી<br />
દીન કી જલ્વાગીરી અર્શ તલક જાતી થી<br />
ઝીંદગી રક્સ મેં થી, મૌત મરી જાતી થી<br />
આ શેરમાં મરકઝે મેઅરાજે વફા, મંઝિલે તસ્લીમો રઝા, એહમદે મુરસલ(સ.)ની દુઆ. એવું લાગે છે કે કરબલાના માટે એક એક વિષય છે અને આ સારી શાયરીનો કમાલ છે કે ઝીંદગી ખુશખુશાલ હતી અને મૌત મરતી હતી. આની કળા, તજનીસ અને એવા અંદાજમાં છે કે વાત દિલમાં ઉતરી જાય છે.<br />
&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;-</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=693</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ફરીયાદનું તરસ્યુ દિલ આવ્યું</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=691</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=691#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 14:25:06 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૩૩]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=691</guid>
		<description><![CDATA[જે ઝડપ અને પ્રવાહની સાથે ફેરફારનું પૂર વર્તમાન યુગમાં દુનિયા ભરમાં આવ્યું છે, કદાચ માનવજાતની ખિલ્કતથી લઇને આ ઝમાનાની શરૂઆતના પહેલા સુધી કદી નથી આવ્યું. વર્તમાન યુગથી મુરાદ અડધી સદીના દસમાં ભાગ પહેલાનો ઝમાનો જેના ઘેરાવમાં આવે છે. વૈજ્ઞાનિક શોધો અને ઝીંદગીની નવી નવી શાખાઓ સુધીની બેશુમાર પહોંચે, પુસ્તક, ભૌતિક પ્રગતિઓ, વાસ્તવિકતા ઉપરથી જ્યારે પડદા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>જે ઝડપ અને પ્રવાહની સાથે ફેરફારનું પૂર વર્તમાન યુગમાં દુનિયા ભરમાં આવ્યું છે, કદાચ માનવજાતની ખિલ્કતથી લઇને આ ઝમાનાની શરૂઆતના પહેલા સુધી કદી નથી આવ્યું. વર્તમાન યુગથી મુરાદ અડધી સદીના દસમાં ભાગ પહેલાનો ઝમાનો જેના ઘેરાવમાં આવે છે. વૈજ્ઞાનિક શોધો અને ઝીંદગીની નવી નવી શાખાઓ સુધીની બેશુમાર પહોંચે, પુસ્તક, ભૌતિક પ્રગતિઓ, વાસ્તવિકતા ઉપરથી જ્યારે પડદા હટ્યા, તો ઇન્સાનના આસ્માની હોંસલા આકાશના છેડાઓને અડવાની હિંમત કરવા લાગ્યા. જ્યારે આવી ક્રાંતિ આપણી સમક્ષ છે, જાણે કે કાએનાતનો તખ્તો જ પલ્ટી ગયો છે. વિશ્ર્વની તમામ જમીન ઉપર જાણે કે બીજી દુનિયા વસી ગઇ છે. ત્યારે જોઇએ કે એક શીઆ કૌમ કે જે આ જ દુનિયામાં વસી રહી છે, તેના ઉપર શું અસર થઇ છે?<br />
આ કૌમની વ્યક્તિગત અને સામૂહિક વિચારધારા, રહેણીકરણી, જીવન જીવવાની પધ્ધતિ, બોલ-ચાલ, મત-ભેદો અને સહમતીઓ, જુદા જુદા વંશમાં મિશ્રિત પ્રચારો, દ્રષ્ટિકોણો, વિચારો, અલગ અલગ સ્થળોમાં રહેનારાઓના સ્વભાવ, બીજી કૌમ સાથે સંપર્કના તરીકાઓ, પ્રણાલિકા, વિચારધારા, મસલેહતી વિચાર, ધંધાકીય અને આર્થિક માધ્યમોની તરફ જુકાવ. આવા અસંખ્ય પરિબળો છે, જેનું એક એક કરીને પૃથક્કરણ કરવું અમૂક વાક્યોમાં શક્ય નથી. પરંતુ સામાજીક સ્તર ઉપર જ્યારે કોઇ ધરી બને છે, તો તે એ છે દીનદારી, જેના બે વિભાગો છે, એહકામ અને અકાએદ. તેનું વુજુદ જો કે પ્રાચીન હોય છે, પરંતુ તેના સુધી પહોંચનો વિસ્તાર વધતો જાય છે અને રિવાજોની અદાયગીમાં શોધ થવા લાગે છે.<br />
પરિણામે જે હકીકત વિશ્ર્વ દ્રષ્ટિકોણની રોશનીમાંથી ઉભરીને સામે આવે છે, તે એ છે કે દીનદારીની ધરી ઉપર જ કૌમની ઓળખ બને છે. શું દીનદારીના તમામ પહેલું કૌમના સામાજીક સ્વરૂપમાંથી ઉભરે છે, અથવા શું મઝહબ એક લેબલ અથવા સાઇન બોર્ડની જેમ હોય છે અને કૌમના તાંતણા તેની સાથે બંધ બેસતા નથી? અથવા તો શું બંનેના તાંતણા એવી રીતે જોડાએલા છે કે તેને જુદા નથી કરી શકાતા.<br />
ઇ.સ. ૧૮૫૭ ના બગાવતની દાસ્તાનના ભયાનક દ્રશ્યોથી એ વાત નક્કી થઇ ગઇ હતી કે સામાજીક કૌમના દ્રષ્ટિકોણથી આ દિલને જંજોડી દેનાર બનાવો મોટું ઉદાહરણ હતુ કે દિલ્હીની ચારો તરફ ફક્ત મુસલમાનોની લાશો લટકેલી દેખાતી હતી. ઘણા મુસલમાનોને કતલગાહમાં હરોળ-બંધ ઉભા રાખ્યા હતા અને અંગ્રેજોએ મુસલમાનોની એક પછી એક એક કરીને ગરદન કાપીને આ લોહી નીકળતી તસ્વીરમાં રંગ ભરી રહ્યા હતા. આ અંગ્રેજો ઇસાઇ મઝહબ સાથે સંબંધ રાખતા હતા. જેમણે કેટલીયે સદીઓનો બદલો મુસલમાનો પાસેથી લેવાનું નક્કી કર્યુ હતું. એક તરફ તેઓ તેમના દીનના રક્ષક પણ હતા અને બીજી તરફ ઇન્સાનીય્યતના નામ ઉપર બેરહેમી અને બદબખ્તીના પ્રચારક પણ હતા. હજુ વધારે દિવસો પસાર નથી થયા કે, અલ્જીરીયાના જાંબાઝ મુસલમાનોએ ફ્રાન્સની ઝાલીમ હુકુમતની સામે અવાજ બુલંદ કરી, તો આ લેખકની પાસે એ રેકોર્ડ મૌજુદ હતો, જે ઝુલ્મોની જહન્નમ જેવી ભડકતી આગમાં મુસલમાનોની ચરબીમાંથી ઉઠતા ભડકાઓ મધ્ય-પૂર્વમાં દૂર દૂર સુધી જોવા મળતા હતા. આ ઝાલિમો અને ઘમંડીઓ એક કૌમ હતા અને ઇસાઇ હતા એટલે ત્રણ ખુદામાં માનનારા હતા. ઇતિહાસની આવી લોહીયાળ દાસ્તાનો જુની છે, પરંતુ તેનો હિસાબ અને સંબંધ હિજરત પછી એટલે કે આખરી રસુલ રસુલે ખુદા(સ.અ.વ.)ની મદીનામાં ઇસ્લામી પ્રચાર અને ઇસ્લામી અને સમજણની સિંચાઇ પછી જે સ્થિતી પૈદા થઇ, તેનું પૃથક્કરણ કરીએ તેના આસાર આજ સુધી સ્પષ્ટ રીતે મળી રહ્યા છે. પ્રાચીન યુગથી લઇને જ્યારે કોઇ કૌમમાં તશરીઇ નબી આવ્યા છે, તો એ સમયે અને એ ઝમાનામાં બહુમતી પ્રજા ઝુલ્મની ઘંટીમાં પિસાઇ રહી હોય છે. જેનાથી નજાતે એ ઝાલીમ હાકીમોથી ટક્કર લીધી છે. પરંતુ જ્યારે સત્તા પરસ્ત સ્વભાવવાળાઓએ નબીના દીનને જોયો કે તે પ્રજાને ઇન્કેલાબી, પોતાના હક તલબ કરનારા બનાવીને જોર પકડી રહ્યો છે, તો તેનો જ સહારો લઇને તે જ દીનમાં ફેરફાર અને તબ્દીલીની સાથે પોતાના રાજકીય સાધનોને માધ્યમ બનાવ્યા. જે સૌ પ્રથમ કદમ આ કોશીષમાં ઉપાડવામાં આવ્યું, તે એ હતુ કે મઝહબને ફેલાવો નરમ અને નાઝુક રીતે ન્યાયના ત્રાજવા ઉપર ઇન્સાનીય્યતને તોળવામાં આવે. બેરહેમીને જાએઝ ન ઠેરવવામાં આવે, અખ્લાકી મુલ્યોના પહોચાડવામાં ઉચ્ચતા પસંદ કરનાર થઇ જાવ, વિનમ્ર થઇ જાવ. શૈક્ષણીક સંસ્થાઓમાં વધારો કરો, પરંતુ તેને એક અલગ પ્લેટફોર્મ આપી દયો, જે પોપની નીચે કામ કરતા રહે અને આ બીજા મઝહબના લોકોનું ધ્યાન તેના તરફ રહે અને તેની શરાફતને કબુલ કરતા રહો અને આ જ રીતે રાજકારણ, હુકુમત અને બાદશાહત અને લોકશાહીનું નામ દઇને એક અલગ પ્લેટફોર્મ આપી દયો. એટલા માટે ઇસાઇય્યતને ખજ્ઞવિંયિ જ્ઞર છયહશલશજ્ઞક્ષ નથી કહેતા, પરંતુ બ્રિટીશ ડેમોક્રેસીને લોકશાહીની માઁ કહેવાય છે. જ્યારે ૧૮૫૭ ના બળવાને લીધે અસંખ્ય ઘરોમાં ભૂખમરાને લીધે પ્રજા કણસી રહી હતી, તો રાણી વિકટોરીયાના ઝમાનામાં મઝહબી કાનુનના હેઠળ મર્યાદિત રાજાશાહીના કાર્યકરતાઓ દેશમાં આ ઝખ્મોનો મલમ લઇને આગળ આવ્યા. દિમાગમાં સિધ્ધાંત અને હુકુમત બનાવવાના પાયાને અરીસો બનાવીને ફરી ભૂતકાળ તરફ પલટીએ અને આ જ ક્રમમાં મદીનાની ઇસ્લામી સંસ્કૃતિને પારખવામાં આવે અને ઓળખવામાં આવે, તો એ મદીના કે જે પ્રથમ યુગમાં એક ઇસ્લામી તેહઝીબની બુનિયાદ ઉપર તરક્કીની તરફ ચાલી પડ્યુ હતું, પરંતુ હઝરત ખાતેમુલ મુરસલીન(સ.અ.વ.)ની વફાત પછી દીનની શરીઅતમાં ફેરફાર થવા લાગ્યા જાણે કે તેના કિનારામાં હુકુમત બનાવવાની ઉધઇ પૈદા થવા લાગી. રિસાલતની તબ્લીગ ઉપર પડદાઓ પડવા લાગ્યા, ગદીરને ભૂલી જવામાં આવ્યુ અને સકીફાને લોકશાહીની માતા કહેવામાં આવ્યું. આ રીતે એ પ્લેટફોર્મ કે જે શરીઅત અને સીરતે મોહમ્મદીની લાવેલી સંસ્કૃતિ માટે સ્થાપવામાં આવ્યું હતું, તેના કિરણોમાં રાજકારણ અને હુકમરાનીઓનું પ્લેટફોર્મ સ્થપાય ગયું. તેથી સાહેબે ગદીરને ઘરમાં બેસાડી દેવામાં આવ્યા અને પસંદ કરેલા સિધ્ધાંતો ઉપર ઇસ્લામને આ પ્લેટફોર્મથી એક ધક્કો લાગ્યો.<br />
પરંતુ પરંતુ આ આખરી આસમાની અને ઇલાહી નિઝામ હતો, તેથી તેના મુહાફિઝ પણ આસમાની અને ઇલાહી કીરદારના હતા. ઇસ્લામ આ પ્લેટફોર્મથી હટીને ખાલીસ મઝહબી પ્લેટફોર્મ પર ચુપકીદીથી ચાલતો રહ્યો. જીવનની વ્યવસ્થાને એ સમયે સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી ત્રીજા ખલીફાની ખિલાફતની ખરાબીઓએ લોકોનું જીવવું હરામ કરી દીધુ. લોકો અલી(અ.સ.)ના દરવાજા ઉપર ટોળે ટોળા વળીને ફરિયાદ કરી રહ્યા હતા. પછી અલી(અ.સ.)એ ૨૦ વર્ષમાં જે શાસકીય પ્લેટફોર્મ ઇસ્લામના ક્ષેત્રમાં આવ્યા હતા. તેને નીસ્તો-નાબુદ કરી દીધું. તેથી એ સમયના કાવતરાખોરોએ ફસાદ બરપા કર્યો, જેનું સૌથી વધારે ભયંકર દ્રશ્ય જંગે નહેરવાનની પ્રાશ્ર્ચાર્દ ભૂમિ હતી.<br />
અલી(અ.સ.)ની ખિલાફત પછી શામની તાકતો જોરમાં આવી અને તે રાજકીય પ્લેટફોર્મ ફરી એટલુ જોર પકડવા લાગ્યું કે હક અને બાતીલની ચર્ચામાં અલી(અ.સ.) અને મઆવીયાના નિઝામ ઉપર ખૂબ જ ચર્ચા થવા લાગી. બૂરૈરે હમદાની અને યઝીદ બીન મોઅક્કલની ચર્ચાઓ ઇતિહાસના પાનાઓમાં આજ સુધી મૌજુદ છે, જે કરબલાના મૈદાનમાં મુબાહેલાના સ્વરૂપે થઇ હતી. કરબલામાં જ્યારે યઝીદ બીન મોઅક્કલ ઉમર ઇબ્ને સાદના કહેવાના લીધે મૈદાનમાં આવ્યો, તો બુરૈરે હમદાની ઇમામ હુસૈન(અ.સ.)ની સામે તડપી ઉઠ્યા અને કહેવા લાગ્યા, મવલા આના મુકાબલામાં મને મોકલો. તે લુઝાનની શેરીઓમાં શક્ય હોય એટલુ અલી(અ.સ.)ની હક્કાનિયત ઉપર મક્કમ હતા. બુરૈરને ઇઝાઝત મળી અને આવ્યા પછી (ટૂંકમાં વર્ણન કરવું છે કે) બુરૈરે કહ્યુ કે ખુદાની બારગાહમાં આપણે બંને અહદ કરીએ કે જે બાતીલ ઉપર હોય તે હકવાળાને હાથે કત્લ થઇ જાય. ઇબ્ને મોઅક્કલે તે સ્વિકાર્યુ. બંને ઘોડા ઉપરથી ઉતરીને અલ્લાહની બારગાહમાં દુઆ કરવા લાગ્યા. આ બંને માંથી એક એ પ્લેટફોર્મનો સભ્ય હતો, જે ઇસ્લામના ક્ષેત્રમાં રાજકારણ અને હુકમરાનીય્યતની તબ્લીગાતના ઉપર વિશ્ર્વાસ રાખતો હતો. બીજો એ હતો કે જે ફક્ત અને ફક્ત જે હઝરત ખાતેમુલ અંબીયાની દીની તાઅલીમાતના પ્લેટફોર્મના ઉદાહરણીય નિઝામ અને તે સંસ્કૃતિની બુનિયાદનો હામી હતો. બુરૈરના હાથે ઇબ્ને મોઅક્કલ કત્લ થયો અને હક સામે આવી ગયું.<br />
ઇલ્યાસ શવકી, અલી જવાદ ઝૈદીની કિતાબ ‘ઇસ્લામી તરક્કી પસંદી’ની પ્રસ્તાવનામાં લખે છે કે માનવ સમાજમાં ઝુલ્મનો સીલસીલો ચાલતો આવે છે, અને આજે પણ જારી છે. પરંતુ ઝુલ્મમાં મઝહબનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. અલી જવાદ ઝૈદી તેમની આ કિતાબમાં લખે છે કે બીજા મઝહબના મુકાબલામાં ઇસ્લામના ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ હતી. અહીં ઇસાઇય્યતની જેમ કોઇ વ્યવસ્થિત ચર્ચ કે મુલ્લાઇ નિઝામ ન હતો. ઇસ્લામી ઓલમા સામાન્ય રીતે તાબેઅ પણ ન હતા. જ્યાં અમૂક ઓલમાઓ દરબાર સાથે જોડએલા રહ્યા છે, ત્યાં આગળ ઇતિહાસ ગવાહ છે કે દીનના એવા મોટા ઓલમાઓ હતા જેણે સલ્તનતની સામે ટક્કર લીધી. શાહી જલાલની ચિંતા કર્યા વગર કૈદ થવા અને શુળીએ ચડવાની સ્થિતીઓમાંથી પણ પસાર થયા અને દીનના વિશે મસ્લેહતથી ઇન્કાર કરી દીધો. ઇસ્લામી તાકત સુવ્યવસ્થિત મુલ્લાઇય્યત અને નેતૃત્વના તાલમેલથી નથી, પરંતુ અઇમ્મએ માસુમીન(અ.સ.)ના ખુલુસ અને એઅતેકાદે અમલથી હાંસીલ થઇ હતી.<br />
લેખક અલી જવાદ ઝૈદી જેવા કદાવર ચિંતકો, સાહેબે નઝર, સાહેબે કલમએ ખુદ ઇસ્લામમાં બે પ્લેટફોર્મ ઉપર વહેંચાયેલ હુકુમતના ઢાંચાને જે મઆવીયાના ઝમાનાથી જોર પકડતો ગયો અને એક પ્લેટફોર્મ કે જે મઅસુમીન(અ.મુ.સ.)નું હતું, તેને શા માટે સ્પષ્ટપણે ન વર્ણવ્યું? બહરહાલ મસ્લેહત જે કાંઇ પણ રહી હોય, પરંતુ આ વાત કાબીલે યકીન સુધી જરૂર પહોંચે છે. તેનો નઝરીયો મુસ્લેમીનથી મુરાદ મઅસુમીન જ રહ્યા હશે. એટલા માટે કે પુરી કિતાબ હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ખુત્બાઓ અને હદીસોથી ભરેલી છે. એટલા માટે કે ઇસ્લામી તરક્કી પસંદી અને લેખકના શબ્દો મુજબ ઝુલ્મનો સીલસીલો સદીઓથી ચાલતો આવ્યો હતો એટલે કે મુસ્તઝઅફ (જેને કમજોર કરી દેવામાં આવ્યા છે તે) અને ઘમંડીઓ વચ્ચે સદીઓથી ટકરાવ ચાલી રહ્યો છે અને એ જોવા મળે છે કે હંમેશા મુસ્તઝઅફએ મુતકબ્બીરને ઠોકરે ચડાવ્યા. ઇસ્લામ દીને ઇલાહી છે અને તેના બચાવ અને રક્ષણની વ્યવસ્થા કાદીરે મુત્લક ખુદાવંદે આલમના હાથમાં રહી છે. હઝરત મુરસલે આઅઝમ(સ.અ.વ.)ની સાથે હઝરત અલી(અ.સ.) પડછાયાની જેમ રહ્યા અને અમીને રિસાલતનું રક્ષણ કરતા રહ્યા. અલી(અ.સ.)ની સાથે માલીકે અશ્તર હતા, જે આલીમ, આબીદ અને ઇસ્લામી દીનના સ્વભાવથી પરિચિત હતા. પછી જ્યારે ઘમંડીઓએ ઝુલ્મનું જોર વધાર્યુ, તો ઇમામ હુસૈન(અ.સ.) હતા અને આપની સાથે ઇસ્લામી ફૌજના અલમદાર હઝરત અબ્બાસ(અ.સ.) હતા. હઝરત આબીદ(અ.સ.)ની સાથે જનાબે ઝયનબ(સ.અ.) હતા અને જ્યારે આપ મદીના તશ્રીફ લાવ્યા, તો આપના ચાર એવા અસ્હાબ હતા, જેઓ ઇમામનું રક્ષણ અને સુરક્ષાનો હક અદા કરી રહ્યા હતા. ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ના સમયમાં મકતબે એહલેબૈત(અ.મુ.સ.)ની સ્થાપના થઇ ચુકી હતી. ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ના સમયમાં કલાસો હતા. એક સામાન્ય લોકો માટે હતો અને બીજો મદીનાથી બહાર એ ખાસ લોકો માટે હતો કે જે ઇલ્મી દરજ્જાથી મઆરીફના ઉચ્ચ દરજ્જા ઉપર ફાએઝ હતા. એ જ સમયની ફિકહે જાફરીના બંધારણ પર સંપૂર્ણ કામ થયું. ઇમામ મુસા કાઝીમ(અ.સ.)ની સાથે ‘સબબ’ હતા અને ઇરાન અને ઇરાકમાં એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાતના મકતબો સ્થપાય ચૂક્યા હતા અને હુકુમતના ઘમંડીઓ હવે આ અમલી હુકુમત ઉપર ગામઝન દેખાઇ રહ્યા હતા, કે ફરઝંદાને રસુલને વલીએ અહદીના જાળમાં ફસાવી લ્યો, તેથી ઇમામ રેઝા(અ.સ.) અને ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો અને આવી રજુઆત પર અમલ થયો અને જ્યારે બસોથી વધારે વર્ષો પસાર થઇ ગયા, તો ઇમામ અલી નકી(અ.સ.) અને ઇમામે અસ્કરી(અ.સ.)ના પવિત્ર વુજુદના લીધે સલ્તનતોની મહેલોના પાયા હચમચવા લાગ્યા હતા કે ગદીરમાં રિસાલત મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી સાચી થઇને રહેશે.<br />
તેથી લશ્કરી છાવણી (અસ્કર)માં ઠેહરાવવામાં આવ્યા અને ત્યાં જ હિ.સ. ૨૫૫ માં આખરી જાનશીન વિલાદત પામ્યા અને એ જ પ્લેટફોર્મ ઉપર ચાલનારી કૌમના નિગેહબાન બની ગયા, જાણે કે હક્કાનીય્યતનો સુરજ વાદળાની પાછળથી પોતાના કાફલાની રહેનુમાઇ કરતો રહ્યો છે, જેને આપણે ગયબતે કુબરા કહીએ છીએ. હવે આપણે એમ કહી શકીએ છીએ કે કૈદ અને ધરપકડ અને ફાંસી વડે જે જમીનના વારિસોને કમજોર કરી દેવામાં આવ્યા છે, તેના ઉપર કોઇ આંચ નથી આવી શક્તી.<br />
જીંદગી અને મૌત બે હાલતનું નામ છે, પરંતુ આ દુન્યવી જીવનમાં જે કોઇ એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાત ઉપર અમલ કરી રહ્યો છે અને પરહેઝગારીમાં ફુંકી ફુંકીને કદમ રાખી રહ્યો છે, તેની હિફાઝત અને નીગેહબાની, ઇઝ્ઝત, વકાર અને કિરદારની હિફાઝત ગયબથી થતી રહેશે. આ મઝહબના નામે બે પ્લેટફોર્મ બનાવનારાઓ ક્યાંક આતંકવાદી છે, ક્યાંક મસલેહતથી વિચારવાવાળા છે. આપણો જે મઝહબ છે, તે કૌમી ધારાનો રસ્તો છે. આ જ રસ્તો કરબલાવાળાઓએ આપણને દેખાડ્યો છે. મદીના ભલે તારાજ થઇ જાય, બની હાશીમ સલામત અને બચેલા રહે, એટલુ જરૂર છે કે ગાલીબના કહેવા મૂજબ ‘દિલ જીગર તશ્નાએ ફરિયાદ આયા’ ત્યારે ત્યારે મુન્તકીમે ખુને હુસૈન(અ.સ.)ના ઝુહુરના માટે જીવનની બૈચેનીઓ વધી જાય છે અને પોતાને ફરઝંદે રસુલના ખૈમાની નઝદીક પામુ છું અને કહુ છું કે મૌલા કોઇ પહલુ શિકસ્તા માઁ એટલે આપના દાદી ખાતુને જન્નત પોતાના લાલ હુસૈન(અ.સ.) પર ગિર્યા વ જારીમાં મસરૂફ છે. અલ્લાહ તઆલા આપના ઝુહુરમાં જલ્દી કરે. (આમીન)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=691</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>એ ફુરાત!</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=689</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=689#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 06:56:18 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૦૯]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=689</guid>
		<description><![CDATA[એ ફુરાત! તારૂં નામ આવવાથી, તરસ, નાના માસુમ બચ્ચાઓનાં સુકાઇ ગયેલા, કમજોર હોઠ અને પ્યાસી, તરસભરી સદા, તાળવામાં જકડાઇ ગયેલી ઝબાનથી ‘અલ અતશ’ના બહુ જ મુશ્કેલીથી અદા થતા શબ્દો, સામે આવે છે. એ સરઝમીને કરબોબલાની વહેતી નદી! તારા ઠંડા અને મુકદદસ પાણીથી લોકો તૃપ્ત થાય છે અને શફા મેળવે છે. તું રણના ગરમ અને બળતા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>એ ફુરાત! તારૂં નામ આવવાથી, તરસ, નાના માસુમ બચ્ચાઓનાં સુકાઇ ગયેલા, કમજોર હોઠ અને પ્યાસી, તરસભરી સદા, તાળવામાં જકડાઇ ગયેલી ઝબાનથી ‘અલ અતશ’ના બહુ જ મુશ્કેલીથી અદા થતા શબ્દો, સામે આવે છે.<br />
એ સરઝમીને કરબોબલાની વહેતી નદી! તારા ઠંડા અને મુકદદસ પાણીથી લોકો તૃપ્ત થાય છે અને શફા મેળવે છે. તું રણના ગરમ અને બળતા ખોળાને ચિરતી, કિનારાઓને તૃપ્ત કરતી પોતાની જાતને ‘ફારસના અખાત’ને હવાલે કરે છે. પણ આલે મોહમ્મદ (અ.સ.)ના ખૈમાઓ સુધી ન પહોંચી, જે ખૈમાઓએ ત્રણ દિવસનાં ભુખ્યા તથા પ્યાસાઓને ઢાંકી રાખ્યા હતા.<br />
શું તને યાદ છે કે રસુલ (સ.અ.વ.)ની ઇતરતને (કુટુંબીજનો) બીજી મોહર્રમથી તારા કિનારાચથી દૂર કરી દેવામાં આવ્યા, અને સાતમી મોહર્રમથી એમના ખૈમાંઓમાં એક ટિપું પાણીનું ન હતું?<br />
શું તે તારા મહેમાનોની સરભરા કરી?<br />
માટીને ભીનાશ આપી, ઝાડ, પાનને તાજા કર્યા એટલે સુધી કે તારૂં પાણી સૂરજની સખ્ત ગરમીને ઉડી જતું હતું તે છતાં તું એજ હતીને જેણે પ્યાસાઓને વળ ખવરાવીને ટટળાવી રહી હતી.<br />
એ ફુરાત&#8230;.. એ જો સામે નાનાં નાનાં બાળકો પોતાના કુમળા હાથોમાં ખાલી પ્યાલાઓને લઇ ફરી રહ્યાં છે, ક્યારેક કાકા પાસે, ક્યારેક ભાઇ પાસે. એમના ફુલ સમા ચહેરાઓ એમની ભુખ અને તરસની સાક્ષી પુરે છે. તું તો હૂરની જેમ આઝાદ છો&#8230;..<br />
તારા પર તો વાજીબ અને જરૂરી હતું કે એમના ખૈમાઓ સુધી, લહેરાતી, વળ ખાતી, પોતાના માથાને પટકતી આવી જતે અને જેટલી રાહત થઇ શકતે એટલી એ માસુમ બચ્ચાઓને પહોંચાડતે.<br />
એ ફુરાત&#8230;. અગર હૈદર (અ.સ.) અને જઅફર (અ.સ.)ના વારિસ ઔન અને મોહમ્મદ તારા પાણીથી તૃપ્ત થઇ જતે, તો બેઉ મળીને મેદાન સર કરી લેતે&#8230; પણ અફસોસ એ બન્ને તારા કીનારા સુધી પહોંચી ન શક્યા અને તારાથી દૂર થતા ગયા&#8230;.. તારી લ્હેરોની ઠંડક સુધી ન જઇ શક્યા.<br />
એ ફુરાત&#8230; કાસીમનો કુમળો ચહેરો, એના સુકા હોઠ, શુજાઅત અને બહાદૂરભરી અને ચકળ &#8211; વકળ થતી આંખાને તો જો&#8230;. એ જેને મોત મધથી પણ વધારે ગળ્યું લાગે છે, તારી સામે આશભરી મીટ માંડી રહ્યો છે.<br />
એ ફુરાત! અતિશય પ્યાસને લીધે જ હુસૈન (અ.સ.)નાં મદદગારો મકતલમાં (કતલ &#8211; ગાહમાં) પોતાની શુજાઆત અને બહાદૂરીના કમાલ ન દેખાડી શક્યા. એ બધા મદદગારોએ તારાથી આંખો ફેરવીને આબે કવસર પીવાનું પસંદ કર્યું.<br />
બસ હવે એ જો સામે&#8230; એ અલી (અ.સ.)નો શેર આવી રહ્યો છે. તું ભાગ્યશાળી છો કે &#8220;સાકી એ કવસરનો લાલ, પાણી લેવા આવી રહ્યો છે. જા&#8230;. આગળ વધ&#8230;. અને એની સુકાઇ ગયેલી મશ્કમાં સમાઇ જા&#8230;.. એણે સીકના, સાકીએ કવસરના લાલની લાડલી દિકરી માટે પાણી લાવવાનો વાયદો કર્યો છે. તું એ વાયદાને વફા કર, નહી તો ક્યાંક એ તારા કીનારા પર કબજો જમાવી હંમેશાની નીંદરમાં પોઢી ન જાય અને તારા મોજાઓને કયામત સુધી બેચેન અને તડપતા છોડી જાય.<br />
એ ફુરાત&#8230;. શું તે એ દ્રશ્ય નથી જોયુ&#8230;.. જ્યારે દુશ્મનોને જહન્નમમાં ધકેલી અકબર તરસ્યા, તશ્નકામ પાછા ફર્યા અને ઇનામમાં પોતાના પિતા પાસેથી થોડુંક એવું પાણી માંગ્યું. શું તું શરમથી પાણી પાણી ન થઇ ગઇ. જ્યારે એના બુઢા બાપે કાંટા જેવી સુકી જબાન, જવાન દિકરાના મોઢામાં આપી, ત્યારે કેવી રીતે ઉમ્મે લયલાના ફીદયાએ પોતાની ઝબાન ખેચી લીધી અને એનું દિલ કટકે કટકા થઇ ગયું.<br />
એ ફુરાત&#8230;.. એ વખતે તને શું થયું હતું, જ્યારે રસુલ (સ.અ.વ.)ના નવાસાએ પોતાના ૬ મહિનાનાં અલી અસગર માટે દુશ્મનોને પાણી માટે સવાલ કર્યો હતો? દુશ્મનોએ તો એ નાનકડા મુજાહિદે પોતાના સુકાએલા હોઠોં પર જીભ ફેરવતા જ પોતાના મોઢા ફેરવી લીધા અને રડવા લાગ્યા. પછી તો એ પોતાના જ લોહીમાં નાહી ઉઠ્યો અને તું તારા કિનારા પર વળ ખાતી, લહેરાતી રહી.<br />
એ ફુરાત&#8230;. તે એ દ્રશ્ય કેવી રીતે જોયું હશે જ્યારે તમામ નબીઓનો વારિસ, દુશ્મનોમાં ઘેરાયેલો હતો, સૂરજ પોતાની બધી જ શક્તિ સાથે આગ વરસાવી રહ્યો હતો, આવા ગભરાવી, મુંજવી નાખે એવા, ગમગીન વાતાવરણમાં એ સબ્ર કરવાવાળો, તરસ્યો રહી ગયો, જેની માતાએ (જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)) તને કુદરતની તરફથી ‘મહેર’માં લીધી હતી.<br />
બસ તું તો એક એક ભાલા જેટલી ઉંચી ઉછળતી રહી ગઇ, જ્યારે તારા આકા, તારા મૌલાનું માથું શરીરથી જુદું કરી, ભાલાની અણી ઉપર ઉંચું કરવામાં આવ્યું.<br />
ઓ ફુરાત&#8230;. ઓ ફુરાત&#8230;&#8230; હવે તો ખૈમાઓ પણ બળવા લાગ્યા&#8230;. શામે ગરીબાં પણ આવી ગઇ&#8230;&#8230; દરેક દિશાઓમાં હલ ચલ છે&#8230;. ચાદરો ખેંચાઇ ગઇ છે&#8230; શું તું બેવાઓની પોકાર અને રડતા અવાજોને નથી સાંભળતી? જા ખૈમાઓની આગ તો બુઝાવ, અગર પ્યાસાઓની પ્યાસ ન બુઝાવી શકી. અરે જરા કતલ ગાહની તરફ તો નજર કર&#8230;. જો કોઇ નાનકડી છોકરી, બળતા ખૈમાઓમાંથી નીકળી નીચાણવાળી જગ્યાની પાસે બાબા, બાબા કહેતી જઇ રહી છે&#8230;. ક્યાંક એ સકીના તો નથી? અરે એના દામનમાં આગ લાગી ગઇ&#8230; તારા વ્હેતા પાણીને હુકમ કર કે આગ તો બુજાવી દે! મકતલમાં ચારે તરફ સન્નાટો, ખામોશી છે અને બળી રહેલા ખૈમાઓમાં પણ ખામોશી છે હવે તો ખૈમાઓની પાસે તું જઇ શકે છે. કદાચ એ માટે જ તારા મોજાઓ ઉછળી ઉછળીને આ તરફ ખૈમાઓ પાસે જવા થનગની રહ્યાં છે.<br />
પણ&#8230;. થોભી જા&#8230;. હવે એમની પાસે ન જતી કેમ કે આ બચ્ચાઓ હમણાં જ થાકીને સૂઇ ગયા છે&#8230;. અને કાલે તો નબીની આલ લુંટાઇને, તારાથી દૂર થઇ જશે&#8230;.. હા&#8230;.. દૂર&#8230;.. ઘણાં જ દૂર&#8230;&#8230;. ઘણા દૂર&#8230;..</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=689</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મીર અનીસ મુહરમના મરસિયાના અમૂક બંદ</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=687</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=687#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 06:55:53 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૦૯]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=687</guid>
		<description><![CDATA[ફાકેમે દેર તક જો લડે શાહે તશ્નકામ હાથોં સે છોડ દી થી જો રેહવાર કી લગામ ગર્ક અરક થે, કાંપ રહા થા બદન તમામ આંખેથી બંદ, હાંફતા થા અસ્પે તેઝ ગામ ગશમેં સવારે &#8211; દોશે નબી કા યે હાલ થા બે થામે, ખુદ ફરસસે ઉતરના મુહાલ થા દેખા જો યે કે ભાગ ગયે રનસે હીલાસાઝ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>ફાકેમે દેર તક જો લડે શાહે તશ્નકામ<br />
હાથોં સે છોડ દી થી જો રેહવાર કી લગામ<br />
ગર્ક અરક થે, કાંપ રહા થા બદન તમામ<br />
આંખેથી બંદ, હાંફતા થા અસ્પે તેઝ ગામ<br />
ગશમેં સવારે &#8211; દોશે નબી કા યે હાલ થા<br />
બે થામે, ખુદ ફરસસે ઉતરના મુહાલ થા<br />
દેખા જો યે કે ભાગ ગયે રનસે હીલાસાઝ<br />
મોહલત હૈ ઐ હુસૈન, પઢો અસર કી નમાઝ<br />
તલવાર રખ કે મ્યાનમેં, બોલે શહે હેજાઝ<br />
યે આખરી હૈ બંદગીએ &#8211; રબ્બે બે નિયાઝ,<br />
ફિક્રે નજાતે ઉમ્મતે ખયરૂલ બશર કરો,<br />
સુખી ઝબાં કો ઝિક્રે ઇલાહીમેં તર કરો,<br />
નાગાહ સોએ લાશે પિસર જા પડી નઝર<br />
અકબર ઉઠો કે ઘોડેસે ગિરતા હૈ અબ પિદર<br />
ચિલ્લાએ દિલ કો થામ કે સુલતાને બેહરોબર<br />
સોતે હો તુમ ઢેલે હુએ રૂખસાર ખાક પર<br />
ભુલે પિદર કો નિંદમે કુરબાન આપકે<br />
આઓ નમાઝે અસર પઢો સાથે બાપકે<br />
બેટે હો તુમ ઇમામકે, પોતે ઇમામ કે<br />
આતે હૈ ફિર પલટ કે પરે ફૌજ શામ કે<br />
કામ આઓ મરતે દમ, પિદરે તશ્ના કામકે<br />
બિઠલા દો, કિબ્લા રૂ મેરે હાથોં કો થામ કે<br />
જાતી રહે નમાઝ ભી, આઅદા જો ફિર પડેં<br />
રાઆશા હૈ ખુદ ફરસસે જો ઉતરે તો ગિર પડે.<br />
અબ્બાસ નામદાર તરાઇસે ઉઠકે આવ<br />
છિડકો મેરી ઝિરાહ પે જો પાની કહીસે પાવ<br />
ફુંકતા હૈ કલ્બ, જલ રહે હૈ સબ જીગર કે ઘાવ<br />
ચલતે હુએ, અદમ કે મુસાફિરસે મિલ તો જાવ.<br />
હમ સબકે કામ આએ હૈ પીટે હૈ રોએ હૈ<br />
બારાહ પહર હુએ કે ન લેટે ન સોએ હૈ<br />
ક્યા બા &#8211; ફઝા યે સર્દ તરાઇ હૈ, અબ ઉઠો<br />
નરગેમે ફૌજે ઝુલ્મ કે ભાઇ હૈ, અબ ઉઠો<br />
હમ જા બ-લબ હૈ, ખત્મ લડાઇ હૈ, અબ ઉઠો<br />
અબ્બાસ! દ્યુપ ચેહરે પે આઇ હૈ, અબ ઉઠો<br />
ગફલતકી તુમ કો નિંદ હૈ શબ્બીર ક્યા કરે<br />
મેરી તરહ કિસીકો ન બેક્સ ખુદા કરે<br />
તુમ જબસે છૂટે સા’દો &#8211; બાઝુમેં દર્દ હૈ<br />
દિલમેં, કમરમે, સીનેમે, પહેલુંમે દર્દ હૈ<br />
ગરદનમે, સરમે, આંખમે, અબરૂમે દર્દ હૈ<br />
રગ રગમે ક્યા, હર એક બુને &#8211; મૂ મેં દર્દ હૈ<br />
હર મરતબા લડે હૈં, લહૂમેં નહાએ હૈ<br />
પીરીમેં નૌજવાનોં કે લાશે ઉઠાએ હૈ.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=687</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બોધ વચનો :</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=685</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=685#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 06:55:11 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૦૯]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=685</guid>
		<description><![CDATA[]]></description>
			<content:encoded><![CDATA[]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=685</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ઇમામ હુસૈન (અ.સ.)નું વસીયતનામું</title>
		<link>http://almuntazar.com/gujrati/?p=683</link>
		<comments>http://almuntazar.com/gujrati/?p=683#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 06:53:31 +0000</pubDate>
		<dc:creator>admin</dc:creator>
				<category><![CDATA[૧૪૦૯]]></category>

		<guid isPermaLink="false">http://almuntazar.com/gujrati/?p=683</guid>
		<description><![CDATA[હઝરત સય્યદુશ્શોહદા અરવાહનાફિદા (અમારી જાન આપ ઉપર ફીદા) જ્યારે મદીનાથી મક્કાની તરફ રવાના થયા તો આપ (અ.સ.)એ નીચે પ્રમાણે વસીયત લખી અને પોતાની મહોરથી, મહોરબંધ (સીલ) કરીને પોતાના ભાઇ મોહમ્મદે હનફીયાને હવાલે કરી : બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ &#8211; આ વસીયત હુસૈન ઇબ્ને અલીની પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને છે. હુસૈન (અ.સ.) ગવાહી આપે છે ખુદાની વહેદાનિયત [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>હઝરત સય્યદુશ્શોહદા અરવાહનાફિદા (અમારી જાન આપ ઉપર ફીદા) જ્યારે મદીનાથી મક્કાની તરફ રવાના થયા તો આપ (અ.સ.)એ નીચે પ્રમાણે વસીયત લખી અને પોતાની મહોરથી, મહોરબંધ (સીલ) કરીને પોતાના ભાઇ મોહમ્મદે હનફીયાને હવાલે કરી : બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ &#8211; આ વસીયત હુસૈન ઇબ્ને અલીની પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને છે. હુસૈન (અ.સ.) ગવાહી આપે છે ખુદાની વહેદાનિયત અને એક હોવા પર અને એ વાતની ગવાહી આપે છે કે ખુદાના માટે કોઇ શરીક (ભાગીદાર) નથી અને એ અમ્રની પણ ગવાહી આપે છે કે મોહમ્મદ (સ.અ.વ.) એના રસુલ છે, અને આઇન (કાનુને ઇસ્લામ)ને ખુદાની તરફથી લાવ્યા હતા અને એ વાતની ગવાહી પણ આપે છે કે જન્નત અને દોઝખ હક છે અને જઝાનો દિવસ (કયામત) યકીનન (નક્કી) આવશે જેને માટે કોઇ શક અને શંકા નથી, અને ખુદાવંદે આલમ તમામ ઇન્સાનોને એ દિવસે ફરીવાર જીવતા કરશે. (ઇમામ હુસૈન (અ.સ.) પોતાના વસીતનામામાં તૌહિદ, નબુવ્વત અને મઆદ (કયામત)ના બારામાં પોતાનો અકીદો બયાન કર્યા પછી પોતાની એ સફરનો મકસદ અને હેતુને આ રીતે બયાન ફરમાવે છે.) હું ન તો મારી ઇચ્છાઓ અને ખુદપસંદગી યા એશઆરામની તલાશમાં સફર ઇખ્તેયાર કરૂં છું અને ન તો ફિત્નાફસાદ અને જુલ્મોસિતમ માટે મદિનાથી નીકળી રહ્યો છું. બલ્કે આ સફરથી મારો મકસદ અમ્ર બિલ મારૂફ અને નહિ અનીલ મુન્કર છે. આ સફરનો મકસદ એ પણ છે કે ઉમ્મતની દરમ્યાન ફેલાયેલા ફસાદને હું ખત્મ કરૂં અને મારા જદ રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્નત અને કાનૂન અને મારા પિદરે બુજુર્ગવાર અલી બિન અબી તાલિબ (અ.સ.)ના તૌર &#8211; તરીકાને ફરીવાર જીવતા કરૂં. પછી જે શખ્સ આ હકીકતને મારાથી કબુલ કરે એણે ખુદાની રાહને અપનાવી છે. અને જેણે એને કબુલ ન કર્યું (એટલે મારી વાત ન માની) હું સબ્ર અને સાબીત કદમની સાથે પોતાની રાહને પુરી કરીશ ત્યાં સુધી કે ખુદાવંદે આલમ મારા અને એ લોકોની વચ્ચે કોઇ ફેંસલો કરે કેમ કે તે બહેતર ઇન્સાફ કરવાવાળો છે. અને ભાઇ, તમને મારી આ વસીયત છે અને તૌફીક ખુદાએ અઝ્ઝ વ જલ્લની તરફથી છે. એની પર ભરોસો કરૂં છું અને એની તરફ જ મારે પાછા ફરવાનું છે. આ હતી ઇમામ હુસૈન (અ.સ.)ની વસીયત જે એ હઝરત (અ.સ.)એ પોતાના ભાઇને કરી હતી. આ વસીયત મકતલે ખ્વરઝમી જીલ્દ : ૧ અને મકતલે અવાલિમ જેવા ઇતિહાસના પુસ્તકોમાં લખેલી જોવા મળે છે.<br />
ઇમામ હુસૈન (અ.સ.) રવિવારના દિવસે જ્યારે માહે રજબ પુરો થવામાં બે દિવસ બાકી હતા ત્યારે, પોતાના દિકરાઓ અને ખાનદાનમાં બીજા લોકોની સાથે મક્કાની તરફ રવાના થયા અને જ્યારે મદીના પાછળ રહી ગયું તો એ જ આયાતે કરીમાની તિલાવત ફરમાવવા લાગ્યા જે હઝરત મુસા બિન ઇમરાનની મિસરની તરફ રવાનગી અને ફિરઔનીઓની સાથે મકાબલાની તૈયારીના સંબંધમાં નાઝીલ થઇ હતી. પોતાની મુસ્તફેરત માટે આપે (અ.સ.) એજ માર્ગ પસંદ કર્યો, જેનો બધા જ મુસાફરો અને કાફલાવાળાઓ સામાન્ય રીતે ઉપયોગ કરતા હતા. અજાણ્યા અને વેરાન રસ્તા પર ન્હોતા ચાલતા. પાંચ દિવસનો મદીના અને મક્કાનો માર્ગ પાંચ દિવસમાં જ પુરો કર્યો. શબે જુમ્મા, શાબાન મહિનાની ૩જી તારીખે મક્કાની સરજમીન પર પહોંચ્યા.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://almuntazar.com/gujrati/?feed=rss2&amp;p=683</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>

